રાજપીપલા સરકારી મુકબધિર નિવાસી શાળામાં દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
લોકસભાની ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને શ્રીમતી શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ સરકારી મુકબધિર નિવાસી શાળા રાજપીપલા ખાતે નાંદોદ તાલુકાના દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
રાજપીપલા: લોકસભાની ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનેજિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ આજરોજ સરકારી મુકબધિર નિવાસી શાળા રાજપીપલા ખાતે નાંદોદ તાલુકાના દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.લોકસભા સામાન્ય ચુંટણી- ૨૦૨૪માં દિવ્યાંગ મતદારો દ્વારા વધુમાં વધુ મતદાન કરવામાં આવે તેવા હેતુથી નોડલ અધિકારીશ્રી PwD સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નર્મદા અને નોડલ અધિકારી SVEEP સહ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની સાથે સંકલનમાં રહી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મદદનીશ નોડલ અધિકારીશ્રી PwD સહ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નાંદોદ તેમજ સ્ટાફ અને જિલ્લાના દિવ્યાંગજનો સાથે સંકળાયેલ સંસ્થા દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી જયકુમાર પટેલ હાજર રહીને દિવ્યાંગોને આવનાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં ૧૦૦% મતદાન કરી શકે તે
માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીએ દિવ્યાંગોને પોતાનો મતાધિકાર પોતાના મતદાન મથક પર યોગ્ય રીતે મતદાન કરી શકે તે માટે દિવ્યાંગોને સુવિધાઓ પુરી પાડવા અંગે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન ચલાવતા દિવ્યાંગ તરીકે જયકુમારે મત આપવા જવા ખાતરી આપી અને જિલ્લાના દરેક દિવ્યાંગો સારી રીતે મતદાન કરી શકે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત મોબાઈલ
વાપરતા દિવ્યાંગોને E-Saksham App ડાઉનલોડ કરવા અપીલ કરી અને તેનો ઉપયોગ કરવા જણાવ્યું
હતું. પ્રાંત કચેરી નાંદોદના નાયબ મામલતદાર સંદીપ મકવાણા દ્વારા દિવ્યાંગ મતદારો માટેની તંત્રની વિવિધ જોગવાઈઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે લોકસભા ચુંટણી ૨૦૨૪ સંદર્ભે કોઈપણ મુંઝવણ બાબતે કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતમાં સંચાલન કરનાર મહેન્દ્રભાઈ વસાવા દ્વારા તમામ દિવ્યાંગ મતદારો ૧૦૦% મતદાન માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.