મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માછીમારોના વ્યાપક હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
માછીમારીની હોડીમાં વપરાતા હાઈસ્પીડ ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં ટ્રીપવાર મળવાપાત્ર ડિઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરાયો.
ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે, અને એટલે જ ગુજરાતમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે પણ વિકાસની પુષ્કળ સંભાવનાઓ રહેલી છે. રાજ્યના માછીમારો દરિયો ખેડીને માછીમારીમાં સારું ઉત્પાદન મેળવી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ માછીમારોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. યાંત્રિક હોડીમાં (બોટમાં) વપરાતા હાઈસ્પીડ ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં હોર્સપાવર દીઠ ટ્રીપવાર મળવાપાત્ર ડિઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા હેઠળ માછીમારીની ૨૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રિક હોડીમાં (બોટમાં) વપરાતા હાઈસ્પીડ ડીઝલ પર ૧૦૦ ટકા વેટ રાહત આપવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત માછીમારોને હોર્સપાવર દીઠ ટ્રીપવાર ડીઝલના જથ્થા પર વેટ રાહત આપવામાં આવે છે. હોર્સપાવર દીઠ ટ્રીપવાર મળવા પાત્ર ડીઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરવા મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
મંત્રી શ્રી રાઘવજી પટેલે આ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યના માછીમારોને અગાઉ ૧ થી ૪૪ હોર્સપાવરની યાંત્રિક હોડીમાં ૨૫૦ લીટર ટ્રીપવાર મહત્તમ ડીઝલ અપાતું હતું, જેની મર્યાદા વધારીને ૩૦૦ લીટર કરાઈ છે. તેવી જ રીતે ૪૫ થી ૭૫ હોર્સપાવરની હોડીમાં ૫૦૦ લીટર ડિઝલના જથ્થમાં ૧૦૦ લીટરનો વધારો કરવામાં આવ્યો છે, જેથી ટ્રીપવાર ડીઝલના જથ્થાની મર્યાદા ૬૦૦ લીટર રહેશે. એ જ રીતે ૭૫ થી ૧૦૦ હોર્સપાવર તેમજ ૧૦૧થી વધુ હોર્સપાવરની હોડીના ડીઝલ જથ્થામાં ૨૦૦ લીટરનો વધારો કરી, ૪,૦૦૦ લીટરની જગ્યાએ નવો ટ્રીપવાર જથ્થો ૪૨૦૦ લીટર જથ્થો અપાશે.
મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, મત્સ્યોદ્યોગ ખાતાના આ મહત્વપૂર્ણ નિર્ણયથી માછીમારો અને માછીમારી એસોસિએશનમાં આનંદની લાગણી છવાઈ જશે. અત્યારના સમયમાં માછીમારોએ માછીમારી માટે દરિયામાં ઘણા ઊંડે સુધી જવું પડતું હોય છે, અને એટલે જ તેમની ટ્રીપના દિવસોમાં પણ વધારો થયો છે. રાજ્યના વિવિધ માછીમારી એસોસિએશન દ્વારા જથ્થામાં વધારો કરવા અંગે મળેલી રજૂઆતોને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા આ હકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી રાજ્યમાં માછીમારીના ઉત્પાદનમાં ચોક્કસપણે વધારો તો થશે જ અને સાથે સાથે માછીમારોને માછીમારીમાં થતા ખર્ચમાં પણ રાહત મળતા તેમનું આર્થિક ભારણ ઘટશે.
વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!
ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ નિઝામાબાદ આતંકવાદી ષડયંત્ર કેસના સંબંધમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે જોડાયેલા એક મુખ્ય હથિયાર પ્રશિક્ષકની ધરપકડ કરી છે. આરોપી, ધારેલી ઓળખ હેઠળ જીવતો હતો, હથિયારોની તાલીમ આપતી વખતે યુવાનોની ભરતી અને કટ્ટરપંથી કરવામાં સક્રિય રીતે સામેલ હતો. ધરપકડ ભારતમાં સાંપ્રદાયિક સૌહાર્દને વિક્ષેપિત કરવાના PFIના એજન્ડા પર પ્રકાશ પાડે છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની તપાસમાં અન્ય વ્યક્તિની સંડોવણી પણ બહાર આવી છે જે હાલમાં ફરાર છે. આ કેસ, શરૂઆતમાં તેલંગાણા પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો હતો, જે બાદમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા લેવામાં આવ્યો હતો.