પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત
રેલકર્મીઓએ વાર્ષિક 100 કલાક શ્રમદાન કરી સ્વચ્છતાના સંકલ્પને ચરિતાર્થ કરવાના શપથ લીધા.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર સ્વચ્છતા પખવાડિયાની શરૂઆતમાં મંડળ રેલ પ્રબંધક શ્રી જીતેન્દ્ર સિંહે હાજર રહેલા તમામ રેલ-કર્મચારીઓ અને અધિકારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા. આ દરમિયાન તમામે વાર્ષિક 100 કલાક શ્રમદાન કરી સ્વચ્છતાના સંકલ્પને ચરિતાર્થ કરવાના શપથ લીધા.
ડીઆરએમ શ્રી જીતેન્દ્ર સિંહે સૌને જણાવ્યું કે આપણે ગંદકી દૂર કરી ભારત માતા ની સેવા કરવાનો સંકલ્પ લેવાનો છે. એ માટે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગ્રત રહેવા સાથે તે માટે સમય પણ આપવો પડશે. આપણે આની શરૂઆત આપણા પોતાના થી, પરિવાર થી, શેરી-મહોલ્લા થી, ગામ થી તેમ જ આપણા કાર્યસ્થળથી કરવી જોઇએ. એ માટે આપણે નિશ્ચય કરવો જોઇએ કે ન તો હું ક્યાંય ગંદકી ફેલાવીશ અને ન તો બીજાને ફેલાવવા દઇશ. શ્રી સિંહે હાજર રેલ-કર્મચારીઓને આગ્રહ કર્યો કે સૌ પોતપોતાની રીતે 100 વ્યક્તિઓને સ્વચ્છતાના શપથ લેવડાવે જેથી સ્વચ્છતા તરફ ભરેલું આપણું એક પગલું સમગ્ર ભારતને સ્વચ્છ બનાવવામાં મદદરૂપ થશે.
વરિષ્ઠ મંડળ યાંત્રિક એન્જિનિયર શ્રી ભજનલાલ મીણાએ જણાવ્યું કે આખું પખવાડિયું ચાલનારા આ સ્વચ્છતા અભિયાનમાં દરેક દિવસને અલગ અલગ થીમ આપવામાં આવી છે અને આ દરમિયાન સ્વચ્છતા જાગૃતિ, સેમિનાર અને રેલીનું પણ આયોજન કરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.