પાટણના વિલાજ દ્વારા અમદાવાદના આંગણે અમરનાથ ધામ બનાવાયું
પાટણ બિલ્ડર્સ એ અમદાવાદમાં સુંદર અમરનાથ ધામનું નિર્માણ કર્યું છે.
(પ્રતિનિધિ દ્વારા નિતીન ઠાકર)ચાણસ્મા: પાટણના બિલ્ડર લાલેશભાઈ ઠક્કર અને કનુભાઈ દ્વારા વિલાજ ગ્રુપના બેનર નીચે અમદાવાદના એસજી હાઇવે ઉપર આવેલા બાલાજી મંદિર ની નજીક એરિસ્ટો એન્ડ રિસોર્ટ ની જગ્યામાં અમરનાથ બર્ફીલા શિવાલયનું દર્શન થાય તે માટે તેમજ બદ્રીનાથ કેદારનાથ ના દર્શનની અનુભૂતિ થાય તે માટે રમણીય સ્થળ બનાવવામાં આવ્યું છે.
અમદાવાદ વાસીઓ આ ધાર્મિક સ્થળનું પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે સવારે 9:00 વાગ્યાથી જ અમદાવાદ ખાતે બનાવવામાં આવેલા અમરનાથ ધામમાં દર્શનાર્થે ભક્તજનોની ભીડ જામે છે પવિત્ર શ્રાવણ માસમાં ઉત્તર ભારતના યાત્રાધામ એવા બદ્રીનાથ કેદારનાથ તેમજ બરફીલા શિવજીના લિંગ એ અનુભૂતિ તેમજ તેના દર્શન કરી શકે તેવા શુભ હેતુથી અમદાવાદ ખાતે અમરનાથ ધામનું હંગામી ધોરણે 18 સપ્ટેમ્બર સુધી નિર્માણ કરાયું હોવાનું વિલાજ ગ્રુપના લાલેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."