Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અરવિંદ કેજરીવાલ-મનીષ સિસોદિયા કટ્ટર ઈમાનદાર સાબિત થયા: ઈસુદાન ગઢવી

અરવિંદ કેજરીવાલ-મનીષ સિસોદિયા કટ્ટર ઈમાનદાર સાબિત થયા: ઈસુદાન ગઢવી

અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ કેસમાં નિર્દોષ સાબિત થયા. ઈસુદાન ગઢવીએ કહ્યું - કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે, ભાજપે ખોટા આરોપ લગાવી AAP તોડવાની કોશિશ કરી. ગુજરાતમાં ઉજવણી.

Ahmedabad February 27, 2026
અરવિંદ કેજરીવાલ-મનીષ સિસોદિયા કટ્ટર ઈમાનદાર સાબિત થયા: ઈસુદાન ગઢવી

અરવિંદ કેજરીવાલ-મનીષ સિસોદિયા કટ્ટર ઈમાનદાર સાબિત થયા: ઈસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનોજ સિસોદીયા આજે નિર્દોષ સાબિત થયા છે. આ મામલે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી,પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ તકે મિડીયાને સંબોધતા આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આખા દેશમાં જે લોકો ભ્રષ્ટાચાર સામે લડ્યા, અને જે સામાન્ય જનતા ભ્રષ્ટાચારથી પીડિત હતી, એ જ જનતા આમ આદમી પાર્ટીમાં જોડાતી ગઈ અને પછી દિલ્હીમાં સરકાર બની,સરકાર બન્યા પછી આમ આદમી પાર્ટીએ માત્ર અમુક વર્ષમાં જ એવી કામગીરી કરી કે બીજી પાર્ટીઓ કરી શકી ન હતી. અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીએ એવા કાર્ય બતાવ્યા કે આખા દેશમાં તેની ચર્ચા થઈ, અને આખા દેશમાં આમ આદમી પાર્ટી મોટી બનતી ગઇ. પછી, પંજાબમાં સરકાર બની, ગુજરાતમાં માહોલ તૈયાર થયો, ધારાસભ્યો બન્યા, અને અરવિંદ કેજરીવાલજીની આમ આદમી પાર્ટીની વિચારધારા અને ઈમાનદારીની પ્રતિષ્ઠા બીજા રાજ્યોમાં કેરલ સુધી પહોંચી. કાશ્મીરમાં પણ એવા મેસેજ પહોંચ્યા કે અરવિંદ કેજરીવાલજી ભ્રષ્ટ છે. ખોટા કેસ ચલાવવામાં આવ્યા, અને એ માટે કાયદામાં ખાસ ફેરફાર કરાયો હતો. 

AAP નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે આજે સાબિત થાય છે કે કેન્દ્રીય સત્તા જો ઇચ્છે તો કાયદામાં ફેરફાર કરીને પોતાના કાયદાનું રક્ષણ આપી શકે છે. ચાલુ મુખ્યમંત્રી અને ડેપ્ટી મુખ્યમંત્રીને જેલમાં મુકવા, તેમની કેરિયર અને પ્રતિષ્ઠા પર દાગ લગાવ્યો હતો, ત્યારે આજે ભાજપ અને નરેન્દ્ર મોદીની સરકાર પર આખા દેશમાં ગુસ્સો છે. છ મહિના સુધી અરવિંદ કેજરીવાલજીને જેલમાં રાખવામાં આવ્યા, પરંતુ તેઓ મુખ્યમંત્રી પદ પર ચાલુ રહ્યા. બીજા કાયદો બદલવામાં આવ્યો કે હવે મુખ્યમંત્રી એક મહિનો પણ જેલમાં રહેશે તો પદ ગુમાવી શકે. પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા, ત્યારે અરવિંદ કેજરીવાલ છ મહિના સુધી જેલમાં રહેવા છતાં તેઓ મુખ્યમંત્રી રહ્યા. આ ઘટનાએ નાગરિકો અને ખાસ કરીને ગુજરાતની સાત કરોડ જનતાના મનમાં વિશ્વાસ જમાવ્યો છે, અને સાબિત કર્યું છે કે કઈ રીતે ઈમાનદારી અને સેવાભાવના મૂલ્યો સાથે પાર્ટી આગળ વધી રહી છે. આટલુ જ નહીં મનીષ સિસોદિયાજીએ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારું કામ કર્યું અને એમાંથી શીખવાની જગ્યાએ એમને ખોટા કેસમાં જેલમાં નાખવામાં આવ્યા હતા. કાયદાઓનો દુરુપયોગ કરી કેજરીવાલજી-સિસોદીયાજી પર જે દાગ લગાડવામાં આવ્યો હતો, તેની હકીકત સામે આવી ગઈ છે અને ભાજપનું ષડયંત્ર ખુલ્લું પડી ગયું છે ત્યારે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આ જીતની ઉજવણી કરશે.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બજેટ: મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટે ₹૭,૬૯૦ કરોડની ઐતિહાસિક જોગવાઈ
gandhinagar
February 26, 2026

ગુજરાત બજેટ: મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટે ₹૭,૬૯૦ કરોડની ઐતિહાસિક જોગવાઈ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'સુપોષિત ભારત'ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ૨,૦૦૦ નવી 'ચાઈલ્ડ ફ્રેન્ડલી' આંગણવાડીઓનું નિર્માણ થશે, જેમાં RO મશીન, LED ટીવી અને સ્માર્ટ સુવિધાઓ ઉપલબ્ધ હશે.

યાત્રાધામો બનશે ગ્રીન ઝોન, દ્વારકા-સોમનાથ માટે ₹100 કરોડની મોટી જાહેરાત
gandhinagar
February 26, 2026

યાત્રાધામો બનશે ગ્રીન ઝોન, દ્વારકા-સોમનાથ માટે ₹100 કરોડની મોટી જાહેરાત

ગુજરાત સરકારે બજેટ 2026-27માં યાત્રાધામોને 'ગ્રીન અને વીજ સલામત ઝોન' બનાવવા ₹100 કરોડની જોગવાઈ કરી છે. દ્વારકા, સોમનાથ, અંબાજી અને પાલીતાણાને પ્રારંભિક તબક્કે અગ્રતા આપવામાં આવશે. યોજના હેઠળ સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો, વીજ સુરક્ષા વધારવા, રૂફટોપ સોલાર સિસ્ટમનો પ્રચાર અને કાર્બન ઉત્સર્જન ઘટાડો થશે.

એટ્રોસિટી કેસોમાં ઝડપી કાર્યવાહી! કલેક્ટર વાળાની સમીક્ષા બેઠકમાં મોટા નિર્ણયો
rajpipla
February 26, 2026

એટ્રોસિટી કેસોમાં ઝડપી કાર્યવાહી! કલેક્ટર વાળાની સમીક્ષા બેઠકમાં મોટા નિર્ણયો

રાજપીપલામાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી આર.વી. વાળાની અધ્યક્ષતામાં ડિસેમ્બર 2025 અંતિત અનુસૂચિત જાતિ પેટા યોજના, એટ્રોસિટી એક્ટ અંતર્ગત જિલ્લા તકેદારી સમિતિ અને મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ-2013ની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ.

Braking News

જમ્મુ સહિત 5 IIT ના વિસ્તરણને મંજૂરી, 4 વર્ષમાં 12 હજાર કરોડ ખર્ચ થશે, વિદ્યાર્થીઓને ફાયદો થશે
જમ્મુ સહિત 5 IIT ના વિસ્તરણને મંજૂરી, 4 વર્ષમાં 12 હજાર કરોડ ખર્ચ થશે, વિદ્યાર્થીઓને ફાયદો થશે
May 07, 2025

કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશ, કેરળ, છત્તીસગઢ અને કર્ણાટકમાં સ્થાપિત 5 નવા IIT ની શૈક્ષણિક અને માળખાગત ક્ષમતાના વિસ્તરણને મંજૂરી આપી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ  માટે  જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ માટે જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
June 12, 2023
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
April 04, 2023
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express