અરવિંદ કેજરીવાલની તબિયત સાથે રમત ન કરો: આતિશીનો ભાજપ પર પ્રહાર
આતિશીએ કહ્યું કે જો અરવિંદ કેજરીવાલનું શુગર લેવલ આમ જ ઘટતું રહેશે તો તેઓ કોમામાં પણ જઈ શકે છે. તેમને મગજનો સ્ટ્રોક આવી શકે છે અને મગજને કાયમી નુકસાન થઈ શકે છે.
નવી દિલ્હી: દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. આતિશીએ કહ્યું કે ભાજપ કેજરીવાલના શરીરને કાયમ માટે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન આતિશીએ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને ભાજપ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું અને કહ્યું કે હું ભાજપને કહેવા માંગુ છું કે અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય સાથે રમત કરવાનું બંધ કરે.
આતિશીએ ડિજિટલ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે તિહાર જેલ પ્રશાસનનો મેડિકલ રિપોર્ટ દર્શાવે છે કે અરવિંદ કેજરીવાલને ડાયાબિટીસ છે અને તેમનું વજન સતત ઘટી રહ્યું છે.
તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલને સતત શરીરમાં દુખાવો અને નબળાઈ રહે છે. તેમનું શુગર લેવલ સતત ઘટી રહ્યું છે. આ આમ આદમી પાર્ટી કે અમે નથી કહી રહ્યા, બલ્કે તિહારી જેલના સરકારી ડૉક્ટર આ કહી રહ્યા છે. તેમણે કહ્યું કે જો અરવિંદ કેજરીવાલનું શુગર લેવલ આમ જ ઘટતું રહેશે તો તેઓ કોમામાં પણ જઈ શકે છે. તેને મગજનો સ્ટ્રોક આવી શકે છે અને મગજને કાયમી નુકસાન થઈ શકે છે.
સત્ય હંમેશા જીતે છે: આતિશી
આતિશીએ કહ્યું કે બધા જાણે છે કે અરવિંદ કેજરીવાલને ગંભીર ડાયાબિટીસ છે અને સુગર લેવલ ઓછું હોવાને કારણે તેમનો જીવ જોખમમાં આવી શકે છે. ભાજપે જાણવું જોઈએ કે ગમે તેટલું જૂઠું બોલવામાં આવે પણ અંતે સત્યની જ જીત થાય છે. ભાજપે મીડિયામાં જે દસ્તાવેજો જાહેર કર્યા છે તેમાં તિહાર જેલના મેડિકલ ઓફિસરનો રિપોર્ટ પણ છે. આ રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય સાથે શું થઈ રહ્યું છે.
ગુજરાતની આંગણવાડી અને આશાવર્કર બહેનો વર્ષોથી યોગ્ય વેતન અને વિવિધ અધિકારો માટે સંઘર્ષ કરી રહી છે. તાજેતરમાં તેમણે ત્રણ દિવસની હડતાળ અને ગાંધીનગર વિધાનસભા ઘેરાવની ચીમકી ઉચ્ચારતા, આમ આદમી પાર્ટીના યુવા નેતા પ્રવીણ રામે આ આંદોલનને પૂરું સમર્થન આપ્યું છે.
સમગ્ર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ અને કરાના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું છે કે, આંબા, કેળા, ઘઉં અને ચણા જેવા પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે.
આમ આદમી પાર્ટીના પંજાબ પ્રભારી મનીષ સિસોદિયાએ અમૃતસરમાં આયોજિત કાર્યક્રમમાં 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનની જાહેરાત કરી છે. તેમણે ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જો એક પણ ગામ કે વોર્ડમાં ડ્રગ્સ વેચાતું હશે તો તે સાંખી લેવામાં આવશે નહીં.