CM આતિશીને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત, જાણો શું છે બીજેપી નેતા સાથે જોડાયેલો મામલો?
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મુખ્યમંત્રી આતિશને મોટી રાહત મળી છે. કોર્ટે આતિશી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.
દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે બીજેપી નેતા પ્રવીણ શંકર કપૂર દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી આતિશી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ભાજપના નેતા પ્રવીણ શંકર કપૂર દ્વારા તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સેશન્સ કોર્ટમાં સમન્સના આદેશને પડકાર્યો હતો.
ભાજપના નેતા પ્રવીણ શંકર કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં તેમણે દાવો કર્યો હતો કે આતિષીએ લગાવેલા આરોપોએ તેમની અને તેમની પાર્ટી (ભાજપ)ની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે.
દિલ્હીમાં સત્તા અને વિધાનસભા બેઠક ગુમાવ્યા બાદ, લુધિયાણા પશ્ચિમ બેઠક માટેની પેટાચૂંટણી અરવિંદ કેજરીવાલના રાજકીય ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરાને મેદાનમાં ઉતાર્યા છે.
મનીષ સિસોદિયાએ નીતિન કોહલીનું પાર્ટીમાં સ્વાગત કરતી વખતે આ અંગે જાહેરાત કરી. તેમણે કહ્યું કે, ખુશીની વાત છે કે પંજાબના ઉદ્યોગપતિઓ AAP સરકારમાં વિશ્વાસ રાખીને પાર્ટી સાથે ખભે ખભો મિલાવીને ઉભા છે.
આમ આદમી પાર્ટીમાં ઘણા નેતાઓના રાજીનામાના સમાચાર છે. દિલ્હીના ઘણા નેતાઓએ પાર્ટી સામે બળવો કર્યો છે. આમ આદમી પાર્ટીના નેતા મુકેશ ગોયલે ઈન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી નામની નવી પાર્ટી બનાવવાનો દાવો કર્યો છે.