લીમખેડા રવિવારી હાટ બજારમાં ટીબી મુકત ભારત અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો
લીમખેડા હાટ બજાર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ક્ષય રોગ વિશે જાગૃતિ લાવવા અને લોકોને રોગ માટે પરીક્ષણ અને સારવાર કરાવવા પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવ્યું હતું.
(પ્રતિનિધિ દિપક રાવલ)દાહોદ: પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત લીમખેડા હાટ બજારમાં ભવાઈ કાર્યક્રમ યોજાયો હતો. મા.રાષ્ટ્રપતિ દ્વારા 9 મી સપ્ટેમ્બર 22 ના રોજ શરૂ કરેલ કાર્યક્રમ ની પ્રથમ વર્ષગાંઠ ની ઊજવણી ના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલવત, જિલ્લા ક્ષય અધિકારી ડૉ આર.ડી પહાડીયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ સી.એમ મછાર ના માગૅદશૅન હેઠળ લોક જાગૃતિ માટે લીમખેડા હાટ બજાર વિસ્તાર માં ભવાઇ નું આયોજન કરવામાં આવ્યું.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.