Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સાંસ્કૃતિક સંગમ: સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નીલકંઠ ધામની મુલાકાતે જનજાતીય યુવાનોને કર્યા મંત્રમુગ્ધ

સાંસ્કૃતિક સંગમ: સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નીલકંઠ ધામની મુલાકાતે જનજાતીય યુવાનોને કર્યા મંત્રમુગ્ધ

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૧૭માં જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ હેઠળ ૨૫૦ યુવાનોએ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' અને પોઈચા સ્થિત 'નીલકંઠ ધામ'ની મુલાકાત લીધી હતી. આ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ દ્વારા યુવાનોએ રાષ્ટ્રીય એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નિહાળી ગર્વની લાગણી અનુભવી હતી. નીલકંઠ ધામ ખાતે સ્વામીજીએ યુવાનોને રાષ્ટ્ર સેવા અને શ્રેષ્ઠ નાગરિક બનવા પ્રેરણા આપી હતી. આ યાદગાર પ્રવાસ અંતરિયાળ વિસ્તારના યુવાનોમાં દેશપ્રેમ અને વિકાસની ભાવના જાગૃત કરવાના હેતુથી સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો.

Ahmedabad March 02, 2026
સાંસ્કૃતિક સંગમ: સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નીલકંઠ ધામની મુલાકાતે જનજાતીય યુવાનોને કર્યા મંત્રમુગ્ધ

સાંસ્કૃતિક સંગમ: સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નીલકંઠ ધામની મુલાકાતે જનજાતીય યુવાનોને કર્યા મંત્રમુગ્ધ

રાજપીપલા:  ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૧૭માં જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ (TYEP) અંતર્ગત ૧ માર્ચ
૨૦૨૬ના રોજ ૨૫૦ જનજાતીય યુવાનોએ નર્મદા જિલ્લા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અને ‘નીલકંઠ ધામ’ (પોઈચા)ની શૈક્ષણિક અને સાંસ્કૃતિક મુલાકાત લીધી હતી. એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા નિહાળીને યુવાનો મંત્રમુગ્ધ બન્યા હતા અને ભારત સરકાર દ્વારા નિર્મિત આ અદભૂત સ્મારકને રાષ્ટ્રીય એકતાના પ્રતીક તરીકે બિરદાવી ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રવાસ દરમિયાન યુવાનોએ પોઈચા સ્થિત નીલકંઠ ધામની પણ મુલાકાત લીધી હતી, જ્યાં પરમ પૂજ્ય અચલજીવન સ્વામીજીએ યુવાનોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, યુવાનોએ પોતાનું જીવન રાષ્ટ્ર અને સમાજ સેવા માટે સમર્પિત કરી શ્રેષ્ઠ નાગરિક બનવું જોઈએ. આ યાદગાર પ્રવાસના સફળ આયોજન બદલ સહભાગી યુવાનોએ રાજ્યસભાના સાંસદ શ્રી
ગોવિંદભાઈ ધોળકિયા અને હરે કૃષ્ણ ડાયમંડના ચેરમેન શ્રી સવજીભાઈ ધોળકિયાનો વિશેષ આભાર માન્યો હતો.

માઈ ભારત સુરતના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ તેમજ નર્મદાના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી પંકજ યાદવના વહીવટી સહયોગ, ભાવનગરના જિલ્લા યુવા અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ ગિલ અને નર્મદાના એકાઉન્ટ્સ એન્ડ પ્રોગ્રામ સુપરવાઈઝર શ્રી ચંદ્રકાંત બક્ષીના સક્રિય સંકલનથી આ સમગ્ર પ્રવાસનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય અંતરિયાળ વિસ્તારના યુવાનોને દેશની અસ્મિતા અને વિકાસના પ્રતીકોથી પરિચિત કરાવી તેમનામાં દેશપ્રેમ અને એકતાની ભાવનાને વધુ સુદ્રઢ બનાવવાનો છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તર અંગે ચિંતા વ્યક્ત કરી
પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તર અંગે ચિંતા વ્યક્ત કરી
November 14, 2024

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું હોવાથી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સ્વચ્છ હવાની તાત્કાલિક જરૂરિયાત પર પ્રકાશ પાડતા તેમની ચિંતા વ્યક્ત કરી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
February 22, 2023
લીંબુના ઘણા ફાયદા: તમારે તમારા દૈનિક આહારમાં આ સાઇટ્રસ ફળ શા માટે સામેલ કરવું જોઈએ
લીંબુના ઘણા ફાયદા: તમારે તમારા દૈનિક આહારમાં આ સાઇટ્રસ ફળ શા માટે સામેલ કરવું જોઈએ
April 01, 2023
ટાઇટેનિકથી વિલ્હેમ ગસ્ટલોફ સુધી: વિશ્વને હચમચાવી નાખતી દરિયાઇ આપત્તિઓની દુ:ખદ વાર્તાઓ
ટાઇટેનિકથી વિલ્હેમ ગસ્ટલોફ સુધી: વિશ્વને હચમચાવી નાખતી દરિયાઇ આપત્તિઓની દુ:ખદ વાર્તાઓ
June 25, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express