સુરતમાં MSMEને મોટી ભેટ, સેન્ટ્રલ બેંકે ₹247 કરોડના લોન પ્રસ્તાવો મંજૂર, 34 ઉદ્યોગકારોને ₹108 કરોડના ચેક વિતરણ
સુરતમાં MSME ક્રેડિટ આઉટરીચ કેમ્પનું સફળ આયોજન! સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ₹247 કરોડના લોન પ્રસ્તાવો મંજૂર કર્યા, 34 ઉદ્યોગકારોને ₹108 કરોડના ચેક વિતરણ. ED મહેન્દ્ર દોહરેની અધ્યક્ષતામાં નવા ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન. આગામી મહિનામાં વધુ ₹172 કરોડની શક્યતા. વાંચો વિગતો.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના સુરત ક્ષેત્ર દ્વારા આજરોજ ગોપીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, કામરેજ ખાતે એમએસએમઇ ક્રેડિટ આઉટરીચ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતા માનનીય કાર્યકારી નિર્દેશક શ્રી મહેન્દ્ર દોહરે દ્વારા કરવામાં આવી.
આ અવસરે શ્રી એસ. કે. સરકાર, ઝોનલ હેડ, ગુજરાત રાજ્ય તેમજ શ્રી મનીષ વર્મા, ક્ષેત્રિય પ્રમુખ, સુરત પણ ઉપસ્થિત રહ્યા હતા.
વિસ્તારના વિવિધ શાખા પ્રમુખો, એમએસએમઇ ઉદ્યોગકારો, ઉદ્યોગપતિઓ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ તેમજ મંત્રાના અધિકારીઓએ આ કેમ્પમાં સક્રિય રીતે ભાગ લીધો હતો.
કાર્યક્રમને સંબોધતા શ્રી મહેન્દ્ર દોહરેએ પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું કે બેંક દેશભરમાં એમએસએમઇ આઉટરીચ કેમ્પનું આયોજન કરી રહી છે, જેનો હેતુ એમએસએમઇ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે. તેમણે જણાવ્યું કે આવી પહેલથી ઉદ્યોગકારો અને બેંક વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થાય છે, લોન મંજૂરી પ્રક્રિયા સરળ અને ઝડપી બને છે તેમજ એમએસએમઇ ક્ષેત્રને નવી ગતિ મળે છે.
કાર્યક્રમ દરમિયાન બેંકની વ્યવસાયકેન્દ્રિત તથા ગ્રાહકકેન્દ્રિત એમએસએમઇ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. આ આઉટરીચ કેમ્પ અંતર્ગત અંદાજે 247 કરોડના લોન પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા, જ્યારે આગામી એક મહિના દરમિયાન અંદાજે 172 કરોડના પ્રસ્તાવો મંજૂર થવાની મજબૂત સંભાવના છે. આ અવસરે 34 લાભાર્થીઓને 108 કરોડના મંજૂરી પત્રો અને ચેક વિતરણ કરવામાં આવ્યા, જેના કારણે ઉદ્યોગકારોમાં ઉત્સાહ અને વિશ્વાસ વધ્યો.
ઝોન સ્તરે, અમદાવાદ ઝોન દ્વારા ચાલી રહેલા અભિયાન દરમિયાન અંદાજે 1,100 કરોડના એમએસએમઇ લોન પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા છે, જે વ્યવસાયિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બેંકની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ જ અવસરે માનનીય કાર્યકારી નિર્દેશક શ્રી મહેન્દ્ર દોહરે દ્વારા એલ. પી. સવાણી રોડ, અડાજણ, સુરત સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના નવા ક્ષેત્રિય કાર્યાલય પરિસરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
નર્મદા જિલ્લાને હાથીપગા મુક્ત બનાવવા મોટું અભિયાન. રાજપીપલા વિદ્યાલયમાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. 283 ગામોની 3.37 લાખ વસ્તીને આવરી લેવા 487 ટીમો ઘરે-ઘરે ડી.ઈ.સી. + આલ્બેન્ડાઝોલ ગોળીઓ ગળાવશે. 12 ફેબ્રુઆરી સુધી ચાલશે અભિયાન! વાંચો વિગતો.
કચ્છમાં ગાંધીધામ-આદિપુર ચૌહરીકરણ કામથી મોટી અસર! 13 ફેબ્રુઆરી 2026 સુધી અનેક ટ્રેનો પૂર્ણ/આંશિક રદ અને રૂટ ચેન્જ – ભુજ-બાન્દ્રા, કચ્છ એક્સપ્રેસ, સયાજી નગરી, નમો ભારત સહિત 15+ ટ્રેનો પ્રભાવિત. મુસાફરોને 20-25 મિનિટ વધુ સમય લાગશે. પૂરી યાદી અને વિગતો વાંચો.
પશ્ચિમ રેલ્વે મહાપ્રબંધક શ્રી પ્રદીપ કુમારે અમદાવાદ મંડળના 5 કર્મચારીઓને “મેન ઓફ ધ મન્થ” (ડિસેમ્બર-2025) સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કર્યા! અનિલ કુમાર, ગ્રૈશકુમાર ડી., સાજિદ અહમદ, રવિકુમાર મીના અને દીપક યાદવે સતર્કતાથી એર સ્પ્રિંગ લીકેજ, હોટ એક્સલ, બ્રેક ફાયર જેવી ખામીઓ પકડી મોટી દુર્ઘટનાઓ ટાળી. રેલ્વે સુરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન! વાંચો વિગતો.