અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કતરા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે
ઉત્તર રેલવેના જાલંધર યાર્ડમાં એન્જિનિયરિંગના કાર્ય હેતુ બ્લોક લેવાના કારણે અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કતરા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે.
ઉત્તર રેલવેના જાલંધર યાર્ડમાં એન્જિનિયરિંગના કાર્ય હેતુ બ્લોક લેવાના કારણે અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કતરા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ થી ચાલશે.જેની વિગતો નીચે મુજબ છે.
18, 25 ફેબ્રુઆરી અને 03,10,17 માર્ચ 2024ના અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19415 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કતરા એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા જાલંધર-મુકેરિયાં-પઠાણકોટના રસ્તે ચાલશે. આ ટ્રેન બ્યાસ, અમૃતસર અને બટાલા સ્ટેશનો પર નહીં જાય.
20, 27 ફેબ્રુઆરી અને 05, 12, 19 માર્ચ 2024 ના શ્રી માતા વૈષ્ણો દેવી કતરાથી ચાલતી ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણોદેવી કટડા -અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા પઠાણકોટ-મુકેરિયાં-જાલંધરના રસ્તે ચાલશે. આ ટ્રેન બટાલા, અમૃતસર અને બ્યાસ સ્ટેશનો પર નહીં જાય
ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે
મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.