નાંદોદ તાલુકામાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશને ગ્રામજનોનો જબરદસ્ત પ્રતિસાદ
સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત નાંદોદ તાલુકાના નવા વાઘપુરા ખાતે ગ્રામજનોનો સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓમાં જબરદસ્ત પ્રતિસાદ જોવા મળ્યો છે.
રાજપીપલા : “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત નાંદોદ તાલુકાના નવા વાઘપુરા ખાતે ગ્રામજનોનો સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓમાં જબરદસ્ત પ્રતિસાદ જોવા મળ્યો છે. ગ્રામજનોએ પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત પંચાયત ઘરની સામુહિક સાફસફાઈ કરીને લોકોને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.
જિલ્લાના નાગરિકો સ્વચ્છતા ઝુંબેશમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવીને અન્ય લોકોને સ્વચ્છતાનો સંદેશો આપી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાઓ અને બાળકોમાં પણ સ્વચ્છતા પ્રત્યે સભાનતા કેળવાય તે માટે અનેકવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. નર્મદા
જિલ્લામાં વેગવાન બનેલા આ સ્વચ્છતા હી સેવા ઝુંબેશમાં લોકોમાં સ્વચ્છતાની ભાવના કેળવવા કારગત રહ્યું છે.
આ અભિયાન હેઠળ રાજ્યભરમાં ૨,૮૪૧થી વધુ કાર્યક્રમો યોજાયા છે, જેમાં રાજ્યભરના ૨,૩૨,૦૬૪થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો જોડાયા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત રાજ્ય દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લામાં ભારત સરકારશ્રી દ્વારા ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (નવસારી કૃષિ યુનિવર્સિટી), દેડીયાપાડા, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે તા. ૪/૬/૨૦૨૫ ના રોજ સાગબારા તાલુકાના પાનખલા ગામમાં ખેડૂતલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ 02 જૂન 2025 ના રાત્રે લગભગ 22:00 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન ના સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પર સુરક્ષા નિરીક્ષણ દરમ્યાન રેલવે સુરક્ષા બળ ના એસઆઈપીએફ પિયુષ ચૌધરી ને એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ટીટીઈ ની વર્દીમાં જોવા મળ્યો.