Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ચૈતર વસાવાની ચેતવણી, 5 દિવસમાં માહિતી નહીં તો કલેક્ટર કચેરી સામે ધરણા

ચૈતર વસાવાની ચેતવણી, 5 દિવસમાં માહિતી નહીં તો કલેક્ટર કચેરી સામે ધરણા

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર – કલેક્ટર પર દબાણ, ED ધમકી, 75 લાખ આરોપ ફેરવી તોળી, CID તપાસ માંગ, 5 દિવસમાં માહિતી નહીં તો ધરણા.

Ahmedabad December 26, 2025
ચૈતર વસાવાની ચેતવણી, 5 દિવસમાં માહિતી નહીં તો કલેક્ટર કચેરી સામે ધરણા

ચૈતર વસાવાની ચેતવણી, 5 દિવસમાં માહિતી નહીં તો કલેક્ટર કચેરી સામે ધરણા

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકાર પરિષદ દ્વારા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે કાર્યક્રમમાં કરવામાં આવેલ ખર્ચાની માહિતી જિલ્લા સંકલન બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર પાસે માંગી હતી. જેને લઇને મનસુખભાઈ વસાવાના પેટમાં તેલ રેડાયુ હતું. તેમણે પત્રકાર પરિષદ યોજીને એવું કહ્યું હતું કે “ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સતિષભાઈ મોદીને ડરાવ્યા- ધમકાવ્યા અને ૭૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી.” આ વાત કાર્યપાલક ઇજનેરે નર્મદાના કલેક્ટર એસ કે મોદીને કરી હતી. એસ કે મોદીએ અમને બોલાવીને આ વાત કરી હતી ત્યારે અમે કહ્યું છે કે “એક પણ રૂપિયો આપવાનો થતો નથી.” આ વાતની ગંભીરતા સમજીને અમે 24-12-2025ના રોજ કલેક્ટરને મળવા માટે ગયા હતા. કલેકટરે મિડિયાની ઉપસ્થિતિમાં કહ્યું હતું કે આ વાત બિલકુલ ખોટી છે. બાદમાં કેટલાક મિડિયાએ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કર્યો હતો. તેમણે પણ કહ્યું હતું કે હું તારીખ 7-12 થી રજા પર છું અને આવી કોઈ પણ જાતની રજૂઆત કોઈ અધિકારીને કે કોઈ પણ નેતાને કરી નથી. આ પ્રકરણમાં મારું નામ કઈ રીતે આવ્યું, તે મને સમજાતું નથી. આ વાતને લઈને મનસુખભાઈ વસાવા બોખલાય ગયા છે. તેમણે એટલી હદ સુધી સરકાર અને ભાજપના ઉચ્ચ અને નેતાઓને ધમકી આપી છે કે “હું રાજીનામું આપી દઈશ,પાર્ટી છોડી દઈશ.”

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, ત્યારબાદ ઉપરથી સરકારે કલેક્ટરને સમજાવ્યા છે કે “સત્તા સામે શાણપણ સારું ન લાગે. ગુજરાતમાં અને કેન્દ્રમાં અમારી સરકાર છે. અમે જે કહીએ તે તમારે બોલવાનું છે.” કલેકટર રજા પર જવાના હતા છતાં પણ મનસુખભાઈને મળવા માટે તેમને ઉપસ્થિત રાખવામાં આવ્યા અને એક આખી વાર્તા તૈયાર કરવામાં આવી. મનસુખભાઈ વસાવા પોતાના મોરચા સાથે ત્યાં પહોંચ્યા, ત્યારે કલેકટર કહે છે કે “હેલીપેડ પર થયેલી વાત પ્રમાણે, હું તમારી વાત સાથે સહમત છું.” ઓફિસની અને હેલીપેડની વાત આમાં આવે ક્યાંથી? 75 લાખના તોડના આક્ષેપની વાત હતી, તેના ખુલાસાની વાત કરવાની હતી. આજે જ્યારે કલેક્ટર તેમને સમર્થન આપતા હોય, ત્યારે તમે બંધારણીય પદ પર બેસીને બે મોઢાની વાત કરો તે વ્યાજબી નથી. અમે જે માહિતી માંગી છે તે અમને આપી દો, અમે જે ખુલાસો માંગ્યો છે તે ખુલાસો પણ સાત દિવસમાં અમને કલેક્ટર આપે. અમારા રાજકીય કારકિર્દીને નુકસાન થાય, અમારી શાખને નુકસાન થાય એવું અમે ક્યારેય ચલાવી લેવાના નથી. તમામ શાખાઓમાંથી 10 ગણા ખર્ચાઓ થયેલા છે તેમના પર પણ અમે CIDની માંગ કરીએ છીએ. CID તપાસ કરશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કોન્ટ્રાક્ટ મેળવેલ એજન્સીઓ મનસુખભાઈની સાથેની હોવાનું કહેવાય છે, જેને કારણે હવે તેમનું ચાલ-ચરિત્ર બહાર આવી ગયું છે, તેને તેઓ બચાવવા માંગે છે. અમને જાણવા મળ્યું છે કે કલેકટરને ED સુધીની ધમકીઓ આપવામાં આવી છે. સરકાર દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે કે “સત્તાની સામે શાણપણ યોગ્ય નથી. અમે કહીએ તે પ્રમાણે તમારે નિવેદન આપવાનું છે.” કલેક્ટરની મજબૂરી હું સમજી શકું છું. કલેકટર પર દબાવ નાખવામાં આવ્યો તે દબાવમાં આવીને આજે તેમને વાત ફેરવી નાખી છે. છતાં પણ અમે તેની મજબૂરી સમજીએ છીએ. આવનારા દિવસોમાં આ કાર્યક્રમની તમામ માહિતી અમે માંગીશું. જે પણ જવાબદાર છે તેના પર CIDની તપાસ થાય રિકવર થાય તે અમારી માંગ છે. અમને જરૂર લાગશે તો આવનારા પાંચ દિવસ પછી યોગ્ય ખુલાસા નહીં મળે તો કલેક્ટર કચેરીની સામે હું મારા સમર્થકો સાથે ધરણા પર બેસવાનો છું.

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, તેમણે પ્રેસ વાર્તા કરી ત્યારે ક્યારેય હેલીપેડનો ઉલ્લેખ કર્યો નથી. એવું કહ્યું હતું કે મને અને નીલ રાવને કલેક્ટરે બોલાવીને અમારી સમક્ષ રજૂઆત કરી હતી. કોણે રજૂઆત કરી, કયું સ્થળ હતું આ વિષય જ નથી. વાત 75 લાખના તોડની છે અને હવે પાછું હેલીપેડ આવે છે. ક્યાંક ને ક્યાંક આખી વાર્તા ઉભી કરવામાં આવી છે. કલેક્ટર કાર્યપાલક ઇજનેર પર સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું. એવી માહિતી મળી છે કે મનસુખભાઈએ કલેકટરને ફોન કરીને અપશબ્દ બોલ્યા છે. એટલે કલેક્ટરે ડરીને આજે ફેરવી તોળ્યો છે, અને બે મોઢાની વાત કરી છે.કલેકટરને કહેવા માગું છું કે તમે નીડર રહો, અમે તમારી સાથે છીએ. તમે બંધારણીય પદ પર છો, નીડરતાથી, નિષ્પક્ષ નિવેદન કરો. અમે બેઠા છીએ. જરૂર પડશે તો આખા ગુજરાતના લોકોને અહીંયા ઉપસ્થિત કરીશું. કોઈને ડરવાની જરૂર નથી. અમને અધૂરી માહિતી મળી છે. પૂરી માહિતી નહીં મળે તો મારા અધિકાર પ્રમાણે હું ત્રીજી વખત પણ જિલ્લા સંકલનમાં મુકીશ. મને પૂરી માહિતી મળવી જોઈએ અને તેના પર CIDની તપાસ થાય એ અમારી માંગ છે.

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, મેં જે લેખિતમાં અરજી આપી છે તેને આવનારા પાંચ દિવસોમાં ખુલાસો થવો જોઈએ. મારી શાખ મીટાવવા માટે મારા પર ખૂબ ગંભીર પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે તેનો ખુલાસો થવો જોઈએ. મારા સમર્થકોનાં મારા પર ફોન આવે છે અને પૂછે છે સાહેબ શું કરવાનું? મેં બધાને રોકી રાખ્યા છે. જરૂર પડશે તો પાંચ દિવસ પછી બધાને આહવાન કરીશ. નેત્રંજની જેમ લાખોની સંખ્યામાં મારા સમર્થકો ઉમટી પડશે. કાયદો અને વ્યવસ્થા બગડશે તેની જવાબદારી તંત્રની રહેશે. સરકાર તમારી,પોલીસ તમારી, બધું જ તમારું છે. હમણાં મનસુખભાઈએ કહ્યું કે “સીસીટીવી ફૂટેજ છે, મોબાઇલમાં રેકોર્ડિંગ છે”, તો જનતા સામે જાહેર કરો. હું જાહેર જીવન છોડવા તૈયાર છું. હું તેમના જેવી ખોખલી વાતો કરતો નથી. રાત્રે રાજીનામાંની વાત કરે અને બીજા દિવસે કલેક્ટરને દબાવે છે. કલેક્ટરને ધમકાવવામાં આવ્યા છે. ઈડીની વાત કરવાથી કલેકટર ગભરાઈ ગયા છે. તેમની રજા મંજૂર થયેલી છે છતાં પણ તેમને સરકારના દબાવથી બેસવું પડ્યું છે. કલેકટરની મજબૂરી હું સમજી શકું છું. મનસુખભાઈનું ચાલ ચરીત્ર બહાર આવ્યું છે. તેમનો ચહેરો અને તેમનો હાવ ભાવ જોજો. તેમની વૃત્તિ પહેલેથી પોતાની લીટી લાંબી કરવા માટે બીજાને લીટી ભૂંસવાની રહી છે. તમે જોયું હશે કે અહીંના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પર આક્ષેપ કર્યા, ધારાસભ્ય રીતેશભાઈ વસાવા આક્ષેપ કર્યા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા સામે લડાઈ હતી. શબ્દ શરણ તડવી સામે લડાઈ હતી, આજ જિલ્લાના પ્રમુખ નીલ રાવને પણ અપશબ્દો બોલ્યા, ઘનશ્યામ પટેલ,મહેશભાઈ વસાવા, છોટુભાઈ વસાવા, ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા સામે પણ પડ્યા છે. તેમનાથી કોઈ આગળ જાય તે સહન થતું નથી. મનસુખભાઈ જે પ્રકારે ઘરે બોલાવીને મિડિયાને સ્ટેટમેન્ટ આપે છે તે પાર્ટી અને સરકાર પણ જાણે છે. આ પાયાવિહોણી વાતો કરે છે. આજે જનતા જાગી ગઈ છે. જનતા પ્રોગ્રામનો હિસાબ માંગે છે. આ પૈસા કોઈ કમલમમાંથી નથી આવ્યા. કોઈ નેતાના ઘરેથી નથી આવ્યા. જે પણ 50 કરોડનો ખર્ચો થયો છે તે નર્મદા જિલ્લાના આદિજાતિ બાળકોના, આદિજાતિ લોકોના વિકાસના પૈસા ખર્ચા થયા છે. અમે એક-એક રૂપિયાનો હિસાબ લઈશું. આ લડત આવનારા દિવસોમાં વધવાની છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોવાના લોકો તૈયાર છે પરિવર્તન માટે. AAPની 2027ની મહાયોજના, કેજરીવાલે કહ્યું 'સત્તા નહીં, સેવા'
goa
January 31, 2026

ગોવાના લોકો તૈયાર છે પરિવર્તન માટે. AAPની 2027ની મહાયોજના, કેજરીવાલે કહ્યું 'સત્તા નહીં, સેવા'

ગોવામાં આમ આદમી પાર્ટી 2027 વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની રણનીતિમાં બૂથ-સ્તર સંગઠન, પર્યાવરણ રક્ષણ, ભ્રષ્ટાચાર વિરોધ અને યુવાનો-મહિલાઓની ભાગીદારી. પંજાબ મોડેલ ગોવામાં લાગુ કરીને પરિવર્તનની ગેરંટી. વાંચો વિગતો.

ખેડૂતો માટે લડત લડનાર 7 નેતાઓને જામીન: બોટાદ કોર્ટનો ચુકાદો, ભાજપ સરકાર પર ઈસુદાન ગઢવીનો પ્રહાર
ahmedabad
January 31, 2026

ખેડૂતો માટે લડત લડનાર 7 નેતાઓને જામીન: બોટાદ કોર્ટનો ચુકાદો, ભાજપ સરકાર પર ઈસુદાન ગઢવીનો પ્રહાર

બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 7 AAP ખેડૂત નેતાઓને જામીન મંજૂર કર્યા. ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે” – ભાજપ સરકારે કડદા રોકનારાઓને જેલમાં નાખ્યા, પરંતુ સત્યની જીત થઈ. ખેડૂતોમાં રોષ અને ખુશીની લાગણી. આગામી કાર્યક્રમોની જાહેરાત – વિગતો અહીં વાંચો.

વડોદરામાં હરણી કાંડના પીડિતોની વેદના સાંભળી કેજરીવાલ થયા ભાવુક, ભાજપ સરકાર પર આકરા પ્રહાર!
vadodara
January 19, 2026

વડોદરામાં હરણી કાંડના પીડિતોની વેદના સાંભળી કેજરીવાલ થયા ભાવુક, ભાજપ સરકાર પર આકરા પ્રહાર!

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ વડોદરામાં હરણી મોટનાથ તળાવ (Harni Motnath Lake) બોટ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. 19 જાન્યુઆરી, 2026 ના રોજ વડોદરાની મુલાકાત દરમિયાન કેજરીવાલે 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જીવ લેનારી આ કરૂણ ઘટનામાં ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.

Braking News

પોલીસને મળ્યો ધમકીભર્યો સંદેશ , દેશ હચમચી જશે, ૧૪ આતંકવાદીઓ મુંબઈમાં ઘૂસી ગયા છે
પોલીસને મળ્યો ધમકીભર્યો સંદેશ , દેશ હચમચી જશે, ૧૪ આતંકવાદીઓ મુંબઈમાં ઘૂસી ગયા છે
September 05, 2025

મુંબઈ પોલીસને એક ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો છે, જેમાં 'લશ્કર-એ-જેહાદી' નામના સંગઠનનું નામ લખેલું છે. સંદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે ૧૪ આતંકવાદીઓ શહેરમાં ઘૂસી ગયા છે અને તેમણે ૩૪ વાહનોમાં ૪૦૦ કિલો RDX રાખ્યું છે, જે દેશને હચમચાવી નાખશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
February 21, 2023
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
April 06, 2023
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
April 01, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express