ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સ ઓડિશા ટ્રેન અકસ્માત પીડિતો માટે ક્લેઈમ સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવે છે
ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સે ઓડિશાના બાલાસોરમાં દુ:ખદ ટ્રેન અકસ્માતમાં અસરગ્રસ્ત પરિવારો માટે ક્લેઈમ સેટલમેન્ટ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એક સમર્પિત પહેલ શરૂ કરી છે.
ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સે ઓડિશાના બાલાસોરમાં દુ:ખદ ટ્રેન અકસ્માતમાં અસરગ્રસ્ત પરિવારો માટે ક્લેઈમ સેટલમેન્ટ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એક સમર્પિત પહેલ શરૂ કરી છે. પરિસ્થિતિની તાકીદને જોતાં આ પોલીસી ક્લેઈમ્સના તાત્કાલિક નિરાકરણની ખાતરી કરવા માટે મૃત્યુ અને અપંગતાના ક્લેઈમ્સ માટે સુવ્યવસ્થિત અને ઝડપી સેટલમેન્ટ પ્રોસીજર મૂકવામાં આવી છે.
ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સે એક સરળ ક્લેઈમ પ્રોસીજર અમલમાં મૂકી છે જેમાં ઓછામાં ઓછા દસ્તાવેજોની જરૂર છે. નીચે સૂચિબદ્ધ દસ્તાવેજો છે જે નોમિની, કાનૂની વારસદાર અથવા પોલીસીધારકોએ દાવાની પ્રક્રિયા માટે ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સને સબમિટ કરવાની રહેશે:
- ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સ ઓડિશા ટ્રેન અકસ્માત દુર્ઘટનાને કારણે વીમાધારક સભ્યનું મૃત્યુ દર્શાવતા કોઈપણ માન્ય રેકોર્ડ/પ્રૂફ સ્વીકારશે.
- ક્લેઈમ ધારકનું સ્ટેટમેન્ટ (નોમિની દ્વારા ભરવાનું રહેશે) નોમિનીની બેંક વિગતો સાથે - https://www.bhartiaxa.com/claims પર સબમિટ કરવાની રહેશે.
- સરકાર દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી, નોમિનીનું એડ્રેસ પ્રૂફ અને નોમિની સાથેના સંબંધનો પુરાવો ક્લેઈમ ફાઇલ કરતી વખતે સબમિટ કરવાનો રહેશે.
-વધુમાં નોમિની/કાનૂની વારસદારોએ નીચેના ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સ અધિકારીઓને ક્લેઈમની જાણ કરવી આવશ્યક છે:
• સૌભાગ્ય રંજનબેહેરા - soubhagya.ranjanbehera@bhartiaxa.com
• કૌશિક સાન્યાલ - koushik.sanyal@bhartiaxa.com
• અરિજીત પ્રસાદ રોય - arijitprasad.roy@bhartiaxa.com
• ક્લેઈમ્સ વિભાગ - lifeclaims@bhartiaxa.com
કોઈપણ વધુ પૂછપરછ માટે પોલીસીધારકો ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સના ટોલ ફ્રી નંબર 1800-102-4444 પર સંપર્ક કરી શકે છે. વૈકલ્પિક રીતે ક્લેઈમ દાખલ કરવા માટે તેઓ ભારતી અક્સા લાઇફ બ્રાન્ચની મુલાકાત લઈ શકે છે જે પહેલો માળ, આસિસ પ્લાઝા, ઓ ટી રોડ, પોલીસ લાઈન સ્ક્વેર પાસે, બાલાસોર, ઓડિશા – 756001 પર સ્થિત છે.
ભારતી અક્સા લાઈફ ઈન્શ્યોરન્સના ડિજિટલ અને ઓનલાઈન સેલ્સ હેડ અને ચીફ કસ્ટમર ઓફિસર શ્રી નીતિન મહેતાએ જણાવ્યું હતું કે "અમે આ મુશ્કેલ સમયમાં બાલાસોર રેલ દુર્ઘટનાના અસરગ્રસ્ત પરિવારોની સાથે છીએ. અમારા નિષ્ઠાવાન સમર્થનમાં ટ્રેન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના બોજને હળવો કરવા માટે, અમે ક્લેઈમ્સની પ્રક્રિયાને સરળ બનાવી છે અને આશા રાખીએ છીએ કે આ સુવ્યવસ્થિત અભિગમ જરૂરિયાતમંદ લોકોને થોડોક આરામ અને સહાય પૂરી પાડશે. ભારતી અક્સા લાઈફ પર અમે અસરગ્રસ્ત ગ્રાહકોને શ્રેષ્ઠ નાણાંકીય રાહત આપવા માટે સતત કામ કરી રહ્યા છીએ.
ભારતી અક્સા લાઈફ ઈન્સ્યોરન્સ દ્વારા કેપિટલ હોસ્પિટલમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વીમા કંપનીએ અસરગ્રસ્ત લોકો માટે માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે એનજીઓ ઓક્સફેમ ઈન્ડિયા સાથે પણ ભાગીદારી કરી છે.
ટોયોટા કિર્લોસ્કર મોટરે ગોધરામાં પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું. 7500 sq ft 3S ફેસિલિટી, Urban Cruiser Ebella, Innova Hycross, Fortuner સહિત પૂરું રેન્જ. ગુજરાતમાં 75 ટચપોઇન્ટ્સ! વધુ સુવિધા અને વિશ્વાસ સાથે ટોયોટા અનુભવ.
ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.
અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.