સુત્રાપાડા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરાઇ
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૧નાં ધાર્મિક સ્થળ તથા આસપાસના વિસ્તારોની સાફ સફાઇ કરવામા આવી હતી.
ગીર સોમનાથ : રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૧નાં ધાર્મિક સ્થળ તથા આસપાસના વિસ્તારોની સાફ સફાઇ કરવામા આવી હતી.
સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૧માં રામદેપીર મંદિર સહિતના આસપાસના વિસ્તારોમાંથી પ્લાસ્ટિક, કાગળો,ઘાસ સહિતનો કચરો તેમજ ગંદકીની સાફ સફાઇ કરીને આ વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યા હતા અને આ સ્વચ્છતા ઝૂંબેશની કામગીરી સુત્રાપાડા નગરપાલીકાના સેનીટેશન શાખાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.
નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.