Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ભાજપ સરકાર 10 માંગણીઓ પૂરી નહીં કરે તો AAP આંદોલન છેડશે: ઈસુદાન ગઢવી

ભાજપ સરકાર 10 માંગણીઓ પૂરી નહીં કરે તો AAP આંદોલન છેડશે: ઈસુદાન ગઢવી

કડદા પ્રથા નાબૂદ કરવામાં આવે, હડદડ કાંડ અને સાબર ડેરી આંદોલનમાં ખેડૂતો પર કરવામાં આવેલા કેસોને દૂર કરવામાં આવે, ખેડૂતોને પંજાબની AAP સરકારની જેમ હેકટરે ₹50,000નું વળતર ચૂકવવામાં આવે, આવી કુલ 10 માંગો પર ખેડૂતોએ પોતાનું સમર્થન દર્શાવે છે: ઈસુદાન ગઢવી.

Ahmedabad December 15, 2025
ભાજપ સરકાર 10 માંગણીઓ પૂરી નહીં કરે તો AAP આંદોલન છેડશે: ઈસુદાન ગઢવી

ભાજપ સરકાર 10 માંગણીઓ પૂરી નહીં કરે તો AAP આંદોલન છેડશે: ઈસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત ; ખેડૂતોની માંગણીઓને મુદ્દે આવતીકાલે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા જશે. આ અંગે મીડિયા સાથે વાત કરતા AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર ખેડૂતો સાથે સતત અન્યાય કરી રહી છે.  જેના વિરોધમાં અમે આંદોલન છેડ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કર્યા બાદ રાજ્ય સરકારે કડદા પ્રથા ઓફિશિયલી બંધ કરી. આમ આદમી પાર્ટીએ રાજ્યમાં 9 કિસાન મહાપંચાયત કરી. સાથે સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત 8000થી વધુ ગામડાઓમાં કિસાન ન્યાય પંચાયત પણ કરી. ખેડૂતોને લઇને અમારા 10 મુદ્દાઓને લઇને જે માંગણીઓ છે તે માટે ખેડૂતોનું હસ્તાક્ષર કેમ્પિંગ ચલાવવામાં આવ્યું હતું. ગામડે-ગામડે અને તાલુકે-તાલુકે જઇને અમારી ટીમે ખેડૂતોના હસ્તાક્ષર લીધા હતા. લગભગ 80 હજારથી વધુ ખેડૂતોએ હસ્તાક્ષર કરીને 10 મુદ્દાઓ પર પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી જે 10 માંગ છે, પ્રથમ માંગ છે કે તમામ મંડીઓમાંથી “કડદા પ્રથા” તાત્કાલિક બંધ કરવી. કડદા કરનારાઓને જેલ ભેગા કરવામાં આવે. 2. ખેડૂતોના પાકને APMC માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ન આવે. 3. સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક પાકના ખેડૂત / ભાગીયાઓને પંજાબ સરકારની જેમ, પ્રતિ હેક્ટર ₹50,000નું વળતર આપવું અને એક મહિનામાં જ ચુકવવાની જોગવાઈ કરવામાં આવે. 4. ડેરીમાં પશુપાલકોને તમામ સંઘોમાં ભાવફેરનો હિસાબ સીધો તેમના ખાતામાં અને સમયસર આપવામાં આવે. 5. ખેડૂતોને દિવસમાં 12 કલાક મફત વીજળી આપવામાં આવે. 6. હડદડ અને સાબર ડેરી આંદોલનમાં ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે અને જેલમાં બંધ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. 7. તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા MSP (ન્યુનત્તમ આધારભાવ) પર કરવામાં આવે. 8. ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરાવવામાં આવે. 9. શેરડીના ઉત્પાદક ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકી ચૂકવણી કરવામાં આવે અને બંધ સુગર મિલો ફરી શરૂ કરવામાં આવે. 10. CCI દ્વારા કપાસની ખરીદી ડિસેમ્બરને બદલે 1 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવે. આ માંગણીઓને લઈને મુખ્યમંત્રી પાસે અમે મળવાનો સમય માંગ્યો છે. આવતીકાલે બપોરે 12:00 વાગ્યે મારા સહિત ધારાસભ્ય અને અમારું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળવા જશે. મુખ્યમંત્રીને આ 10 માંગણી અંગે રજૂઆત કરીશું. ભાજપ જો આ માંગણી પૂરી નહીં કરે તો આમ આદમી પાર્ટી આંદોલન છેડશે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મતદારોના નામ કાપવા મુદ્દે AAP નેતા પિયુષ પરમારે પૂરાવા સાથે ભાજપ પર કર્યા આકરા પ્રહાર
ahmedabad
February 02, 2026

મતદારોના નામ કાપવા મુદ્દે AAP નેતા પિયુષ પરમારે પૂરાવા સાથે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

AAP નેતા પિયુષ પરમારે SIRમાં મતદારોના નામ કાપવા મુદ્દે ચોંકાવનારો ખુલાસો કર્યો: ભાજપે 12 લાખ+ ફોર્મ ભરી સામાન્ય મતદારોનો અધિકાર છીનવ્યો. એક નામે 800+ અરજીઓ, કાર્યકર્તાઓને ખબર નહીં. પુરાવા સાથે આરોપ, ચૂંટણી પંચને જવાબદારી. તાજા અપડેટ જુઓ.

AAP ગુજરાત અભિયાન લોન્ચ: “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું” નારા સાથે ગોપાલ ઇટાલીયાની પ્રેસ કોન્ફરન્સ
ahmedabad
February 02, 2026

AAP ગુજરાત અભિયાન લોન્ચ: “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું” નારા સાથે ગોપાલ ઇટાલીયાની પ્રેસ કોન્ફરન્સ

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવું અભિયાન શરૂ કર્યું: “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું”. ગોપાલ ઇટાલીયાએ ભાજપની બાપ-બેટાની રાજનીતિ, બુલડોઝર દાદાગીરી અને શોષણ પર આકરા પ્રહાર કર્યા. ગલી-ગલી પહોંચશે AAP, પીડિતોની સાથે છે. તાજા અપડેટ જુઓ.

નારા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અભિયાનની શરૂઆત કરવામાં આવી: મનોજ સોરઠીયા
ahmedabad
February 02, 2026

નારા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અભિયાનની શરૂઆત કરવામાં આવી: મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવું કેમ્પેઇન લોન્ચ કર્યું: “ના બેટાનું ના બાપનું, ગુજરાત હવે AAPનું”. મનોજ સોરઠીયાએ જણાવ્યું કે છેલ્લા 30 વર્ષના શોષણ સામે જાગૃતિ અભિયાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે પોસ્ટર અને કાર્યકર્તાઓ ગામડે-ગામડે પહોંચશે. તાજા અપડેટ જુઓ.

Braking News

બજેટ સત્રઃ સંસદના બજેટ સત્રની તારીખ આવી ગઈ! 31મી જાન્યુઆરીથી શરૂ થશે
બજેટ સત્રઃ સંસદના બજેટ સત્રની તારીખ આવી ગઈ! 31મી જાન્યુઆરીથી શરૂ થશે
January 11, 2024

સંસદનું બજેટ સત્રઃ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ સત્રને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
June 07, 2023
કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
May 30, 2023
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
The Incredible Axolotl: એ સલામેન્ડર વિથ સુપરપાવર
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express