ભરૂચ એસ.ટી. ડિવિઝન દ્વારા શ્રદ્ધાળુઓ માટે 30 કરતાં વધુ બસોનું થઈ રહેલું સંચાલન
શ્રદ્ધાળુઓને દેવમોગરા સુધી જવા અને પરત આવવા માટે સેલંબા, દેડીયાપાડા અને નેત્રંગ ખાતેથી વધારાની ટ્રીપો દોડાવાઈ રહી છે.
રાજપીપલા : આદિવાસી સમાજના કુળદેવી યાહા મોગી પાંડુરી માતાના દર્શન અર્થે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે.
શિવરાત્રીથી શરૂ થઈને પાંચ દિવસ સુધી યોજાતા આ મેળામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડતા હોય છે. ત્યારે માતાજીના મંદિર સુધી શ્રદ્ધાળુઓને પહોંચવામાં અને પરત ઘરે જવામાં કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખી ભરૂચ એસ.ટી ડિવિઝનના વિભાગીય નિયામકશ્રી દ્વારા શ્રદ્ધાળુઓ માટે વધારાની ટ્રીપોનો સંચાલન કરવામાં આવે છે.
આ વર્ષે એસ.ટી નિગમ દ્વારા કુલ-૩૦ કરતાં વધુ બસોને મુસાફરોની જરૂરિયાત મુજબ દોડાવવામાં આવી રહી છે. આ તમામ બસોનું દેડીયાપાડા, સેલંબા અને નેત્રંગ ખાતેથી સંચાલન કરવામાં આવી રહ્યું છે. નાગરિકો પણ મોટી સંખ્યામાં એસ.ટી બસોની સુવિધાનો લાભ લઈ રહ્યા છે.
શ્રદ્ધાળુઓને ખૂબ સુરક્ષિત અને સરળતાથી એસ.ટી બસ દ્વારા દેવમોગરા સુધી લઈ જવામાં આવે છે અને પરત તેમના નજીકના સ્થળે એટલે કે સેલંબા દેડીયાપાડા અને નેત્રંગ ખાતે ડ્રોપ કરવામાં આવી રહ્યા છે.
નર્મદા જિલ્લાને હાથીપગા મુક્ત બનાવવા મોટું અભિયાન. રાજપીપલા વિદ્યાલયમાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. 283 ગામોની 3.37 લાખ વસ્તીને આવરી લેવા 487 ટીમો ઘરે-ઘરે ડી.ઈ.સી. + આલ્બેન્ડાઝોલ ગોળીઓ ગળાવશે. 12 ફેબ્રુઆરી સુધી ચાલશે અભિયાન! વાંચો વિગતો.
કચ્છમાં ગાંધીધામ-આદિપુર ચૌહરીકરણ કામથી મોટી અસર! 13 ફેબ્રુઆરી 2026 સુધી અનેક ટ્રેનો પૂર્ણ/આંશિક રદ અને રૂટ ચેન્જ – ભુજ-બાન્દ્રા, કચ્છ એક્સપ્રેસ, સયાજી નગરી, નમો ભારત સહિત 15+ ટ્રેનો પ્રભાવિત. મુસાફરોને 20-25 મિનિટ વધુ સમય લાગશે. પૂરી યાદી અને વિગતો વાંચો.
સુરતમાં MSME ક્રેડિટ આઉટરીચ કેમ્પનું સફળ આયોજન! સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ₹247 કરોડના લોન પ્રસ્તાવો મંજૂર કર્યા, 34 ઉદ્યોગકારોને ₹108 કરોડના ચેક વિતરણ. ED મહેન્દ્ર દોહરેની અધ્યક્ષતામાં નવા ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન. આગામી મહિનામાં વધુ ₹172 કરોડની શક્યતા. વાંચો વિગતો.