Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • AAPનું ભવ્ય શક્તિ પ્રદર્શન: અમરેલીમાં હજારોની મેદની વચ્ચે કેજરીવાલ-ભગવંત માનનો હુંકાર

AAPનું ભવ્ય શક્તિ પ્રદર્શન: અમરેલીમાં હજારોની મેદની વચ્ચે કેજરીવાલ-ભગવંત માનનો હુંકાર

અમરેલીમાં આયોજિત આમ આદમી પાર્ટીની 'વિજય વિશ્વાસ સભા' માં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન એ ભાજપ સરકારના 30 વર્ષના શાસન પર આકરા પ્રહાર કર્યા છે. કેજરીવાલે ખેડૂતોના પાક નુકસાન પેકેજ, મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવી પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી અને મહિલાઓને દર મહિને ₹1,000 આપવાની ગેરંટી આપી છે. 

Amreli March 25, 2026
AAPનું ભવ્ય શક્તિ પ્રદર્શન: અમરેલીમાં હજારોની મેદની વચ્ચે કેજરીવાલ-ભગવંત માનનો હુંકાર

AAPનું ભવ્ય શક્તિ પ્રદર્શન: અમરેલીમાં હજારોની મેદની વચ્ચે કેજરીવાલ-ભગવંત માનનો હુંકાર

અમદાવાદ/અમરેલી/ગુજરાત : આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી ખાતે ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી સહિત ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ધારાસભ્ય સુધીર વાઘાણી, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઇ સોલંકી, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઇ બોરખતરીયા, વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, લોકસભા ઇન્ચાર્જ કાંતિભાઇ સતાસીયા, જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અમરેલીના સ્થાનિક ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં તમામ જાતિઓ ધર્મ અને વર્ગના લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા.

અમરેલીમાં યોજાયેલી સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશનું મંદિર છે, તેથી આજે હું સૌરાષ્ટ્રની ધરતી પર આશીર્વાદ લેવા આવ્યો છું. ભાજપના કુશાસન અને ભ્રષ્ટાચારથી લોકોને મુક્તિ મળે તેવા આશીર્વાદ માટે હું અહીં આવ્યો છું. સૌરાષ્ટ્રની 48 સીટોમાંથી 40 સીટ તમે ભાજપને આપી, પરંતુ બદલામાં તમને શું મળ્યું? ધક્કા મળ્યા, ગાળો મળી, અપમાન મળ્યું, ડંડા મળ્યા, જેલ મળી. છેલ્લા 30 વર્ષમાં ભાજપે શું આપ્યું? રસ્તા બનાવે છે તો 2 દિવસમાં તૂટી જાય છે, મોરબીનો પુલ તૂટી ગયો અને બીજા ઘણા પુલ તૂટી ગયા, તો આ બધાના પૈસા ક્યાં જાય છે? મને કેટલાક ખેડૂત મળ્યા જેમણે કહ્યું કે તેમની મગફળીનો પાક બરબાદ થઈ ગયો હતો અને ત્યારબાદ સરકારે 10000 કરોડનું પેકેજ જાહેર કર્યું, પરંતુ સાંભળવામાં આવ્યું કે ખેડૂતોને પૈસા મળ્યા નથી. તો મારો સવાલ છે કે એ 10000 કરોડ ક્યાં ગયા? ખાઈ ગયા આ લોકો 10000 કરોડ? જાતિનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ જેવી કોઈપણ વસ્તુ માટે પૈસા આપવા પડે છે. તમે લોકો 30 વર્ષથી અલગ અલગ પાર્ટી અને નેતાઓને મત આપતા આવ્યા, પરંતુ તમને કંઈ મળ્યું નથી કારણ કે તે નેતાઓ કોઈના સગા નથી, તેથી મારી અપીલ છે કે આ વખતે તમે પોતાને મત આપો અને પોતાની જનતાની સરકાર બનાવો.

આગળ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ જણાવ્યું કે, પંજાબમાં પણ જનતાની સરકાર બની છે. આમ આદમી પાર્ટી કોઈ સામાન્ય પાર્ટી નથી, તે એક આંદોલન છે, દેશને પ્રગતિ તરફ લઈ જવાનું નામ છે. ભગવંત માન કોઈ નેતા નથી પરંતુ ખેડૂતનો દીકરો છે. મારા પિતાજી, ઈસુદાન ગઢવીના પિતાજી કે ગોપાલ ઇટાલિયાના પિતાજી કોઈ નેતા ન હતા. અમે બધા તમારા બાળકો છીએ, અમે સામાન્ય લોકો છીએ. પંજાબમાં અમારા 96 ધારાસભ્યો છે, જેમાંથી 80થી વધુ પ્રથમ વખત જીત્યા છે અને બધા સામાન્ય પરિવારોમાંથી આવે છે. અહીં ધારાસભ્યનો દીકરો ધારાસભ્ય બને છે અને તેની પત્ની પણ ધારાસભ્ય બને છે, ભાજપમાં નેતાઓના બાળકોને જ ટિકિટ મળે છે, શું તમારા બાળકોને ટિકિટ મળે છે? આમ આદમી પાર્ટી તમારા બાળકોને ટિકિટ આપશે અને તમારી સરકાર બનાવશે.

આગળ તેમણે જણાવ્યું કે, પંજાબ અને ગુજરાત બંને ખેડૂતોની ધરતી છે. પંજાબમાં ખેડૂતો માટે કામ થાય છે પરંતુ ગુજરાતમાં રાત્રે 2-3 વાગ્યે વીજળી આવે છે. પંજાબમાં સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મફત વીજળી આપવામાં આવે છે. પહેલા આવું નહોતું પરંતુ ખેડૂતનો દીકરો મુખ્યમંત્રી બનતા આખી સિસ્ટમ બદલાઈ ગઈ. પહેલા પંજાબમાં 20% જમીનને જ સિંચાઈ મળતી હતી પરંતુ અમારી સરકાર આવ્યા બાદ 70% ખેતરો સુધી પાણી પહોંચ્યું છે અને આવતા વર્ષે 90% સુધી પહોંચશે. પંજાબ એકમાત્ર રાજ્ય છે જ્યાં ખેતી માટે વીજળી મફત છે. ગુજરાતમાં 30 વર્ષ પછી પણ મફત વીજળી નથી તો ખેડૂતોને શું મળ્યું? અહીં નેતાઓ અને અમીરોની સરકાર છે. પંજાબમાં અમારી સરકાર 24 કલાક લોકો માટે કામ કરે છે. પંજાબમાં ખેડૂતોની આખી પાક ખરીદવામાં આવે છે અને સાંજ સુધી પૈસા મળી જાય છે. મૈં અહીં છાપામાં વાંચ્યું કે ખેડૂતોને ત્રણ-ત્રણ મહિના સુધી પૈસા મળતા નથી.

આગળ તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં દર વર્ષે કેરીની ખેતી બરબાદ થાય છે પરંતુ કોઈ વળતર નથી. કેમ કે તેના માટે કોઈ પોલિસી જ નથી. ઇકો ઝોનના કાયદાથી ખેડૂતો હેરાન છે. શું આ કાયદો દૂર થવો જોઈએ? વન વિભાગના લોકો ખેડૂતોને હેરાન કરે છે. આ બધું એટલે થાય છે કે તમે અત્યાર સુધી નેતાઓને મત આપ્યા, હવે તમારી સરકાર બનાવો તો પંજાબ જેવી વ્યવસ્થા ગુજરાતમાં પણ થશે. તમે 48માંથી 40 સીટ ભાજપને આપી અને 4 સીટ આમ આદમી પાર્ટીને આપી, અને અમે આ 4 સીટ માટે આભારી છીએ. આજે ભાજપના લોકો તમને ડંડા મારે છે ત્યારે તમને બચાવવા અમારા લોકો આગળ આવે છે, જેલમાં જવા માટે પણ અમે તૈયાર છીએ. ચૈતર વસાવા જેલ ગયા, પ્રવીણ રામને જેલમાં નાખ્યા અને ઘણા નેતાઓને જેલમાં નાખ્યા છે, પરંતુ અમે ડરવાના નથી. જ્યારે મને પણ જેલમાં નાખ્યો ત્યારે હું પણ ના ડર્યો, એમ અમારા એક પણ નેતા કે કાર્યકર્તા જેલમાં જવાથી ડરતા નથી. તમે અમને 4 સીટો આપી તો પણ અમે તમારી માટે લડી રહ્યા છીએ, તો વિચારો કે જો અમારી સરકાર આવશે તો કેટલું કામ થશે, ગુજરાતનો નકશો જ બદલાઈ જશે.

આગળ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, પંજાબમાં અમે એટલું સારું કામ કરી રહ્યા છીએ કારણ કે ત્યાં એક પણ પૈસાનો ભ્રષ્ટાચાર થતો નથી. તમે સૌને જાણીને આશ્ચર્ય થશે કે આજે સવારે મુખ્યમંત્રી ભગવંત માન સાહેબે પોતાની જ પાર્ટીના એક ધારાસભ્યને જેલમાં નાખ્યો કારણ કે તે ભ્રષ્ટાચાર કરી રહ્યો હતો. બીજી પાર્ટીમાં જો કોઈ ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરે તો મુખ્યમંત્રી પોતાનો ભાગ માંગે છે. પંજાબમાં અમે ભ્રષ્ટાચાર મૂળથી ખતમ કરી દીધો છે અને જનતાનો એક-એક પૈસો જનતા પર જ ખર્ચ થાય છે. પંજાબમાં કેટલાક લોકોએ માન સાહેબને કહ્યું કે સીટી સ્કેન, કેન્સર જેવા મોટા સારવારમાં લાખો રૂપિયા ખર્ચ થાય છે અને ગરીબો પાસે પૈસા નથી, તો આ સાંભળીને ભગવંત માન સાહેબે કહ્યું કે તેઓ એવી વ્યવસ્થા કરશે જ્યાં મુખ્યમંત્રીની સારવાર થાય છે ત્યાં ગરીબ માણસની પણ મફતમાં સારવાર થશે. અને આજે અમે પંજાબમાં દરેક પરિવાર માટે 10 લાખનો ઈન્શ્યોરન્સ કરાવ્યો છે. જ્યાં કરોડપતિ સારવાર કરાવે છે તેવા ફાઈવ સ્ટાર હોસ્પિટલોમાં હવે ગરીબ ખેડૂત પણ પોતાની 10 લાખ સુધીની સારવાર મફતમાં કરાવી શકે છે. ગુજરાતમાં પણ આવી જ વ્યવસ્થા અમે બનાવશું જ્યારે તમે તમારી સરકાર બનાવશો. ભાજપ અને કોંગ્રેસે દેશનો નાશ કરી દીધો છે તો તેમને ઉખેડીને ફેંકવા પડશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની જશે તો જ્યાં અમિત શાહ પોતાની સારવાર કરાવે છે ત્યાં સામાન્ય લોકોની પણ અમે સારવાર કરાવીશું અને તમારે કોઈ પૈસા આપવા પડશે નહીં. બીજી પાર્ટીના લોકો મને ગાળો આપે છે પરંતુ હું અહીં કોઈને ગાળો આપતો નથી કારણ કે હું માત્ર જનતાની વાત કરવા આવ્યો છું, હું ગુજરાતની પ્રગતિની વાત કરું છું, તમારા બાળકોની વાત કરું છું. પંજાબમાં દરેક મહિલાને દર મહિને હજાર રૂપિયા મળશે. જો એક ઘરમાં 18 વર્ષથી વધુ ઉંમરની ત્રણ મહિલાઓ છે તો તે ઘરને દર મહિને ₹3000 મળશે. તો ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતની દરેક 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને પણ દર મહિને ₹1000 આપવામાં આવશે.

અંતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, હાલમાં ગુજરાતમાં જિલ્લા પંચાયતની ચૂંટણી થવાની છે, તો અમે આ ચૂંટણીમાં તમારા બાળકોને એટલે કે સામાન્ય લોકોના બાળકોને ટિકિટ આપશું. અહીં અમારી પાર્ટીના બેઠેલા પદાધિકારીના ભાઈ કે બાળકોને અમે ટિકિટ નહીં આપીએ. તમે લોકો ટિકિટ માટે અરજી કરો, અમે તમારા બાળકોને ટિકિટ આપશું, આમ આદમી પાર્ટી તમારે ચલાવવાની છે, આમ આદમી પાર્ટીનો નેતા તમારે બનવાનું છે અને તમારે તમારી સરકાર બનાવવાની છે. જિલ્લા પંચાયતની ચૂંટણી એક રીતે સેમિફાઈનલ છે. આગામી ડોઢ-બે વર્ષ પછી જ્યારે વિધાનસભાની ચૂંટણી છે તો તેના પહેલા જિલ્લા પંચાયતની સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ભારે મત આપી આમ આદમી પાર્ટીની સરકાર બનાવવી છે. તમને અને તમારા બાળકોને પંચાયત અને નગરપાલિકામાં મોકલવા છે અને આ રીતે આપણે સૌ મળીને ગુજરાતને પ્રગતિના માર્ગ પર આગળ લઈ જવું છે.

અમરેલીમાં સભાને સંબોધિત કરતાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે અરવિંદ કેજરીવાલજી, જેમણે સામાન્ય લોકો માટે આમ આદમી પાર્ટી બનાવી, સામાન્ય લોકોની ભલાઈ માટે આ પાર્ટી બનાવી હતી. અને આ પાર્ટી એટલી ઝડપથી દેશમાં ફેલાઈ કે આજે માત્ર દસ-બાર વર્ષમાં જ નેશનલ પાર્ટી બની ગઈ છે, કારણ કે તેમાં સામાન્ય લોકો આવે છે અને સામાન્ય લોકોની ભલાઈ માટે કાયદા બનાવવામાં આવે છે. જેમ કે મારા પહેલા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી, ત્યારે સરકારી શાળાઓ ખૂબ સારી બની ગઈ હતી, મોહલ્લા ક્લિનિકમાં મફત દવાઓ અને સારવાર મળતી હતી, ગરીબો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના જીવનમાં સુધારો આવ્યો હતો અને લોકોને રોજગાર મળતો હતો. ત્યારબાદ જ્યારે ભાજપની સરકાર આવી ત્યારે બધું બંધ કરી દેવામાં આવ્યું અને મોટા ઉદ્યોગપતિઓને લાભ અપાયો. જે ખાનગી શાળાઓ અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી હતા ત્યારે ફી વધારી શકતી નહોતી, આજે તે જ મનમાની કરી રહી છે. પંજાબમાં અમારી સરકાર ચાલી રહી છે. અહીં બેઠેલી માતાઓ અને બહેનો અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમના વિના ઘર નહીં ચાલે તો દેશ પણ નહીં ચાલે. જો માતા અને બહેનોનો આશીર્વાદ મળી જાય તો માણસ કોઈ પણ મંજિલ હાંસલ કરી શકે છે. પંજાબમાં અમે દરેક પરિવાર માટે 10 લાખ રૂપિયા સુધી મફત સારવારનું કાર્ડ બનાવી રહ્યા છીએ જેથી કોઈપણ વ્યક્તિ પૈસાની અછતને કારણે સારવારથી વંચિત ન રહે. હવે પંજાબમાં કોઈના પિતા, ભાઈ, બહેન અથવા બાળકનું સારવાર પૈસા ન હોવાને કારણે અટકશે નહીં. અમે દરેક પરિવાર માટે 10 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય વીમો સુનિશ્ચિત કર્યો છે. અમે આ પણ ખાતરી આપી છે કે મહિલાઓને દર મહિને આર્થિક સહાય આપવામાં આવશે, સામાન્ય વર્ગની મહિલાઓને 1000 રૂપિયા અને અનુસૂચિત જાતિ તથા પછાત વર્ગની મહિલાઓને 1500 રૂપિયા દર મહિને આપવામાં આવશે. એક ઘરમાં ત્રણ કે ચાર મહિલાઓ હોય તો પણ તમામને આ સહાય મળશે. આ મહિલાઓને સન્માન આપવા માટેનો પ્રયાસ છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે આવનારી ચૂંટણીમાં જનતાએ યાદ રાખવું પડશે કે છેલ્લા 30 વર્ષથી ભાજપ અને કોંગ્રેસે મળીને જનતાને લૂંટી છે. હવે આમ આદમી પાર્ટી એક નવો વિકલ્પ બનીને સામે આવી છે. તેમણે અપીલ કરી કે ઝાડૂ ચૂંટણી ચિહ્નનું બટન દબાવી આ 30 વર્ષની ગંદકી સાફ કરો. તેમણે કહ્યું કે EVMનું બટન કોઈ પાર્ટીનું નહીં પરંતુ તમારા અને તમારા પરિવારના ભવિષ્યનું બટન છે. સાચું બટન દબાવવાથી તમારી કિસ્મત બદલાઈ શકે છે. ભગવંત માને ગુજરાતના મોડલ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે આજે દેશમાં ઘણા સ્થળોએ સમસ્યાઓ છે, ખેડૂતોને સમયસર ચુકવણી મળતી નથી, જેના કારણે તેમના પર કર્જનો ભાર વધે છે અને તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં આવી જાય છે. તેના વિરુદ્ધ પંજાબમાં ખેડૂતોને MSP પર પાકના પૈસા સમયસર તેમના ખાતામાં મળી જાય છે. તેમણે કહ્યું કે ખેડૂતને ‘અન્નદાતા’ કહેવાય છે પરંતુ બદલામાં તેને શું મળે છે..? કર્જ અને મુશ્કેલી. તેમણે આરોપ લગાવ્યો કે જે નેતાઓ ખેડૂતોના પક્ષમાં બોલે છે, તેમના સામે કેસ દાખલ કરીને તેમને જેલમાં નાખવામાં આવે છે. પરંતુ હવે અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓ જનતા વચ્ચે આવી ચૂક્યા છે, જે ઈમાનદાર રાજનીતિ કરે છે. તેમણે કહ્યું કે સાચી સત્તા તેમની હોય છે જે લોકોના દિલ પર રાજ કરે છે. તેમણે જનતાને અપીલ કરી કે ધર્મ અને જાતિના નામ પર વહેંચતી રાજનીતિથી દૂર રહો અને શિક્ષણ તથા વિકાસને મત આપો. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી બાળકોના શિક્ષણમાં સુધારો કરવા આવી છે જેથી તેઓ આગળ જઈને અધિકારી, ડૉક્ટર અને ઇજનેર બની શકે અને ગરીબી દૂર થઈ શકે. અંતમાં તેમણે કહ્યું કે દેશ કોઈ એક વ્યક્તિનો નથી પરંતુ 140 કરોડ લોકોનો છે. આ યુવાનો, વડીલો, માતાઓ અને બહેનોનો દેશ છે. તેથી આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતાડીને એક નવું અને સારું ભવિષ્ય બનાવો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાત, પંજાબ અને આખો દેશ આગળ વધશે.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

પંજાબમાં બદલાવની લહેર: 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનથી યુવાનોને મળ્યું નવું જીવન અને ગૌરવપૂર્ણ રોજગાર
punjab
March 25, 2026

પંજાબમાં બદલાવની લહેર: 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનથી યુવાનોને મળ્યું નવું જીવન અને ગૌરવપૂર્ણ રોજગાર

પંજાબ સરકાર દ્વારા ચલાવવામાં આવતા 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાન હેઠળ રાજ્યના યુવાનોમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ વ્યૂહરચના માત્ર તસ્કરો પર કાર્યવાહી કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ વ્યસનનો ભોગ બનેલા યુવાનોને તબીબી સારવાર, કાઉન્સેલિંગ અને ત્યારબાદ રોજગાર સહાય આપીને તેમને સામાજિક મુખ્ય પ્રવાહમાં પાછા લાવવામાં આવી રહ્યા છે. 

અમદાવાદ-સુરતમાં 8,000 લોકો પાસે હથિયાર! ગોપાલ ઇટાલિયાએ પોલીસ તંત્રની નિષ્ફળતા પર ઉઠાવ્યા સવાલ
ahmedabad
March 25, 2026

અમદાવાદ-સુરતમાં 8,000 લોકો પાસે હથિયાર! ગોપાલ ઇટાલિયાએ પોલીસ તંત્રની નિષ્ફળતા પર ઉઠાવ્યા સવાલ

ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યની કાયદો-વ્યવસ્થા પર આકરા પ્રહાર કર્યા છે. સરકાર દ્વારા અપાયેલા જવાબ મુજબ અમદાવાદ અને સુરતમાં અંદાજે 8,000 લોકો પાસે હથિયારના લાયસન્સ છે અથવા તેમણે માંગણી કરી છે. 

ગરીબોના નામે ખર્ચાનો ખેલ બંધ કરવા જનતાને નિર્ણય લેવાનો સમય : ગોપાલ ઇટાલિયા
ahmedabad
March 25, 2026

ગરીબોના નામે ખર્ચાનો ખેલ બંધ કરવા જનતાને નિર્ણય લેવાનો સમય : ગોપાલ ઇટાલિયા

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થામાં થતા અતિશય ખર્ચ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે "સોના કરતાં ઘડામણ મોંઘું" હોવાનો ઘાટ સર્જાયો હોવાના આક્ષેપ સાથે સરકારની નીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

Braking News

Obscene video case:  આરોપો વચ્ચે આરોપી સાંસદ પ્રજ્વલ રેવન્ના SITનો મુકાબલો કરશે
Obscene video case: આરોપો વચ્ચે આરોપી સાંસદ પ્રજ્વલ રેવન્ના SITનો મુકાબલો કરશે
May 27, 2024

કર્ણાટકમાં હસનનું પ્રતિનિધિત્વ કરતા સંસદસભ્ય પ્રજ્વલ રેવન્નાએ અશ્લીલ વિડિયો સાથે સંકળાયેલા આરોપોની તપાસ વચ્ચે 31 મેના રોજ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ (SIT) દ્વારા પૂછપરછનો સામનો કરવાનો તેમનો ઇરાદો જાહેર કર્યો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
February 21, 2023
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
August 10, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express