જે લોકો વર્ષોથી રહેતા હતા, AMC એમના બંગલા તોડવા જઈ રહી છે: ઈસુદાન ગઢવી
અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં સ્નેહાંજલિ સોસાયટીમાં અંદાજે બે કરોડની કિંમતના 25 બંગલો આવેલા છે. 30 વર્ષ બાદ આ તમામ મકાન ગેરકાયદેસર છે તેવું કહેવામાં આવતા રહીશો ચિંતામાં મૂકાયા છે.
અમદાવાદ / ગુજરાત : અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં સ્નેહાંજલિ સોસાયટીમાં અંદાજે બે કરોડની કિંમતના 25 બંગલો આવેલા છે. 30 વર્ષ બાદ આ તમામ મકાન ગેરકાયદેસર છે તેવું કહેવામાં આવતા રહીશો ચિંતામાં મૂકાયા છે. આ મુદ્દે વાત કરતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કેટલી લોલમલોલ ચાલે છે તે આ ઘટના પરથી સાબિત થાય છે. મુખ્યમંત્રીનાં મતવિસ્તારમાં સ્નેહાંજલિ સોસાયટીમાં જે પ્લોટ પર બંગલા બનાવવાના હતા, એની જગ્યાએ બિલ્ડરે બીજા પ્લોટમાં બંગલા બનાવ્યા અને 30 વર્ષ બાદ AMCને આની જાણ થઈ, તો હવે આમાં ભૂલ કોની છે ? હજારો કરોડ રૂપિયા બિલ્ડરે કમાઈ લીધા.
આ જ મુખ્યમંત્રીનાં મત વિસ્તારમાં આવેલ એ બંગલા જેમાં વર્ષોથી લોકો રહેતા તે બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 30 વર્ષે જ્ઞાન થયું છે અને હવે તોડવા નિકળ્યા છે. જે લોકોએ આ સોસાયટીમાં બંગલા ખરીદ્યા છે તેનો શું વાંક? બિલ્ડરે છેતરપિંડી કરી છે તેને પકડો. એમાં પણ 41 કરોડની નોટિસ પાઠવવામાં આવી છે, તો આ 41 કરોડ બિલ્ડર પાસેથી લો. જે બિલ્ડરે આ બંગલા વેચ્યા છે તેના પર કલમ 420ની ફરિયાદ થવી જોઇએ અને બિલ્ડરને જેલમાં ધકેલવા જોઇએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ સોસાયટીમાં જે લોકોનો પ્લોટ છે તેને બીજી જગ્યાએ પ્લોટ આપવો જોઇએ. ભાજપે બંગલામાં રહેતા માલિકો અને વૃદ્ધોને રોડ પર કરી લીધા છે. આ લોકો અગાઉ મુખ્યમંત્રીને પણ મળવા ગયા હતા. જો આવતીકાલે અમને મુખ્યમંત્રીએ સમય આપ્યો તો આ સોસાયટીનો મુદ્દો પણ ઉઠાવીશ અને કહીશ તે તમારાથી ન થતું હોય તો અમે કરી દઇએ. 30 વર્ષથી જે ઘરમાં રહે છે તે ઘરમાં બુલડોઝર ફેરવી દેવામાં આવશે તો આ લોકો ક્યાં જશે ? એમાં પણ અધિકારીઓ અને બિલ્ડરોની ભુલનાં કારણે, જેને બંગલા ખરીદ્યા છે તેની કોઇ ભૂલ નથી. આ સરકાર ચાલે છે કે સર્કસ ચાલે છે તે જ ખબર પડતી નથી.
સુરત ખજોદ ડમ્પિંગ સાઇટ પર ભયાનક આગ: AAP પાયલ સાકરીયાએ મનપા બેદરકારી અને 300 કરોડ કચરા કૌભાંડનો ખુલાસો કર્યો. 15 દિવસની ચેતવણી પછી પણ કાર્યવાહી નહીં, ભાજપ કોન્ટ્રાક્ટરને બચાવવાનો આરોપ. સ્વતંત્ર તપાસ અને કાર્યવાહીની માંગ. વિગતો જુઓ.
AAP નેતા પિયુષ પરમારે SIRમાં મતદારોના નામ કાપવા મુદ્દે ચોંકાવનારો ખુલાસો કર્યો: ભાજપે 12 લાખ+ ફોર્મ ભરી સામાન્ય મતદારોનો અધિકાર છીનવ્યો. એક નામે 800+ અરજીઓ, કાર્યકર્તાઓને ખબર નહીં. પુરાવા સાથે આરોપ, ચૂંટણી પંચને જવાબદારી. તાજા અપડેટ જુઓ.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવું અભિયાન શરૂ કર્યું: “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું”. ગોપાલ ઇટાલીયાએ ભાજપની બાપ-બેટાની રાજનીતિ, બુલડોઝર દાદાગીરી અને શોષણ પર આકરા પ્રહાર કર્યા. ગલી-ગલી પહોંચશે AAP, પીડિતોની સાથે છે. તાજા અપડેટ જુઓ.