સ્થાનિક શેરબજાર સપાટ બંધ, રોકાણકારોનો ઉત્સાહ ઠંડો, સેન્સેક્સ 78,500ની નીચે
આજના ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી પર અદાણી પોર્ટ્સ, શ્રીરામ ફાઇનાન્સ, M&M, મારુતિ સુઝુકી, SBI લાઇફ ઇન્સ્યોરન્સનો મોટો ઉછાળો હતો, જ્યારે ટાઇટન કંપની, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે, JSW સ્ટીલ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં ઘટાડો નોંધાયો હતો.
વૈશ્વિક સંકેતો વચ્ચે ગુરુવારે સ્થાનિક શેરબજાર સપાટ બંધ રહ્યું હતું. લાંબા સમયથી બજારમાં પ્રવર્તી રહેલી સુસ્તીના કારણે રોકાણકારોનો ઉત્સાહ ઠંડો પડી ગયો છે. કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 0.39 પોઈન્ટ ઘટીને 78,472.48 ના સ્તરે બંધ થયો હતો. જોકે નિફ્ટી 22.55 પોઈન્ટના વધારા સાથે 23750.20 ના સ્તર પર બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્કમાં 62.3 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 51,170.70ના સ્તરે રહ્યો હતો. આજના ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી પર અદાણી પોર્ટ્સ, શ્રીરામ ફાઇનાન્સ, M&M, મારુતિ સુઝુકી, SBI લાઇફ ઇન્સ્યોરન્સનો મોટો ઉછાળો હતો, જ્યારે ટાઇટન કંપની, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે, JSW સ્ટીલ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં ઘટાડો નોંધાયો હતો.
BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો સપાટ બંધ રહ્યા હતા. સેક્ટોરલ મોરચે ઓટો, એનર્જી, ફાર્મા, રિયલ્ટી, પીએસયુ બેંકમાં ખરીદારી જોવા મળી હતી, જ્યારે મેટલ, એફએમસીજી, મીડિયામાં વેચવાલી જોવા મળી હતી.
આજના કારોબારમાં, BSE મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા ઘટ્યો હતો, જ્યારે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 1.7 ટકા ઘટ્યો હતો.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.