CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2026ના 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમમાં 'નાગરિક દેવો ભવઃ'ના અભિગમ સાથે જનતાની સમસ્યાઓ સાંભળી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ 100 થી વધુ, જિલ્લા કક્ષાએ 1218 અને તાલુકા કક્ષાએ 2294 રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ વૃદ્ધ માતાને પડતી હેરાનગતિ રોકવા, દાંતીવાડા યુનિવર્સિટીમાં બાળકો માટે શાળાનું બાંધકામ કરવા અને ખેડૂતોના જમીન સંપાદન તથા ખેતીના પ્રશ્નો ઉકેલવા વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2026ના રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો રૂબરૂ સાંભળીને ‘નાગરિક દેવો ભવઃ’ના ઉદારતમ અભિગમ સાથે જનસમસ્યાના ત્વરિત નિવારણ માટે સંબંધિત જિલ્લાઓના વહિવટી તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના ઉપક્રમમાં માર્ચ-2026ના રાજ્ય સ્વાગતમાં રાજ્યભરમાંથી 100થી વધુ અરજદારોએ પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહિં, જિલ્લા સ્વાગતની 1218 અને તાલુકા સ્વાગતની 2294 રજૂઆતો-પ્રશ્નો સંદર્ભમાં પણ જિલ્લા તથા તાલુકા કક્ષાએ યોગ્ય ઉકેલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સ્વાગતમાં પુત્ર અને પુત્રવધૂ દ્વારા વૃદ્ધ માતાને ઘરમાંથી કાઢી મૂકવા તથા શારીરિક અને માનસિક ત્રાસ આપવા બાબતે વૃદ્ધ માતાની ફરિયાદ અંગે મુખ્યમંત્રીશ્રીએ સંવેદના દર્શાવીને તાત્કાલિક ધોરણે નાયબ કલેક્ટરના હુકમનો અમલ થાય તે સુનિશ્ચિત કરવા બાબતે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધીક્ષકને સૂચનાઓ આપી હતી.
સરદાર કૃષિ નગર યુનિવર્સિટી દાંતીવાડામાં છેલ્લા 40 વર્ષથી ચાલતી પ્રાથમિક શાળામાં ભણતા 300 બાળકોના હિતને પ્રાધાન્ય આપીને યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક ધોરણે શાળાના બાંધકામને મંજૂરી આપવા માટેની કાર્યવાહીનું પણ તેમણે સૂચન કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્વાગત કાર્યક્રમમાં રાજ્યના વિવિધ વિસ્તારોના ખેડૂતોની સમસ્યાઓનું પણ પ્રાથમિકતાના ધોરણે નિકાલ કરવાના આદેશો આપ્યાં હતાં.
તદઅનુસાર, દહેગામની ખારી નદીમાં બાવળ, ઝાડી ઝાંખરાના કારણે નદીમાં પાણીનું વહન અવરોધાતુ હોવાથી ખેડૂતના ખેતરનું સતત ધોવાણ થતું હોવાની રજૂઆત મુખ્યમંત્રીશ્રીને મળતા તેમણે તાત્કાલિક ધોરણે આ અવરોધ દૂર કરીને ખેડૂતના ખેતરનું ધોવાણ અટકાવવા સૂચના આપી હતી. સુજલામ સુફલામ યોજના અંતર્ગત આ અવરોધ દૂર કરી ખેડૂતના પ્રશ્નનું તાકીદના ધોરણે નિરાકરણ કરવાની જિલ્લા કલેકટરશ્રીએ પણ મુખ્યમંત્રીશ્રીને ખાતરી આપી.
અન્ય કિસ્સાઓમાં ખેતરમાંથી પસાર થતી ભૂગર્ભ ગટર લાઈનના લીકેજને કારણે ખેતીને પાકને થતું નુકસાન અટકાવવા, ખેતરમાં જવા માટેના રસ્તાનું દબાણ હટાવવા સહિતના ખેડૂતોના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક વહીવટી તંત્રને તાકીદના ધોરણે નિવારણ કરવા માટે દિશાનિર્દેશો કર્યા હતા.
રાજ્ય સ્વાગત અંતર્ગત રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં, ન્યાયિક અને તટસ્થ રીતે નિરાકરણ કરીને રાજ્ય સરકાર પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ વધુ મજબૂત થાય તેવી સંવેદનાપૂર્ણ કામગીરી માટે મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય વહીવટી તંત્રને દિશાનિર્દેશો આપ્યા હતા.
માર્ચ-2026ના આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને સચિવ ડૉ. અજય કુમાર તથા ખાસ ફરજ પરના અધિકારી શ્રી ડી. કે. પારેખ, શ્રી રાકેશ વ્યાસ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ તથા સંબંધિત જિલ્લાઓના કલેક્ટર, એસ.પી., ડી.ડી.ઓ. જોડાયા હતા.
અમદાવાદ રેલવે મંડળની નાગરિક સુરક્ષા વિંગ દ્વારા ૨૦ માર્ચ, ૨૦૨૬ના રોજ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતે "સિવિલ ડિફેન્સ એન્યુઅલ ડે" ની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી ઉમેશ પ્રસાદે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ શહેરી વિકાસના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2005ને શહેરી વર્ષ જાહેર કર્યું હતું, અને તે વર્ષ દરમિયાન શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગુજરાતની આ શહેરી વિકાસયાત્રાને 2025માં 20 વર્ષ પૂર્ણ થયા અને આ 20 વર્ષો દરમિયાન ગુજરાત નોંધપાત્ર શહેરીકરણનું સાક્ષી બન્યું.
ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 ઉમેદવાર યાદી જાહેર: અમરેલીમાં કેજરીવાલની સભા.