વડોદરામાં પંચાયત વિકાસ સૂચકાંક અંગે મધ્ય ગુજરાત ઝોન કક્ષાની તાલીમ યોજાઈ
રીજીયોનલ કક્ષાની આ કાર્યશાળામાં વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને મહિસાગર જિલ્લાના જિલ્લા પી. ડી. આઈ. નોડલ અધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, ડી. એલ. ઈ.શ્રી તેમજ તમામ ટી. એલ. ઈ.શ્રી સહિત ૨૦૦ થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
પંચાયતોના સર્વાંગી વિકાસ, કામગીરી અને પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટેના આંક એટલે પંચાયત વિકાસ સૂચકાંક (પી. ડી. આઈ.) અંગે જિલ્લા કક્ષાએ વિસ્તૃત સમજ મળી રહે તે હેતુથી રાજ્ય આરોગ્ય પરિવાર કલ્યાણ સંસ્થાન દ્વારા વડોદરા ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિક વિકાસ કમિશનરશ્રી એ. બી. રાઠોડે કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી તેમજ સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપી હતી.
રીજીયોનલ કક્ષાની આ કાર્યશાળામાં વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને મહિસાગર જિલ્લાના જિલ્લા પી. ડી. આઈ. નોડલ અધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, ડી. એલ. ઈ.શ્રી તેમજ તમામ ટી. એલ. ઈ.શ્રી સહિત ૨૦૦ થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. . વડોદરાના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હિરપરાએ આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. નિલાબેન પટેલ દ્વારા પ્રેઝન્ટેશન થકી તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી , તો વડોદરાના જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોષીએ કાર્યક્રમના તાલીમ સ્થળની તથા ટેકનીકલ તમામ કામગીરી સંભાળી હતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી ભાભોર તેમજ જિલ્લા આંકડા અધિકારીશ્રી મિલન શુક્લાએ તાલીમ કાર્યક્રમના સુચારુ આયોજનમાં મદદ કરી હતી.
મહત્વનું છે કે, પંચાયત વિકાસ સૂચકાંક પંચાયતના અધિકારક્ષેત્રમાં આવતા સ્થાનિક સમુદાયોની સુખાકારી અને વિકાસની સ્થિતિને માપવા માટે વિવિધ સામાજિક-આર્થિક સૂચકાંકો અને પરિમાણોને ધ્યાનમાં લે છે.
વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!
ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.