Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નર્મદા જિલ્લાના ૬૦ ગામોમાં પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને મળ્યા આયુષ્યમાન કાર્ડ

નર્મદા જિલ્લાના ૬૦ ગામોમાં પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને મળ્યા આયુષ્યમાન કાર્ડ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નર્મદા જિલ્લાના ગામેગામ પરિભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે જરૂરતમંદ નાગરિકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પણ મળી રહ્યા છે.સંકલ્પ યાત્રા દરમિયાન આરોગ્ય તંત્ર દ્વારા કુલ ૬૮૪૦ નવા આયુષ્યમાન કાર્ડ બનાવી સ્થળ ઉપર જ વિતરણ કરાયા.

Rajpipla December 01, 2023
નર્મદા જિલ્લાના ૬૦ ગામોમાં પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને મળ્યા આયુષ્યમાન કાર્ડ

નર્મદા જિલ્લાના ૬૦ ગામોમાં પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને મળ્યા આયુષ્યમાન કાર્ડ

રાજપીપલા : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નર્મદા જિલ્લાના ગામેગામ પરિભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે જરૂરતમંદ નાગરિકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પણ મળી રહ્યા છે. નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૬ ગામોમાં
વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી તેમાં ૬૦ ગામોના પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લઇ આયુષ્યમાન કાર્ડ કાઢી આપ્યા છે. આ ૬૦ ગામોમાં આયુષ્યમાન કાર્ડ યોજનાને સેચ્યુરેશન પોઈન્ટ ઉપર લઇ જઇને વડાપ્રધાનશ્રીની સંકલ્પના સાકાર કરવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્ર પાસેથી ઉપલબ્ધ થયેલી વિગતો મુજબ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન કુલ ૬૮૪૦ નવા આયુષ્યમાન કાર્ડ બનાવી સ્થળ ઉપર જ વિતરણ કરવામાં આવ્યા છે તેની સાથે યોજાતા આરોગ્ય કેમ્પનો ૧૪૧૭૧ લાભાર્થીઓએ લાભ લીધો છે. સાથેસાથે ૯૭૯૮ દર્દીઓની ટીબી તપાસ તથા ૪૭૧૬ દર્દીઓની સિકલસેલ એનેમિયાની તપાસ કરવામાં આવી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી સંકલ્પ જાહેર કર્યો હતો કે સરકારની તમામ કલ્યાણકારી યોજનાનો લાભ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને મળે એવા પ્રયાસો કરવામાં આવશે અને તે પ્રયાસોમાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સેવાઆહૂતિ આપવામાં આવી રહી છે.

નર્મદા જિલ્લાના વિવિધ ગામોમાં ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ૬૨ ગામોમાં જલ જીવન મિશન, ૬૬ ગામોમાં જનધન યોજના, ૬૬ ગામોમાં પીએમ કિસાન સમૃદ્ધિ યોજના, ૬૬ ગામોમાં જમીન રેકર્ડ ડિઝીટાઇઝેશનની સો ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. એટલે કે, આટલી યોજનાઓને આ ગામોમાં સેચ્યુરેશન પોઇન્ટ ઉપર લઇ જવામાં આવી છે.

સાથે સાથે, વિશિષ્ઠ પ્રતિભા ધરાવતા સ્થાનિક ગ્રામજનોનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ૭૦ છાત્રો, ૧૮૪ મહિલા પ્રતિભાઓ, ૩૬ રમતવીરો અને ૩૧ કલાકારોનું ગ્રામજનોની ઉપસ્થિતિમાં બહુમાન કરવામાં આવ્યું છે. આમ, નર્મદા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્ર જિલ્લા વહીવટી તંત્ર માટે જનસેવાની તક લઇ આવી છે અને તેના માધ્યમથી જનકલ્યાણની યોજનાઓનો લાભ લાભાર્થીઓને ગામે જઇ આપવામાં આવી રહ્યો છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

ભીમ આર્મીના વડા ચંદ્રશેખર પર ઘાતક હુમલામાં વપરાયેલી કાર મળી, આરોપી ફરાર
ભીમ આર્મીના વડા ચંદ્રશેખર પર ઘાતક હુમલામાં વપરાયેલી કાર મળી, આરોપી ફરાર
June 29, 2023

પોલીસે ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ પર હુમલામાં વપરાયેલી કાર કબજે કરી લીધી છે. આ કાર દેવબંદ પાસેના એક ગામમાં પાર્ક કરેલી મળી આવી હતી. કાર એક ઘરની બહાર પાર્ક કરી હતી, જે ચારેય લોકોએ કાર ત્યાં રાખી હતી તેમના મોબાઈલ નંબર હાલમાં સ્વીચ ઓફ છે. પોલીસ તેમને કસ્ટડીમાં લઈને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
February 22, 2023
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
બ્રિટિશ સત્તાવાળાઓ 35 વર્ષથી જેલમાં બંધ સ્ત્રીને ભૂલી ગયા: ફોજદારી ન્યાય સુધારણાની તાત્કાલિક જરૂરિયાત
બ્રિટિશ સત્તાવાળાઓ 35 વર્ષથી જેલમાં બંધ સ્ત્રીને ભૂલી ગયા: ફોજદારી ન્યાય સુધારણાની તાત્કાલિક જરૂરિયાત
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express