અમરેલીમાં રોડકામમાં ભ્રષ્ટાચાર,કરોડો રૂપિયાનો ખર્ચ છતાં સેમ્પલ ફેલ : નિકુંજ સાવલિયા AAP
અમરેલી જિલ્લામાં ₹11 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ કર્યો છે. તેમણે જણાવ્યું કે કાયદામંત્રીના વિસ્તારમાં જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને કાયદાનો ડર નથી, જેના કારણે નબળી ગુણવત્તાના રોડના સેમ્પલ ફેલ ગયા છે.
અમદાવાદ / અમરેલી / ગુજરાત : આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે જનતાના ટેક્સના પૈસે અમરેલીમાં બનેલા રસ્તાઓની હાલત ખૂબ જ નબળી છે અને આ જીવતું જાગતું ઉદાહરણ છે કે સરકારના કામોમાં કેવી રીતે ભ્રષ્ટાચાર થાય છે. થોડા મહિનાં પહેલાં બનાવવામાં આવેલો રોડ આજે દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે અને તેના સેમ્પલ પણ ફેલ થઈ ગયા છે. આખો રોડ નબળી ગુણવત્તાનો બનાવવામાં આવ્યો છે. છેલ્લા દોઢથી અઢી વર્ષથી આ રોડનું કામ ચાલી રહ્યું છે, છતાં આજે પણ તેની સ્થિતિ સંતોષકારક નથી. રોડનું કામ શરૂ થયાથી લઈને અત્યાર સુધી તેમાં યોગ્ય દેખરેખ રાખવામાં આવી નથી. પ્રદેશના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ આ વિસ્તારમાં આવતા હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. વિચારવા જેવી વાત એ છે કે જે વિસ્તારમાં રાજ્યના કાયદામંત્રીનો પ્રભાવ છે, ત્યાં જ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ બેફામ બની કામ કરી રહ્યા છે અને કાયદાનો કોઈ ડર નથી. અંદાજે અગિયાર કરોડ રૂપિયાનો આ રોડ બનાવવામાં આવ્યો છે, છતાં જનતાના ટેક્સના પૈસાનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે.
AAP નેતા નિકુંજ સાવલિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે આગળ રેલવે ક્રોસિંગ પર બ્રિજ મંજૂર થયો હોવા છતાં આ રોડ બનાવવામાં આવ્યો છે, જ્યારે થોડા મહિનામાં જ બ્રિજનું કામ શરૂ થવાનું છે. પરિણામે હાલ બનાવેલો રોડ ફરીથી ખોદી નાખવામાં આવશે, જે સ્પષ્ટ કરે છે કે અગાઉથી જ ભ્રષ્ટાચાર અને ખોટી યોજના સાથે કામ કરવામાં આવ્યું છે. નિકુંજ સાવલિયાએ આક્ષેપ કર્યો કે ભ્રષ્ટાચારને કારણે હલકી ગુણવત્તાનો રોડ બનાવવામાં આવ્યો છે, કારણ કે થોડા સમયમાં જ તેને તોડી નાખવાનો હતો. છેલ્લા લાંબા સમયથી લોકો અહીં મુશ્કેલી ભોગવી રહ્યા છે અને હવે ફરીથી રોડના કામને કારણે આગામી દિવસોમાં વધુ હેરાનગતિનો સામનો કરવો પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર વ્યાપક રીતે ફેલાયો છે. મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં જમીન પર કામ નબળું અને ભ્રષ્ટાચારયુક્ત છે. કાયદામંત્રીના વિસ્તારમાં જ કાયદાનો ભય ન હોવો એ ચિંતાજનક બાબત છે. આમ જનતાને સંબોધતા તેમણે અપીલ કરી કે લોકો જાગે અને આવા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે. સાથે સાથે તેમણે જિલ્લા કલેક્ટરને પણ વિનંતી કરી કે તેઓ તાત્કાલિક તપાસ કરીને જવાબદાર અધિકારીઓ, એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં અમરેલી જિલ્લામાં આવી ઘટનાઓ ફરી ન બને.
આમ આદમી પાર્ટી ગુજરાત
રાજકોટમાં કોળી સમાજના યુવાન પર થયેલા અમાનવીય પોલીસ અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું કે, એક IPS અધિકારીએ તપાસના નામે યુવાનને નિર્વસ્ત્ર કરી, ઊંધો લટકાવીને કલાકો સુધી બેરહેમીથી માર માર્યો છે. પ્રવિણ રામે આક્ષેપ કર્યો કે ભાજપના શાસનમાં અધિકારીઓ બેફામ બન્યા છે અને અગાઉ હડદડમાં પણ કોળી યુવાન પર ૧૫૦ થી વધુ ધોકા મારી અત્યાચાર ગુજારાયો હતો.
કોળી સમાજના એક યુવાન પર IPS જગદીશ બાંગરવા દ્વારા કરવામાં આવેલા કથિત અમાનવીય અત્યાચાર મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ફેસબુક લાઈવ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે યુવાનને ઊંધો લટકાવી બેરહેમીથી માર મારવામાં આવ્યો છે.