અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને સમય પાલનતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના ફળસ્વરૂપે આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો માટે વધુમાં વાંચો.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને સમય પાલનતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના ફળસ્વરૂપે આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે :
1) ટ્રેન નં. 12267 મુંબઈ-હાપા દુરન્તો એક્સપ્રેસના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 30.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 04.50/04.55 કલાકને બદલે 04.45/04.50 કલાક રહેશે.
2) ટ્રેન નં. 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 30.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય અમદાવાદ સ્ટેશન પર 05.00/05.05 કલાકને બદલે 04.55/05.00 કલાકે, વિરમગામ સ્ટેશન પર 06.23/06.25 કલાકને બદલે 06.15/06.17 કલાકે રહેશે.
3) ટ્રેન નં. 19270 મુજફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 01.06.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 02.50/02.52 કલાકને બદલે 02.20/02.22 કલાકે, મહેસાણા સ્ટેશન પર 03.40/03.42 કલાકને બદલે 03.15/03.17 કલાકે, ચાંદલોડિયા B સ્ટેશન પર 04.40/04.45 કલાકને બદલે 04.30/04.35 કલાકે અને વિરમગામ સ્ટેશન પર 05.44/05.46 કલાકને બદલે 05.32/05.34 કલાકે રહેશે.
4) ટ્રેન નં. 20914 દિલ્લી સરાઈ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 30.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 02.50/02.52 કલાકને બદલે 02.20/02.22 કલાકે, મહેસાણા સ્ટેશન પર 03.57/03.59 કલાકને બદલે 03.15/03.17 કલાકે અને વિરમગામ સ્ટેશન પર 05.00/05.02 કલાકને બદલે 04.30/04.32 કલાકે રહેશે.
5) ટ્રેન નં. 19566 દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 01.06.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 02.50/02.52 કલાકને બદલે 02.20/02.22 કલાકે, સિદ્ધપુર સ્ટેશન પર 03.15/03.17 કલાકને બદલે 02.46/02.48 કલાકે, ઉંઝા સ્ટેશન પર 03.32/03.34 કલાકને બદલે 03.04/03.06 કલાકે, મહેસાણા સ્ટેશન પર 03.57/03.59 કલાકને બદલે 03.24/03.26 કલાકે અને વિરમગામ સ્ટેશન પર 05.00/05.02 કલાકને બદલે 04.30/04.32 કલાકે રહેશે.
6) ટ્રેન નં. 22932 જેસલમેર-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 31.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 04.20/04.22 કલાકને બદલે 04.55/04.57 કલાકે, ઉંઝા સ્ટેશન પર 05.00/05.02 કલાકને બદલે 05.32/05.34 કલાકે, મહેસાણા સ્ટેશન પર 05.28/05.30 કલાકને બદલે 05.52/05.54 કલાકે અને કલોલ સ્ટેશન પર 06.03/06.05 કલાકને બદલે 06.26/06.28 કલાકે, સાબરમતી સ્ટેશન પર 06.34/06.36 કલાકને બદલે 06.47/06.49 કલાકે રહેશે.
7) ટ્રેન નં. 20984 દિલ્લી સરાઈ રોહિલ્લા-ભુજ એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 31.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય પાલનપુર સ્ટેશન પર 04.45/04.47 કલાકને બદલે 04.05/04.10 કલાકે, ભીલડી સ્ટેશન પર 05.25/05.27 કલાકને બદલે 04.50/04.52 કલાકે, ભાભર સ્ટેશન પર 05.59/06.01 કલાકને બદલે 05.24/05.26 કલાકે, ભચાઉ સ્ટેશન પર 08.32/08.34 કલાકને બદલે 07.59/08.01 કલાકે, ગાંધીધામ સ્ટેશન પર 09.30/09.45 કલાકને બદલે 09.05/09.20 કલાકે, અંજાર સ્ટેશન પર 10.10/10.12 કલાકને બદલે 09.45/09.47 કલાકે રહેશે તથા ભુજ સ્ટેશન પર આગમન 11.30 કલાકને બદલે 11.05 કલાકે રહેશે.
8) ટ્રેન નં. 19027 બાન્દ્રા ટર્મિનસ-જમ્મૂ તવી એક્સપ્રેસ ના કેટલાક સ્ટેશનોના આગમન/પ્રસ્થાન સમયમાં 31.05.2025 થી અન્ય સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય મહેસાણા સ્ટેશન પર 20.40/20.42 કલાકને બદલે 20.16/20.18 કલાકે તથા પાલનપુર સ્ટેશન પર 22.18/22.20 કલાકને બદલે 22.05/22.10 કલાકે રહેશે.
ટ્રેનોના રોકાણ, આગમન/પ્રસ્થાન સમય સહિત અન્ય અદ્યતન માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – ૨૦૨૫” અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં “જળ સંચય જન ભાગીદારી” અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે.
ઓબેસીટી ક્લિનીકમાં નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મેદસ્વીતા ક્લિનીક શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં ૫૬૯ દર્દીઓ વધારે વજન તથા મેદસ્વી કેટેગરી તપાસીને જરૂરી સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.