દાહોદના જેકોટ રેલ્વે સ્ટેશન પર દાહોદ થી આણંદ જતી મેમુ 09350 ટ્રેનના એન્જિનની પાછળના ડબ્બામાં આગ લાગતા અફરા તફરીનો માહોલ
દાહોદથી 10 કી. મી દૂર જેકોટ રેલ્વે સ્ટેશન પર મુસાફરો ઉતારી ટ્રેન ઉપડી રહી હતી. તે દરમિયાન અચાનક જ મેમુ ટ્રેનના ઇન્જીનને અડીને આવેલ પાછળના ડબ્બામાં ધુમાડો નીકળતા નાસભાગના દ્રશ્ય સર્જાયા હતા.
આજે તા.૧૫/૦૯/૨૦૨૩ ને શુક્રવારના રોજ રોજિંદા દિવસની જેમ દાહોદથી મુસાફરો ભરી 09350 નંબરની મેમુ ટ્રેન 11:38 કલ્લાકે ઉપડી આણંદ જઈ રહી હતી. તે દરમિયાન દાહોદથી 10 કી. મી દૂર જેકોટ રેલ્વે સ્ટેશન પર મુસાફરો ઉતારી ટ્રેન ઉપડી રહી હતી. તે દરમિયાન અચાનક જ મેમુ ટ્રેનના ઇન્જીનને અડીને આવેલ પાછળના ડબ્બામાં ધુમાડો નીકળતા નાસભાગના દ્રશ્ય સર્જાયા હતા.
જોત જોતામાં ઇન્જીનને અડીને આવેલ ડબ્બામાં આગના ગોટેગોટા નીકળ્યા હતા. જેની જાણ રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓને તથા તેઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ને ઘટનાની જાણ દાહોદ ફાયર વિભાગને કરીને તેઓને બોલાવી ભારે જેહમત બાદ આગને કાબુ કરી હતી. ટ્રેનમાં આગ લાગવાની જાણ વાયુવેગે ફેલાતા દાહોદ ASP કે.સિદ્ધાર્થ પોલીસ કાફલાં સાથે જેકોટ ગામે પહોંચ્યાં હતા. મુસાફરો ભરેલી ટ્રેનંમાં આગ લાગતા કોઈ જાનહાનિ ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.