બરોડા બીએનપી પારિબા મની માર્કેટ ફંડે રૂ. 4,500 કરોડની એયુએમનો આંક વટાવ્યો
બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડના મની માર્કેટ ફંડએ બે મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે – ફંડની છઠ્ઠી વર્ષગાંઠ અને ₹4,500 કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) પાર કરવી. આ ફંડ ઉચ્ચ-ગુણવત્તાવાળા મની માર્કેટ સાધનોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ડેટ સ્કીમ છે, જે ટૂંકા ગાળાની વધારાની મૂડી માટે ઓછા વ્યાજ દરના જોખમ, ઓછા ક્રેડિટ જોખમ અને ઉચ્ચ પ્રવાહિતા ઈચ્છતા રોકાણકારો માટે વિશ્વસનીય પસંદગી બની છે.
મુંબઈ : બરોડા બીએનપી પારિબા મની માર્કેટ ફંડ તેની છઠ્ઠી વર્ષગાંઠના અને રૂ. 4,500 કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)નો આંક વટાવ્યાની એમ બેવડા સીમાચિહ્નની ઉજવણી કરી રહ્યું છે. આ ફંડ, ઉચ્ચ-ગુણવત્તાવાળા મની માર્કેટ સાધનોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ડેટ સ્કીમ છે જે ટૂંકા ગાળાની વધારાની મૂડી રોકવા માટે ઓછા વ્યાજ દરના જોખમ, ઓછા ક્રેડિટ જોખમ અને ઉચ્ચ પ્રવાહિતા વિકલ્પ ઇચ્છતા રોકાણકારો માટે વિશ્વસનીય પસંદગી તરીકે ઉભરી આવ્યું છે.
બરોડા બીએનપી પારિબા મની માર્કેટ ફંડનો પોર્ટફોલિયો સક્રિય વ્યાજ દર અને પ્રવાહિતા આધારિત કોલ્સનો અમલ કરવા માટે બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તે વધુ સારું ઉપાર્જન અને પ્રવાહિતા પ્રદાન કરે છે. આ ફંડ મુખ્યત્વે AAA/A1+ સમકક્ષ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે, જે રોકાણકારોને ઉચ્ચ ક્રેડિટ ગુણવત્તા સુનિશ્ચિત કરે છે.
15 જાન્યુઆરી 2026 સુધીમાં, ફંડના રેગ્યુલર પ્લાને મજબૂત પ્રદર્શન આપ્યું છે, જેમાં એક વર્ષમાં 7.16 ટકા વળતર મળ્યું છે, જે તેના બેન્ચમાર્ક ક્રિસિલ મની માર્કેટ A-I ઇન્ડેક્સના 7 ટકાથી ઓછા વળતર કરતાં સહજતાથી આગળ નીકળી ગયું છે.
એવા સમયે જ્યારે ફિક્સ્ડ ઇન્કમ રેટમાં ઘટાડો થયો છે, ત્યારે ફંડે એક શ્રેષ્ઠ વિકલ્પ ઓફર કર્યો છે. લોન્ચ સમયે રૂ. 1 લાખનું રોકાણ વધીને આશરે રૂ. 1.42 લાખ થયું હોત, જે સતત ઉપાર્જન અને સક્રિય પોર્ટફોલિયો મેનેજમેન્ટ દર્શાવે છે.
આ ફંડનું સંચાલન ફિક્સ્ડ ઇન્કમ ટીમમાં સિનિયર ફંડ મેનેજર વિક્રમ પમનાની અને ગુરવિંદર સિંહ દ્વારા કરવામાં આવે છે. 15 જાન્યુઆરી 2026ના રોજ બરોડા બીએનપી પારિબા મની માર્કેટ ફંડના પોર્ટફોલિયોમાં ફેરફાર કરેલ સમયગાળો 0.43 અને સરેરાશ પાકતી મુદત 0.43 વર્ષ હતી.
તેના સાતત્યપૂર્ણ પ્રદર્શન, શિસ્તબદ્ધ પોર્ટફોલિયો નિર્માણ અને મજબૂત તરલતા સાથે, બરોડા બીએનપી પારિબા મની માર્કેટ ફંડ એક વિશ્વસનીય ટૂંકા ગાળાનો રોકાણ વિકલ્પ બની રહે છે. સાતમા વર્ષમાં પ્રવેશ કરતી વખતે, ફંડ બદલાતા વ્યાજ દરના પરિદ્રશ્યમાં સંભવિત સ્થિરતા, સુગમતા અને સ્પર્ધાત્મક વળતર પ્રદાન કરવાના તેના મુખ્ય ઉદ્દેશ્ય સાથે સુસંગત રહે છે.
ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.
ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.
ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?