પાલડીયા હિંસા મુદ્દે AAPનું પગલું – ચૈતર વસાવા લીગલ ટીમ સાથે મુલાકાત લેશે
બનાસકાંઠા પાલડીયા ગામ હિંસા મુદ્દે AAP ધારાસભ્ય ચૈતર વસાવા 17 ડિસેમ્બરે આદિવાસી આગેવાનો અને લીગલ ટીમ સાથે મુલાકાત લેશે. પોલીસ કાર્યવાહી પર સવાલ.
અમદાવાદ / બનાસકાંઠા/ નર્મદા/ ગુજરાત : બનાસકાંઠા જિલ્લાનાં અંબાજી નજીક પાલડીયા ગામે હિંસક ઘટના બની હતી. આ ઘટનામાં જમીન બાબતે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો હતો, જે બાબત હિંસક હુમલામાં પરિણમી હતી. જેમાં પોલીસ દ્વારા ટિયરગેસ છોડવામાં આવ્યા હતા. આ હિંસક ઘટનામાં અનેક સ્થાનિક લોકોને ઈજા પહોંચી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજના આગેવાનો અને લીગલ ટીમ સાથે આવતીકાલે તારીખ 17 ડિસેમ્બરના રોજ પાલડીયા ગામની મુલાકાત લેશે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાનું નિવેદન આપ્યું હતું.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ઘટનાને ઉંડાણપૂર્વક જાણવા માટે અમે માહિતી મેળવી અને આવતીકાલે 17 ડિસેમ્બર આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, લીગલ ટીમ અને આદિવાસી સમાજનાં તમામ સંગઠનનાં પદાધિકારીઓ સાથે સવારે 10.30 કલાકે અંબાજી માતાનાં દર્શન કરીને ગબ્બર પર્વતે સૌને મળીને પાલડીયા જવાના છીએ. આ હિંસાનું મૂળ શું છે? શરૂઆત કોને કરી, શા માટે આ હિંસા થઇ? આ હિંસામાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી ત્યારે આદિવાસી લોકો પર કેમ જ કરવામાં આવી ? જે લોકોએ શરૂઆતમાં લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસનાં સેલ છોડ્યા, ફાયરિંગ કર્યું આ પોલીસ અધિકારી પર કાર્યવાહી કેમ કરવામાં ન આવી? પોલીસ અધિકારીઓ અને વન અધિકારીઓ દ્વારા લાઠીચાર્જ, ટીયર ગેસનાં સેલ છોડાયા, 50 રાઉન્ડ ફાયરિંગ કેમ કરવું પડ્યું? આ તમામ બાબતો જાણવા માટે આવતીકાલે આદિવાસી સમાજનાં તમામ સંગઠનના પદાધિકારીઓ, અમારી લીગલ ટીમ સહિત અમે સૌ ગામની મુલાકાતે જવાનાં છીએ. આ ગામમાં જે પણ ઘટના બની છે તેની હકીકત જાણીને આદિવાસી સમાજને મળેલા અધિકારો કઈ રીતે ઉપયોગી થાય અને હિંસા કઈ રીતે રોકાય તેવા મુદ્દા પર ચિંતન કરીશું.
સુરત ખજોદ ડમ્પિંગ સાઇટ પર ભયાનક આગ: AAP પાયલ સાકરીયાએ મનપા બેદરકારી અને 300 કરોડ કચરા કૌભાંડનો ખુલાસો કર્યો. 15 દિવસની ચેતવણી પછી પણ કાર્યવાહી નહીં, ભાજપ કોન્ટ્રાક્ટરને બચાવવાનો આરોપ. સ્વતંત્ર તપાસ અને કાર્યવાહીની માંગ. વિગતો જુઓ.
AAP નેતા પિયુષ પરમારે SIRમાં મતદારોના નામ કાપવા મુદ્દે ચોંકાવનારો ખુલાસો કર્યો: ભાજપે 12 લાખ+ ફોર્મ ભરી સામાન્ય મતદારોનો અધિકાર છીનવ્યો. એક નામે 800+ અરજીઓ, કાર્યકર્તાઓને ખબર નહીં. પુરાવા સાથે આરોપ, ચૂંટણી પંચને જવાબદારી. તાજા અપડેટ જુઓ.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવું અભિયાન શરૂ કર્યું: “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું”. ગોપાલ ઇટાલીયાએ ભાજપની બાપ-બેટાની રાજનીતિ, બુલડોઝર દાદાગીરી અને શોષણ પર આકરા પ્રહાર કર્યા. ગલી-ગલી પહોંચશે AAP, પીડિતોની સાથે છે. તાજા અપડેટ જુઓ.