બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેનું બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ રજૂ કર્યું
એનએફઓ 24 નવેમ્બર 2023ના રોજ ખુલે છે અને 8 ડિસેમ્બર 2023ના રોજ બંધ થાય છે, આ ભારતનું પ્રથમ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ છે જે તેની રોકાણ વ્યૂહરચનાના ભાગ રૂપે નાણાકીય આંતરદૃષ્ટિ ઉપરાંત બિહેવિયરલ સાયન્સિસનો ઉપયોગ કરે છે.
મુંબઈ/પુણે : બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે બજાજ ફિનસર્વ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ (બીએએફ) - એક ઓપન-એન્ડેડ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ રજૂ કરવાની જાહેરાત કરી છે જે ડેરિવેટિવ્ઝ, અને ફિક્સ્ડ ઈનકમના સાધનો સહિતના ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરવા માગતા રોકાણકારો માટે યોગ્ય છે.
બજાજ ફિનસર્વ બીએએફ એક યુનિક રોકાણ મોડેલનો ઉપયોગ કરે છે જે બિહેવિયરલ સાયન્સિસ અને ફાઇનાન્સિયલ ઇન્સાઇટ્સના અભિગમને જોડે છે. આ એસેટ એલોકેશન ટેકનિકનો ઉપયોગ કરીને, રોકાણકારો બજારની અસ્થિરતાને નેવિગેટ કરવા અને વળતરને ઑપ્ટિમાઇઝ કરવા માટે લાભ મેળવી શકે છે. ફાળવણી નક્કી કરવા માટે માત્ર ક્વોન્ટિટેટિવ મોડેલનો ઉપયોગ કરવાને બદલે, બજાજ ફિનસર્વ એએમસી ઇન્વેસ્ટમેન્ટ ટીમ વર્તણૂકીય પાસાઓનું પણ વિશ્લેષણ કરે છે, જે રોકાણકારોને લાંબા ગાળે વધુ સારું વળતર મેળવવામાં મદદ કરી શકે છે.
પરંપરાગત રીતે, એસેટ એલોકેશન વ્યૂહરચના નક્કી કરવા માટેનો અભિગમ ફંડામેન્ટલ્સ, ભૂતકાળની કામગીરી અને ક્વોન્ટિટેટિવ મોડેલને અનુસરવાનો છે. જો કે, બજાજ ફિનસર્વ એએમસીની રોકાણ ટીમ સંપત્તિની ફાળવણી અને રોકાણના સમય અંગે નિર્ણય લેવા માટે બિહેવિયરલ સાયન્સિસ મોડલનો પણ ઉપયોગ કરવામાં માને છે.
બજાજ ફિનસર્વ એએમસી બીએએફ મોડેલ ભાવિ શેરદીઠ કમાણી, વૃદ્ધિની અપેક્ષાઓ અને વ્યાજ દરોના આધારે વાજબી બજાર મૂલ્યનો અંદાજ કાઢે છે, જે મુખ્ય રોકાણ વ્યૂહરચનાનું માર્ગદર્શન આપે છે. ફંડનું વર્તણૂંક સૂચક બજારની અસ્થિરતાને નેવિગેટ કરવામાં મદદ કરે છે અને ફાઇન-ટ્યુનિંગ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ દ્વારા વળતરને ઑપ્ટિમાઇઝ કરે છે. તે ઇક્વિટી ફાળવણીને પણ માર્ગદર્શન આપે છે, જ્યારે બજારનું ઓછું મૂલ્ય હોય ત્યારે તેને વધારી દે છે અને જ્યારે તેનું મૂલ્ય વધારે હોય ત્યારે તેને ઘટાડે છે.
ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.
ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.
ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?