રોહિત શર્મા નો મોટો રેકોર્ડ, સૌરવ ગાંગુલી નો 17 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત
રોહિત શર્માએ આજે રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે પોતાના 66 રન પૂરા કરતાની સાથે જ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. હવે તેની આગળ માત્ર 3 ભારતીય બેટ્સમેન બચ્યા છે.
Rohit Sharma India vs England Test: રોહિત શર્માએ આજે રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમતા એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આજે ભલે રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ રોહિત શર્મા એક છેડે રહ્યો, પરંતુ તેના પાર્ટનર્સ તેને છોડીને જતા રહ્યા. લાંબા સમય બાદ તેને રવિન્દ્ર જાડેજાનો સાથ મળ્યો, જેની સાથે તેણે ઇનિંગ્સને આગળ ધપાવી. આ દરમિયાન રોહિત શર્માએ પોતાના 66 રન પૂરા કરતાની સાથે જ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો છે. આ રેકોર્ડ દાદાએ વર્ષ 2008માં બનાવ્યો હતો.
રોહિત શર્માએ આજની મેચમાં 66 રન બનાવતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌરવ ગાંગુલી કરતા પણ વધુ રન પોતાના નામે કરી લીધા છે. હવે તે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ચોથો ખેલાડી બની ગયો છે. ધ્યાનમાં રાખો, અહીં અમે ટેસ્ટ, ODI અને T20 ઇન્ટરનેશનલ મેચ વિશે વાત કરી રહ્યા છીએ. સૌરવ ગાંગુલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 424 મેચ રમીને 18575 રન બનાવ્યા હતા. વર્ષ 2008માં તેણે ક્રિકેટને અલવિદા કહી દીધું. એટલે કે તેમને નિવૃત્ત થયાને લગભગ 16 વર્ષ થયા છે.
રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 469 મેચ રમીને 18575થી વધુ રન બનાવ્યા છે. તેના આંકડાઓની વાત કરીએ તો તેણે 56 ટેસ્ટ મેચ રમીને 3827 થી વધુ રન બનાવ્યા છે. ODIમાં તેણે 262 મેચ રમી છે અને 10709 રન બનાવ્યા છે. T20 ઈન્ટરનેશનલમાં રોહિત શર્માએ 151 મેચ રમીને 3974 રન બનાવ્યા છે.
હવે ભારત માટે માત્ર ત્રણ બેટ્સમેન બચ્યા છે જેમણે હિટમેન કરતા વધુ રન બનાવ્યા છે. સચિન તેંડુલકરે ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. તેના નામે 664 મેચોમાં 34357 રન છે. હાલમાં વિરાટ કોહલી બીજા સ્થાને છે. કોહલીએ 522 મેચ રમીને 26733 રન બનાવ્યા છે. આ પછી રાહુલ દ્રવિડ આવે છે, તેણે 509 મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 24208 રન બનાવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે રોહિત હજુ કેટલા રન બનાવે છે.
RR vs GT Live Score: IPL 2025 ની 47મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર આર અશ્વિનને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા. અશ્વિન ઉપરાંત પીઆર શ્રીજેશને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
"વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનમાં શિફ્ટ થવા માંગે છે? તેમના પરિવારની સાદગી અને બાળકોને ગ્લેમરથી દૂર રાખવાની ઇચ્છાની ચર્ચા કરો."