નિવાલ્દા ગામના મોતીનગરમા સસરાનાં ત્રાસ થી પુત્રવધૂએ આપઘાત કરતા સસરા વિરૂદ્ધ ગુનો દાખલ
સસરાએ પુત્રવધૂને આપઘાત કરવા મજબૂર કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ થતા પોલીસે તપાસ હાથ ધરી.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામમાં પુત્રવધૂનાં આપઘાતનાં કિસ્સામાં સસરા વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે
મળતી માહિતી અનુસાર ભુપેંદ્રભાઇ ડાહ્યાભાઇ વસાવા રહે.નાના સોરાપાડા હેલંબી ફળીયા તા.ડેડીયાપાડા જી.નર્મદાનાઓએ આપેલી ફરિયાદ મુજબ મરનાર સીમાબેન ભુપેન્દ્રભાઇ ડાહયાભાઇ વસાવા જે અંકિત ભાઇ રામાભાઇ ફતેસિંગભાઇ વસાવાની પત્ની ઉ.વ.આ. ૧૯ રહે.દાભવણ તા.દેડીયાપાડા જી.નર્મદા હાલ રહે.મોતીનગર નિવાલ્દા તા.દેડીયાપાડા જી.નર્મદા નાનીને તેના સસરા રામાભાઇ ફતેસિંગભાઇ વસાવા મુળ રહે દાભવણ તા-ડેડીયાપાડા જી- નર્મદા હાલ રહે.મોતીનગર નિવાલ્દા તા.દેડીયાપાડા જી.નર્મદાનાઓ છેલ્લા ત્રણ વર્ષથી યેનકેન પ્રકારે ત્રાસ આપી પુત્ર અંકિત તથા મરનાર પુત્રવધૂ સાથે ઝઘડો કરી કામ બાબતે તથા નાની-મોટી વાતોમાં વાંક કાઢી ગાળો આપી માનસીક ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા મરનાર એ કંટાળી જતા મરવા માટે મજબુર થઈ મોતીનગર સોસાયટી ખાતે આવેલ જીપ લાઇન રાઇડના લોખંડના સ્ટેન્ડ સાથે નાઇલોનની દોરી વડે સીમાબેનએ ગળે ફાસો ખાઇ લેતા મોત થયું હતું. ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!
ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.