એક્સિસ બેંકે અમદાવાદમાં ‘પ્લાન્ટ-અ-ટ્રી’ અભિયાનનું આયોજન કર્યું
ભારતમાં ખાનગીક્ષેત્રની સૌથી મોટી બેંક પૈકીની એક એક્સિસ બેંકે અમદાવાદમાં શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટ ખાતે ‘પ્લાન્ટ-અ-ટ્રી’, વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કર્યું હતું.
ભારતમાં ખાનગીક્ષેત્રની સૌથી મોટી બેંક પૈકીની એક એક્સિસ બેંકે અમદાવાદમાં શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટ ખાતે ‘પ્લાન્ટ-અ-ટ્રી’, વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કર્યું હતું. આ વૃક્ષારોપણ અભિયાનમાં બેંકની બ્રાન્ચના કર્મચારીઓ, સેનાના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક સત્તાવાળાઓ અને સ્વયંસેવકો સામેલ થયાં હતાં, જેમણે વિસ્તારમાં 1000થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ પહેલ પર્યાવરણ સુરક્ષા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપતાં બેંકના દેશવ્યાપી કેમ્પેઇનનો હિસ્સો છે અને તેનાથી સહભાગીઓ વચ્ચે પર્યાવરણીય જાગૃતિની ભાવનાને બળ અપાયું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ – અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડના પ્રેસિડેન્ટ કમાન્ડર બ્રિગેડિયર અનિલ કાકડે, અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડના સીઇઓ ગોકુલ મહાજન અને એન્જિનિયર ઇનચાર્જ જયેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પહેલ વિશે વાત કરતાં એક્સિસ બેંકના બ્રાન્ચ બેંકિંગ, રિટેઇલ લાયાબિલિટીઝ અને પ્રોડક્ટના ગ્રૂપ એક્ઝિક્યુટિવ રવી નારાયણે કહ્યું હતું કે, “અમે દ્રઢતાથી માનીએ છીએ કે આપણા ગ્રહની સુરક્ષા કરવાની જવાબદારી દરેક વ્યક્તિની છે અને આ પહેલ દ્વારા અમે સાથી નાગરિકો વચ્ચે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના કેળવવા માગીએ છીએ. આ પહેલ હરિયાળા અને વધુ ટકાઉ ભવિષ્ય માટેના ઘણા વૈશ્વિક પ્રયાસોમાં ઉમેરો કરશે તેમજ સુરક્ષિત અને તંદુરસ્ત પૃથ્વીની રચનાની અમારી કટીબદ્ધાને મજબૂત કરશે, જેનો શ્રેય અમે આગામી પેઢીને આપીએ છીએ.”
આ પહેલ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને ટકાઉ વિકાસ પ્રત્યે એક્સિસ બેંકની વ્યાપક કટીબદ્ધતા દર્શાવે છે. બેંક વૃક્ષોના
વાવેતર વિશે જાગૃકતા ફેલાવવાની જરૂરિયાતને તથા હરિયાળી પૃથ્વીમાં ભેગા મળીને યોગદાન આપવાની મહત્વતાને સ્વિકારે છે.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.