અમદાવાદ મંડળ દ્વારા રેલવે પરિસરમાં થૂંકવા અને ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા રેલવે પરિસરમાં સ્વચ્છતા જાળવવા તથા યાત્રીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાના હેતુથી રેલવે અધિનિયમ, 1989 ની કલમ 198 તથા 167 અંતર્ગત 12 જાન્યુઆરી 2026ના રોજ એક વિશેષ સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
12 જાન્યુઆરીના રોજ 158 લોકો સામે કાર્યવાહી, ₹23,950 નો દંડ વસૂલવામાં આવ્યો
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા રેલવે પરિસરમાં સ્વચ્છતા જાળવવા તથા યાત્રીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાના હેતુથી રેલવે અધિનિયમ, 1989 ની કલમ 198 તથા 167 અંતર્ગત 12 જાન્યુઆરી 2026ના રોજ એક વિશેષ સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાન દરમિયાન અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો અને રેલવે પરિસરોમાં કુલ 158 કેસોમાં કાર્યવાહી કરવામાં આવી, જેમાંથી ₹23,950નો દંડ વસૂલવામાં આવ્યો.
અમદાવાદ સ્ટેશન: 69 કેસમાં ₹11,800
* સાબરમતી: 13 કેસમાં ₹1,400
* મહેસાણા: 5 કેસમાં ₹1,000
* પાલનપુર: 17 કેસમાં ₹2,500
* વિરમગામ: 6 કેસમાં ₹750
* ગાંધીધામ: 18 કેસમાં ₹3,100
ઉપરાંત,Sr DCMSQD દ્વારા 30 કેસોમાં ₹3,400 નો દંડ વસૂલવામાં આવ્યો.
આ સમગ્ર અભિયાન દરમિયાન વિવિધ સ્થળોએ કુલ 22 રેલવે કર્મચારીઓની તૈનાતી કરી સઘન દેખરેખ અને અસરકારક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી.
રેલવે પ્રશાસન મુસાફરો તથા સામાન્ય જનતાને અપીલ કરે છે કે રેલવે પરિસર અને ટ્રેનોમાં થૂંકવું તથા ગંદકી ફેલાવવાથી દૂર રહે અને સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન કરે. સ્વચ્છ રેલવે અને સુરક્ષિત રેલવેના નિર્માણ માટે સૌનો સહયોગ અત્યંત આવશ્યક છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.