અમદાવાદ ડિવિઝને એપ્રિલ 2023 થી જાન્યુઆરી 2024 સુધી વિવિધ ટિકિટ ચેકિંગ ઝુંબેશથી 23.02 કરોડની આવક પ્રાપ્ત કરી
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં તમામ કાયદેસરના યાત્રીઓને આરામદાયક યાત્રા અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા તથા રેલ ટ્રાફિકમાં અનધિકૃત યાત્રાને અટકાવવા માટે મેલ/એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વગરના/અનિયમિત યાત્રીઓને નિયંત્રિત કરવા માટે સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
રેલ ટ્રાફિકમાં અનધિકૃત યાત્રાને અટકાવવા માટે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, અમદાવાદ શ્રી પવન કુમાર સિંહના નેનૃત્વમાં વિવિધ પ્રકારની ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ વર્ષે, જાન્યુઆરી 2024 ના અંત સુધીમાં, અમદાવાદ ડિવિઝન દ્વારા વધુ ને વધુ ટિકિટ ચેકિંગ સ્ટાફની મદદથી જેમાં મહિલા ટિકિટ ચેકિંગ સ્કવોડ સહિત ના સહયોગ થી મણિનગર-નડિયાદ, અસારવા-દહેગામ, મહેસાણા પાલનપુર, પાલનપુર-ગાંધીધામ સેક્શન અને અમદાવાદ સ્ટેશન પર વિવિધ પ્રકારની ટિકિટ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ મોટા પાયે થયેલ ચેકિંગ દરમિયાન 29885 કેસ નોંધાયા હતા અને રૂ. 2.01 કરોડથી વધુની વસૂલાત કરવામાં આવી હતી જે ગયા વર્ષની સરખામણીમાં 22.78 ટકા વધુ છે. આ વર્ષે ડિવિઝન દ્વારા એપ્રિલ-2023 થી જાન્યુઆરી-2024 સુધીમાં ટિકિટ વગરના, અનિયમિત ટિકિટ, બુક કર્યા વગરના માલના કુલ 3.21 લાખ કેસ અને રૂ. 23.02 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.
તમામ યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ માત્ર યોગ્ય ટ્રેન ટિકિટ પર જ યાત્રા કરે, આનાથી તમે રેલવેની પ્રગતિમાં યોગદાન આપીને સન્માનપૂર્વક યાત્રા પણ કરી શકશો.
રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026 માં 'આપ' 7% વધુ મત મેળવશે તો ભાજપ-કોંગ્રેસના સમીકરણો બદલાશે. જાણો ગત ચૂંટણીના ચોંકાવનારા આંકડા અને વિશ્લેષણ.
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકાર દ્વારા ₹60 કરોડના ખર્ચે અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર કરવામાં આવ્યું છે. 24,436 ચો.મી.માં ફેલાયેલા આ 8 માળના ભવનમાં 858 બેડની ક્ષમતા છે, જે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા માટે સુરક્ષિત આશરો પૂરો પાડશે. અહીં 280 લોકોની ક્ષમતા ધરાવતી કેન્ટીન, આધુનિક રસોડું, બેંક ATM, લોકર રૂમ અને પાર્કિંગ જેવી હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2026ના 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમમાં 'નાગરિક દેવો ભવઃ'ના અભિગમ સાથે જનતાની સમસ્યાઓ સાંભળી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ 100 થી વધુ, જિલ્લા કક્ષાએ 1218 અને તાલુકા કક્ષાએ 2294 રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ વૃદ્ધ માતાને પડતી હેરાનગતિ રોકવા, દાંતીવાડા યુનિવર્સિટીમાં બાળકો માટે શાળાનું બાંધકામ કરવા અને ખેડૂતોના જમીન સંપાદન તથા ખેતીના પ્રશ્નો ઉકેલવા વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે.