રોકાણકારો સાવધાન
એક્સચેન્જના ધ્યાન પર આવ્યું છે કે “નરેન્દ્ર વી સુમરિયા” નામના વ્યક્તિ ડબ્બા ટ્રેડિંગ ઓફર કરી રહ્યાં છે.
મુંબઈ : રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં ગેરકાનૂની ડબ્બા ટ્રેડિંગ પ્રવૃત્તિ પ્રદાન કરતી કોઈપણ વ્યક્તિ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ/પ્રોડક્ટમાં સબ્સ્ક્રાઇબ ન કરો કારણ કે કાયદા દ્વારા તે પ્રતિબંધિત છે. અત્રે નોંધનીય છે કે ઉપરોક્ત વ્યક્તિ ટ્રેડિંગ મેમ્બર (ટીએમ) સાથે ઓથોરાઇડ્ઝ પર્સન (એપી) તરીકે જોડાયેલ/નોંધણી થયેલ હતી તથા એપી તરીકે ઉપરોક્ત એસોસિએશન/રજીસ્ટ્રેશન પાછળથી ટીએમ દ્વારા રદ કરવામાં આવ્યું હતું.
સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956 (એસસીઆરએ)ની કલમ 23(1)ની જોગવાઈઓ મુજબ કોઈપણ સંસ્થા/વ્યક્તિ કે જે એસસીઆરએની કલમ 13, 16, 17 અથવા 19નું ઉલ્લંઘન કરે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જો તે દોષિત ઠરશે તો તેને દસ વર્ષ સુધીનો જેલવાસ અથવા રૂ. 25 કરોડ સુધીનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. એસસીઆરએની કલમ 25 મુજબ, કલમ 23 હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ ક્રિમિનલ પ્રોસિજર કોડ, 1973ના અર્થમાં કોગ્નિઝેબલ ગુનાઓ છે અને તે રીતે રાજ્યના કાયદા અમલીકરણ સત્તાધીશો પણ તે મામલે તપાસ કરી શકે છે. સિક્યોરિટીઝ કાયદાઓનું ઉલ્લંઘન કરવા ઉપરાંત ડબ્બા ટ્રેડિંગ ભારતીય દંડ સંહિતા, 1870ની કલમ 406,420 અને કલમ 120-બીના કાર્યક્ષેત્રમાં પણ આવે છે.
રોકાણકારોને સાવધાન અને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવા ગેરકાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ટ્રેડિંગ ન કરે. આવા ગેરકાયદેસર પ્લેટફોર્મ પર કામ કરવું રોકાણકારના પોતાના જોખમ, ખર્ચ અને પરિણામો પર છે કારણ કે આવા ગેરકાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મને એક્સચેન્જ દ્વારા ન તો મંજૂર કરવામાં આવે છે કે ન તો તેને સમર્થન આપવામાં આવે છે.
રોકાણકારો નોંધ લે કે આવી પ્રતિબંધિત સ્કીમ્સને લગતા કોઈપણ પ્રકારના વિવાદો માટે રોકાણકારો પાસે નીચેનામાંથી કોઈ પણ ઉપાય ઉપલબ્ધ રહેશે નહીં:
1. એક્સચેન્જના ન્યાયક્ષેત્ર હેઠળ રોકાણકારની સુરક્ષાના લાભો
2. એક્સચેન્જ વિવાદ નિરાકરણ પદ્ધતિ
3. એક્સચેન્જ દ્વારા સંચાલિત રોકાણકાર ફરિયાદ નિવારણ પદ્ધતિ રોકાણકારોને ઉપરોક્ત બાબતોની નોંધ લેવાની સલાહ આપવામાં આવે છે.
*રોકાણકારોના હિતાર્થે જારી*
સરકારે સોના-ચાંદી પર આયાત જકાત ઘટાડી: સોનાનો ભાવ $50 ઘટી $1,518/10 ગ્રામ, ચાંદીનો $800 ઘટી $2,657/કિલો. આયાત સસ્તી થતાં ભાવમાં ઘટાડો અપેક્ષિત, પરંતુ આંતરરાષ્ટ્રીય બજાર અને વેપાર ખાધ પર અસર. CBIC નોટિફિકેશન અને અર્થવ્યવસ્થા પર અસર જાણો.
જિયોબ્લેકરૉક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સે ભારતમાં પર્સનલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝ લોન્ચ કરી: ₹10,000થી શરૂ, Aladdin® ટેકનોલોજી સાથે વ્યક્તિગત રોકાણ યોજના, દૈનિક મોનિટરિંગ, પુનઃસંતુલન અને મફત પ્રથમ 3 મહિના. વાર્ષિક ફી ₹350 અથવા 0.35%. MyJio/ JioFinance એપ પર ઉપલબ્ધ. વિગતો જુઓ.
ટર્ટલમિંટ ફિનટેક સોલ્યુશન્સે SEBIમાં UDRHP-1 ફાઇલ કરી – IPOમાં ₹660.7 કરોડ ફ્રેશ ઇશ્યૂ + 2.86 કરોડ શેર OFS (કુલ ~₹2,000 કરોડ). ભારતમાં સૌથી મોટું PoSP નેટવર્ક (484,832 PoSP, 6 લાખ+ ડિજિટલ પાર્ટનર્સ), 19.68 મિલિયન પોલિસી વિતરણ. હેલ્થ, લાઇફ, મોટર ઇન્સ્યોરન્સ + મ્યુચ્યુઅલ ફંડ્સ, લોન. BRLM: ICICI Securities, Jefferies India, JM Financial, Motilal Oswal. BSE/NSE લિસ્ટિંગ પ્લાન. વિગતો અને અપડેટ્સ અહીં વાંચો.