અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે મળી જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
અરવલ્લી જિલ્લાના પ્રશ્નો અને હિતોના નિરાકરણ માટે બેઠક યોજાઈ હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ જૂથો અને અધિકારીઓએ હાજરી આપી હતી. અહીં મીટિંગના હાઇલાઇટ્સ અને અપડેટ્સ વિશે વધુ જાણો.
(પ્રતિનિધિ રાકેશ મહેતા)ધનસુરા: અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીકની અઘ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.
લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.ધારાસભ્ય પી.સી. બરંડા દ્વારા દરેક લોકો સુધી પૂરતું પાણી પોહચી રહે તે માટે પૂરતા આયોજન કરવા જણાવ્યું અને સરકારની યોજનાઓ લોકો સુધી પોહચે અને પૂરો લાભ મળે તે માટે કામગીરી કરવા જણાવ્યું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન કેડિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. પરમાર,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રાજેશ કુચારા સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ગાંધીનગર ખાતેથી 'પોષણ સંગમ કાર્યક્રમ'નો રાજ્યવાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આંગણવાડીમાં નોંધાયેલ તમામ બાળકોને તંદુરસ્ત બનાવવાના અભિયાનમાં 'પોષણ સંગમ’ કાર્યક્રમ માઈલસ્ટોન સાબિત થશે.
વડાપ્રધાન ગુજરાતની આ મુલાકાત દરમિયાન પહેલા જ દિવસે એટલે કે 26 મેના રોજ કચ્છના પ્રવાસે જશે અને ભુજ ખાતે આયોજિત સમારંભમાં ₹53,414 કરોડના કુલ 33 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ કરશે.
ગુજરાતના જંગલોમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાત સરકારે સિંહોની 16મી વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે. આ ગણતરી ૧૦ થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં કરવામાં આવી હતી.