અમરેલી લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર જેનીબેન ઠુંમરને જન આશિર્વાદ સભાંમાં પ્રચંડ જનસમર્થન
આજરોજ કોંગ્રેસનાં લોકસભાનાં ઉમેદવાર જેનીબેન ઠુંમર દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. આ પહેલા અમરેલીનાં કુંકાવાવ રોડ પર આવેલ "વિ.કે. ફાર્મ "ખાતે ઉમેદવારનાં સમર્થનમાં "જન આશીર્વાદ સભાં"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાંમાં સેંકડોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટી પડ્યા હતા.
આજરોજ કોંગ્રેસનાં લોકસભાનાં ઉમેદવાર જેનીબેન ઠુંમર દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. આ પહેલા અમરેલીનાં કુંકાવાવ રોડ પર આવેલ "વિ.કે. ફાર્મ "ખાતે ઉમેદવારનાં સમર્થનમાં "જન આશીર્વાદ સભાં"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાંમાં સેંકડોની સંખ્યામાં કાર્યકર્તા ઓ અને સમર્થકો ઉમટી પડ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ચુંટણીમાં અમરેલી બેઠક પર ભાજપ ખુબજ રક્ષણાત્મક સ્થિતિમાં હોય તેમ મોળો મોળો પ્રચાર કરી રહ્યું છે. એક તરફ કોંગ્રેસનાં ઉમેદવાર મીડિયા સામે આવી અમરેલી જિલ્લાનાં વિકાસ માટેનાં પોતાના આયોજનની ચર્ચા કરી રહ્યા છે.ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે, જનસંપર્ક કરી રહ્યા છે તેની બીજી તરફ ભાજપ અને તેનાં ઉમેદવાર મીડિયાથી દુર ભાગતા હોય તેવું ચિત્ર ઉભું થઈ રહ્યું છે.
અમરેલી જિલ્લામાં ભાજપ કાં તો "અતિ આત્મવિશ્વાસ "માં છે અથવા તો" કંઈક કાચું કપાયા "ની મનોસ્થિતિમાં હોય તેમ પ્રચાર કરવાનાં મહત્વપૂર્ણ તબક્કે હજુ પણ હતપ્રભ અવસ્થા માં હોય તેમ લાગી રહ્યું છે. અમરેલી જિલ્લા ની આ સ્થિતિ કંઈક પરિવર્તન નો સંકેત તો નથી ને? તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.
નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.