રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને વિવાદમાં ફસાયેલા ભાજપના રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. દિલ્હીથી પરત ફર્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર મીડિયાને સંબોધતા રૂપાલાએ જણાવ્યું હતું કે, "મને ક્ષત્રિય સમાજના નેતાઓ સહિત વિવિધ સમુદાયો તરફથી સમર્થન મળ્યું છે. હું વિવાદને વકરતા ટાળવા માટે ક્ષત્રિય સમાજના મુદ્દા પર વધુ ટિપ્પણી કરવાનું ટાળું છું." તેમણે મીડિયાને પણ આ મુદ્દાનું કવરેજ ઓછું કરવા વિનંતી કરી હતી.
ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને વિવાદમાં ફસાયેલા ભાજપના રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. દિલ્હીથી પરત ફર્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર મીડિયાને સંબોધતા રૂપાલાએ જણાવ્યું હતું કે, "મને ક્ષત્રિય સમાજના નેતાઓ સહિત વિવિધ સમુદાયો તરફથી સમર્થન મળ્યું છે. હું વિવાદને વકરતા ટાળવા માટે ક્ષત્રિય સમાજના મુદ્દા પર વધુ ટિપ્પણી કરવાનું ટાળું છું." તેમણે મીડિયાને પણ આ મુદ્દાનું કવરેજ ઓછું કરવા વિનંતી કરી હતી.
ક્ષત્રિય સમાજ પર રૂપાલાની ટિપ્પણી બાદ, ગુજરાતમાં સમુદાયે તેમની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે. રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની તેમની એકમાત્ર માંગ છે.
ગાંધીનગરમાં પરષોત્તમ રૂપાલના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી. ત્યારબાદ ભાજપના ક્ષત્રિય આગેવાનોએ ગુજરાતના વિવિધ રાજપૂત સંગઠનો સાથે ચર્ચા કરી હતી. જો કે, આ પ્રયાસો છતાં, રાજપૂત નેતાઓ રૂપાલાની ટિકિટ રદ કરવાની તેમની માંગમાં અડગ છે.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.