આમ આદમી પાર્ટીના નેતાઓને મળી મોટી જીત, ખોટા કેસો સંપૂર્ણ રીતે રદ્દ થયા : દુર્ગેશ પાઠક
આજે માત્ર ટ્રાયલમાં નહીં, પરંતુ સીબીઆઈનો કેસ સંપૂર્ણ રીતે ખતમ થયો,આ કેસમાં મને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો : દુર્ગેશ પાઠક AAP
અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટી ગુજરાત સહ-પ્રભારી દુર્ગેશ પાઠકે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે મન થોડુક ભાવુક છે. હું આ દેશની કોર્ટનો ખૂબ-ખૂબ આભાર માનું છું. કહેવાય છે કે ભગવાન ન્યાય કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી મોદીજીએ આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો, અરવિંદ કેજરીવાલને બદનામ કરવાનો પ્રયાસ કર્યો, મનીષ સિસોદિયાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો અને આખી આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ અમે કહેતા હતા કે આ ખોટા કેસ છે અને બધા આરોપ ખોટા છે. આજે માત્ર ટ્રાયલમાં નહીં, પરંતુ ચાર સ્તર પર કેસ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયો છે. સીબીઆઈનો કેસ સંપૂર્ણ રીતે ખતમ થયો. આ કેસમાં મને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો. આજે મારા ઉપર પણ કેટલાય કેસ થયા છે, કેટલીય વખત સીબીઆઈ અને ઈડીએ બોલાવ્યો છે. આજે ખૂબ મોટી જીત મળી છે. અમે આ દેશને બદલવા માટે આવ્યા છીએ. આ દેશમાં નવી પ્રકારની રાજનીતિ સ્થાપવા માટે આવ્યા છીએ. અમારો માત્ર એક જ ઉદ્દેશ છે, દેશની સ્કૂલ,હોસ્પિટલ સારી બનાવવી, અને અમે સર્વોત્તમ કારકિર્દી છોડીને આ કાર્ય માટે આવ્યા છીએ.જેમણે અમારી ઉપર વિશ્વાસ રાખ્યો અને અમારી સાથે ઊભા રહ્યા તે તમામનો ખૂબ-ખૂબ આભાર.
આમ આદમી પાર્ટી ગુજરાત
પુરાવાના અભાવે નિર્દોષ જાહેર થતાં AAPમાં નવી ઊર્જા. ચૈતર વસાવાએ કહ્યું - ભાજપના દુરુપયોગ પછી સત્ય જીત્યું, ગુજરાતના કાર્યકરો ઉત્સાહિત. આવનારા દિવસોમાં સત્ય ખુલ્લું પાડીશું.
હજારો વખત જૂઠું બોલીને AAPને નષ્ટ કરવાનો પ્રયાસ. કોર્ટે કહ્યું - કોઈ પુરાવો નથી. ગોપાલ રાયે કહ્યું - એજન્સીઓનો દુરુપયોગ કરી સત્તા ટકાવી છે ભાજપે. લોકતંત્ર જીવંત છે.
ભાણખોખરીમાં AAP જનસભા: ઈસુદાન ગઢવીએ કંપનીઓ દ્વારા પોલીસ ભાડે લેવાનો ખુલાસો કર્યો. ફાર્મહાઉસ વેચીને ખેડૂતો-મહિલાઓને મદદ. 8 માર્ચે ગાંધીનગરમાં મહાસંમેલન.