સુરક્ષિત અને સશક્ત બેટીઓ માટે મોટું સેમિનાર. તિલકવાડામાં 80%+ ગુણ મેળવનાર 40 દીકરીઓને એજ્યુકેશન કીટ
બેટી બચાઓ, બેટી પઢાવો’ અભિયાન હેઠળ તિલકવાડા ખાતે મોટું સેમિનાર. સાયબર ક્રાઇમ, સ્વ-રક્ષણ અને મહિલા યોજનાઓ અંગે જાગૃતિ. 80%+ ગુણ મેળવનાર 40+ પ્રતિભાશાળી દીકરીઓને એજ્યુકેશન કીટ સાથે સન્માનિત. નર્મદા જિલ્લા મહિલા-બાળ અધિકારી કચેરી અને પોલીસનું સંયુક્ત કાર્યક્રમ. વાંચો વિગતો.
રાજપીપલા: નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત કે.એમ.શાહ સાર્વજનિક હાઈસ્કુલ, તિલકવાડા ખાતે કાયદાઓ અને
મહિલાલક્ષી યોજનાઓ અંગે સેમિનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તિલકવાડા પોલીસ સ્ટેશનની સી-ટીમ સાથે સંવાદ યોજાયો હતો, જેમાં સાયબર
ક્રાઇમ, સ્વ-રક્ષણ અને મહિલાઓ માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે ઝીણવટપૂર્વક માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓને સુરક્ષા અને સશક્તિકરણ સંબંધિત માર્ગદર્શન આપી જાગૃત કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે ઉતીર્ણ થયેલ દીકરીઓને સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત, તિલકવાડા તાલુકામાં ગત વર્ષે બોર્ડ પરીક્ષામાં ધોરણ ૧૦ અને ૧૨માં ૮૦ ટકા કરતાં વધુ ગુણ મેળવનાર કુલ ૪૦ દીકરીઓને એજ્યુકેશન કીટ (સ્કૂલ બેગ, વોટર બોટલ, લંચ બોક્સ, જ્યોમેટ્રી કંપાસ, બોલ પેન, ચોપડા, ડ્રોઇંગ કીટ, કેલેન્ડર,મગ) આપવામાં આવ્યું હતું. સાથે-સાથે અન્ય ૮ સારા ગુણ પ્રાપ્ત કરનાર દીકરીઓને પણ કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, તિલકવાડા પોલીસ સ્ટેશનની સી-ટીમ, મહિલા સહાયતા કેન્દ્ર રાજપીપળા, સખી વન સ્ટોપ સેન્ટર તથા ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદા જિલ્લામાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’માં મોટી સફળતા. ૧૬ જાન્યુઆરીથી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન ૬૬૫માંથી ૨૬૭ આંગણવાડી કેન્દ્રોનું રિનોવેશન પૂર્ણ, ૩૯૮માં કામ ચાલુ. રંગરોગાન, સ્વચ્છતા, સુરક્ષિત માળખું અને આકર્ષક વાતાવરણથી બાળકોને મળશે શ્રેષ્ઠ સુવિધા. શ્રેષ્ઠ કેન્દ્રોને પુરસ્કાર! વાંચો વિગતો.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા દેવમોગરા ખાતે પાંડુરી માતાના મંદિરે 15 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી 2026 સુધી યોજાનારા પ્રસિદ્ધ દેવમોગરા મેળા દરમિયાન આગના બનાવો ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે કડક જાહેરનામું જારી કર્યું છે.
કચ્છના નાના રણમાં વન વિભાગની અદ્ભુત પહેલ. 1.35 કરોડ લિટર વરસાદી પાણી સંગ્રહ, જમીન ધોવાણ અટકાવી વન્યજીવો-પક્ષીઓ માટે નવું આવાસ. વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ કહ્યું – આ માત્ર પાણી બચાવવાનું નહીં, સંપૂર્ણ ઇકો-સિસ્ટમ વિકસાવવાનું પ્રયાસ. વાંચો વિગતો.