Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નર્મદામાં આંગણવાડી ક્રાંતિ! ૨૬૭ કેન્દ્રોનું નવીનીકરણ પૂર્ણ, બાળકોને મળશે સ્વચ્છ-સુંદર વાતાવરણ

નર્મદામાં આંગણવાડી ક્રાંતિ! ૨૬૭ કેન્દ્રોનું નવીનીકરણ પૂર્ણ, બાળકોને મળશે સ્વચ્છ-સુંદર વાતાવરણ

નર્મદા જિલ્લામાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’માં મોટી સફળતા. ૧૬ જાન્યુઆરીથી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન ૬૬૫માંથી ૨૬૭ આંગણવાડી કેન્દ્રોનું રિનોવેશન પૂર્ણ, ૩૯૮માં કામ ચાલુ. રંગરોગાન, સ્વચ્છતા, સુરક્ષિત માળખું અને આકર્ષક વાતાવરણથી બાળકોને મળશે શ્રેષ્ઠ સુવિધા. શ્રેષ્ઠ કેન્દ્રોને પુરસ્કાર! વાંચો વિગતો.

Narmada February 11, 2026
નર્મદામાં આંગણવાડી ક્રાંતિ! ૨૬૭ કેન્દ્રોનું નવીનીકરણ પૂર્ણ, બાળકોને મળશે સ્વચ્છ-સુંદર વાતાવરણ

નર્મદામાં આંગણવાડી ક્રાંતિ! ૨૬૭ કેન્દ્રોનું નવીનીકરણ પૂર્ણ, બાળકોને મળશે સ્વચ્છ-સુંદર વાતાવરણ

રાજપીપલા : નર્મદા જિલ્લામાં આંગણવાડીઓના નવીનીકરણની ઝુંબેશ અંતર્ગત કુલ- ૬૬૫ આંગણવાડીઓમાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ૨૬૭ કેન્દ્રોમાં સમારકામ પૂર્ણ
કરવામાં આવ્યું છે. જયારે ૩૯૮ કેન્દ્રોમાં કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના આંગણવાડી કેન્દ્રોને વધુ સુદ્રઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના હેતુથી તા. ૧૬ જાન્યુઆરીથી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન 'આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ' હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં કાર્યરત કુલ-૯૫૫ આંગણવાડી કેન્દ્રો પૈકી પોતાના મકાન ધરાવતા કુલ-૬૬૫ આંગણવાડી કેન્દ્રોમાં આ ઝુંબેશ અંતર્ગત રંગકામ, નાના-મોટા સમારકામ, અંદર-બહાર સ્વચ્છતા અને સૌંદર્યકરણની કામગીરી કરવામાં આવનાર છે. જેથી આંગણવાડી કેન્દ્રોનું ભૌતિક માળખું મજબૂત મળશે અને બાળકો માટે આકર્ષક વાતાવરણ ઊભું થશે.

આંગણવાડી કેન્દ્રો એ સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) નો આધારસ્તંભ છે. બાળકોને પોષણ, પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય અને પોષણ સહાય જેવી સેવાઓ વધુ અસરકારક રીતે મળી રહે તે માટે આ કેન્દ્રોની ભૌતિક માળખાકીય સુવિધાઓ મજબૂત કરવી અનિવાર્ય છે. આ ઝુંબેશમાં સરકારી ગ્રાન્ટ ઉપરાંત લોકભાગીદારી અને CSR ફંડનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

આ ઝુંબેશ હેઠળ કુલ-૧૦૦ ગુણના સ્કોરકાર્ડ આધારે દરેક ઘટક, નગરપાલિકા તથા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ ૩ આંગણવાડીઓની પસંદગી કરી પુરસ્કાર/પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. જેમાં દીવાલોની સ્થિતિ, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલયની સુવિધા, ભિંત ચિત્રો જેવા ૨૫ જેટલા વિવિધ માપદંડોને (વોલ પેઈન્ટીંગ) અને પોષણ વાટિકા ધ્યાને લેવામાં આવશે. આ ઝુંબેશને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરી, બાળકોને સુસજ્જ અને સુરક્ષિત આંગણવાડી કેન્દ્રો ભેટ આપવાનું લક્ષ્યાંક છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

દેવમોગરાના મેળા હદ વિસ્તારમાં દારૂખાનું ફોડવા અથવા સળગી ઉઠે તેવી વસ્તુ આગમાં મુકવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
rajpipla
February 11, 2026

દેવમોગરાના મેળા હદ વિસ્તારમાં દારૂખાનું ફોડવા અથવા સળગી ઉઠે તેવી વસ્તુ આગમાં મુકવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા દેવમોગરા ખાતે પાંડુરી માતાના મંદિરે 15 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી 2026 સુધી યોજાનારા પ્રસિદ્ધ દેવમોગરા મેળા દરમિયાન આગના બનાવો ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે કડક જાહેરનામું જારી કર્યું છે.

સુરક્ષિત અને સશક્ત બેટીઓ માટે મોટું સેમિનાર. તિલકવાડામાં 80%+ ગુણ મેળવનાર 40 દીકરીઓને એજ્યુકેશન કીટ
rajpipla
February 11, 2026

સુરક્ષિત અને સશક્ત બેટીઓ માટે મોટું સેમિનાર. તિલકવાડામાં 80%+ ગુણ મેળવનાર 40 દીકરીઓને એજ્યુકેશન કીટ

બેટી બચાઓ, બેટી પઢાવો’ અભિયાન હેઠળ તિલકવાડા ખાતે મોટું સેમિનાર. સાયબર ક્રાઇમ, સ્વ-રક્ષણ અને મહિલા યોજનાઓ અંગે જાગૃતિ. 80%+ ગુણ મેળવનાર 40+ પ્રતિભાશાળી દીકરીઓને એજ્યુકેશન કીટ સાથે સન્માનિત. નર્મદા જિલ્લા મહિલા-બાળ અધિકારી કચેરી અને પોલીસનું સંયુક્ત કાર્યક્રમ. વાંચો વિગતો.

કચ્છના નાના રણમાં વન વિભાગની અદ્ભુત પહેલ, 1.35 કરોડ લિટર પાણી સંગ્રહ, વન્યજીવોનું નવું આવાસ
kutch
February 11, 2026

કચ્છના નાના રણમાં વન વિભાગની અદ્ભુત પહેલ, 1.35 કરોડ લિટર પાણી સંગ્રહ, વન્યજીવોનું નવું આવાસ

કચ્છના નાના રણમાં વન વિભાગની અદ્ભુત પહેલ. 1.35 કરોડ લિટર વરસાદી પાણી સંગ્રહ, જમીન ધોવાણ અટકાવી વન્યજીવો-પક્ષીઓ માટે નવું આવાસ. વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ કહ્યું – આ માત્ર પાણી બચાવવાનું નહીં, સંપૂર્ણ ઇકો-સિસ્ટમ વિકસાવવાનું પ્રયાસ. વાંચો વિગતો.

Braking News

'KCR બીજેપી સાથે ગઠબંધન કરવા માંગતા હતા', PM મોદીએ તેલંગાણા રેલીમાં કહ્યું
'KCR બીજેપી સાથે ગઠબંધન કરવા માંગતા હતા', PM મોદીએ તેલંગાણા રેલીમાં કહ્યું
November 27, 2023

તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023: PM મોદીએ સોમવારે (27 નવેમ્બર) મુખ્ય પ્રધાન કેસીઆર પર નિશાન સાધ્યું અને કહ્યું કે BRS ગભરાટમાં છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા અને આવક વધી
કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવમાં પ્રવાસીઓની સંખ્યા અને આવક વધી
February 21, 2023
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
June 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express