Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સુરેન્દ્રનગર કલેક્ટર પર EDનો દરોડો, ₹1500 કરોડનું NA કૌભાંડ – AAPનો પ્રહાર

સુરેન્દ્રનગર કલેક્ટર પર EDનો દરોડો, ₹1500 કરોડનું NA કૌભાંડ – AAPનો પ્રહાર

ચૂંટાયેલા પ્રતિનિધિઓનો બોલવાનો અધિકાર એક બાજુ મૂકીને માત્ર અધિકારીગણ બેસીને નોન એગ્રીકલ્ચર કરે છે, આથી આ કૌભાંડો, માઈનિંગ માફીયાઓ, જમીન માફિયાઓ આ બધા મોટા પાયે ઉભા થઈ રહ્યા છે: વિક્રમ દવે AAP

Surendranagar December 25, 2025
સુરેન્દ્રનગર કલેક્ટર પર EDનો દરોડો, ₹1500 કરોડનું NA કૌભાંડ – AAPનો પ્રહાર

સુરેન્દ્રનગર કલેક્ટર પર EDનો દરોડો, ₹1500 કરોડનું NA કૌભાંડ – AAPનો પ્રહાર

અમદાવાદ/સુરેન્દ્રનગર/ગુજરાત : સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ગાંધીનગર ઇડીની અલગ અલગ 8થી વધુ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડીની ટીમ દ્વારા આ મામલે સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાવી છે. તેમજ સુરેન્દ્રનગર કલેકટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર સામે અપ્રમાણસર મિલકતોનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવેએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગત દિવસોમાં અમારા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર સહિત અનેક જગ્યાએ ઈડીની રેડ પડી છે. આ ઇડીની રેડમાં 1500 કરોડનું સોલાર કંપનીઓ સાથેનું સાઠ-ગાંઠનું કૌભાંડ બહાર આવ્યુ છે. જેમાં 70 લાખ જેટલા ડેપ્યુટી મામલતદાર પાસેથી નીકળ્યા છે.

મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી છે. હજુ પણ મોટી વાત બહાર આવે તેવી શક્યતા છે. પરંતુ હકીકત એ છે કે સોલારની મસમોટી કંપનીઓ પર ભારતીય જનતા પાર્ટીની અને એમના આકાઓની મીઠી નજર હોય, આ કંપનીઓને ઇન્ડસ્ટ્રીલાઈઝેશન માટે ખેડૂતોની જમીન હોય, જેમ કે તલસાણા ગામની જમીન છે, સરપંચે લખીને આપ્યું છે કે આ જમીન તમે NA કરવા માટે આપી દો, આ જમીન ગૌચર દબાવે છે, આ જમીન રોડ રસ્તાઓ દબાવે છે, આ જમીન ખરાબા દબાવે છે, આમ છતાં પણ તેને NA કરી ખેડૂતોને હાલાકી પડે તેમને અન્યાય થાય છતાં આ સરકાર જોતી નથી. આ સરકારને ઉપરથી સૂચના આવે અને પરિપત્ર આવે એટલે લગભગ અધિકારીઓ, જેમાં સારા અધિકારીઓ પણ છે, પરંતુ “પાપા બિસ્કીટ લાવ્યા અને આ આપણે શું લેવાનું છે તે લઈ લેવાનું છે”, તેમ કરીને આઉટ રાઇટ ફેવર કરે છે. આ ફેવરમાં નિયમનું ઉલ્લંઘન થઈ જાય તો પણ કરે છે.

AAP પ્રવક્તા વિક્રમ દવેએ વધુમાં જણાવ્યું હતું કે મૂળભૂત વાત એ છે કે 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમમાં એટલો બધો સડો છે અને ઉપરથી આકાઓ સુચના આપે છે. દુઃખની વાત એ છે કે હવે આઈએએસ અધિકારીઓ લિમિટ ક્રોસ કરી ગયા છે અને તેમની મૂળભૂત પદ્ધતિ ચૂકી રહ્યા છે. ત્યારે ઇડીએ દરોડા પાડ્યા છે. આમ આદમી પાર્ટીએ દુઃખ સાથે કહેવું પડે છે. અમે વિપક્ષમાં બેઠા છીએ એટલે મૂળભૂત રીતે લોકશાહીમાં વિરુદ્ધ કરવાનું અમારું કામ છે. જ્યારે આજની તારીખે નીચેથી ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની કોઇ પકડ રહી નથી. તંત્રમાં તેમની વાત સાંભળવા તૈયાર નથી, એમાં પણ અધિકારી રાજ, કારણ કે નોન એગ્રીકલ્ચર કરવામાં અત્યાર સુધી એવી પરિસ્થિતિ હતી કે NA કરવા માટે ચૂંટાયેલ પ્રતિનિધિ જિલ્લા પંચાયતની કારોબારી પણ બેસતી હતી.

હાલની આ સરકારે એવા તબદીલ લાવ્યા છે કે જિલ્લા પંચાયત કે એક પણ અધિકારીને કોઈ અધિકાર જ નથી, સીધા પાવર જિલ્લા કલેકટરને આપી દીધો છે એટલે સ્વાભાવિક છે કે જિલ્લા કલેકટર આઉટ ઓફ ધ વે જઈને ફેવર કરી, ક્યાંક ને ક્યાંક નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાનો લાભ લેતા હોય છે. મૂળભૂત વાત છે કે ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષની સરકાર જોહુકમી ચલાવી રહી છે અને ધીમે ધીમે સિસ્ટમેટીક રીતે ત્યાં ફંડિંગ પહોંચી જાય ત્યાં સુધી તેવા તાતણાઓ છે, તેવા સરકારી અધિકારીઓનો ઉપયોગ કરી રહ્યા છે. દુઃખની વાત એ છે કે આમાં હવે આઇએએસ અધિકારીઓનો પણ ઉપયોગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં આ 1500 કરોડનાં કૌભાંડ સિવાય અગાઉ આવેલા અધિકારીઓએ જે યોગ્ય ન હોય તેવી જગ્યાને NAની પરમિશન આપી દીધી છે, જમીનો ફાળવી છે, આ સરકાર ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓને છેવટે લાભ મળે તે માટે એક મોડસ ઓપરેન્ડી  બની ગઈ છે. ખૂબ દુઃખની વાત છે કે આટલું મોટું કૌભાંડ સુરેન્દ્રનગરમાં થયું છે. અમે તો બોલીશું કારણ કે ગુજરાતની જમીનો તમે આ રીતે ફાળવી દો અને કૌભાંડો કરવાનો તમારો અધિકાર નથી. મૂળભૂત દોષી હોય તો આ સરકારે નવા નવા પરિપત્રો અને નવા નવા નિયમો કાઢ્યા છે તે છે. જેમાં લોકોથી ચૂંટાયેલા પ્રતિનિધિઓનો બોલવાનો અધિકાર એક બાજુ મૂકીને માત્ર અધિકારીગણ બેસીને નોન એગ્રીકલ્ચર કરે છે. આથી આ કૌભાંડો માઈનિંગ માફીયાઓ, જમીન માફિયાઓ આ બધા મોટા પાયે ઉભા થઈ રહ્યા છે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોવાના લોકો તૈયાર છે પરિવર્તન માટે. AAPની 2027ની મહાયોજના, કેજરીવાલે કહ્યું 'સત્તા નહીં, સેવા'
goa
January 31, 2026

ગોવાના લોકો તૈયાર છે પરિવર્તન માટે. AAPની 2027ની મહાયોજના, કેજરીવાલે કહ્યું 'સત્તા નહીં, સેવા'

ગોવામાં આમ આદમી પાર્ટી 2027 વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની રણનીતિમાં બૂથ-સ્તર સંગઠન, પર્યાવરણ રક્ષણ, ભ્રષ્ટાચાર વિરોધ અને યુવાનો-મહિલાઓની ભાગીદારી. પંજાબ મોડેલ ગોવામાં લાગુ કરીને પરિવર્તનની ગેરંટી. વાંચો વિગતો.

ખેડૂતો માટે લડત લડનાર 7 નેતાઓને જામીન: બોટાદ કોર્ટનો ચુકાદો, ભાજપ સરકાર પર ઈસુદાન ગઢવીનો પ્રહાર
ahmedabad
January 31, 2026

ખેડૂતો માટે લડત લડનાર 7 નેતાઓને જામીન: બોટાદ કોર્ટનો ચુકાદો, ભાજપ સરકાર પર ઈસુદાન ગઢવીનો પ્રહાર

બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 7 AAP ખેડૂત નેતાઓને જામીન મંજૂર કર્યા. ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે” – ભાજપ સરકારે કડદા રોકનારાઓને જેલમાં નાખ્યા, પરંતુ સત્યની જીત થઈ. ખેડૂતોમાં રોષ અને ખુશીની લાગણી. આગામી કાર્યક્રમોની જાહેરાત – વિગતો અહીં વાંચો.

વડોદરામાં હરણી કાંડના પીડિતોની વેદના સાંભળી કેજરીવાલ થયા ભાવુક, ભાજપ સરકાર પર આકરા પ્રહાર!
vadodara
January 19, 2026

વડોદરામાં હરણી કાંડના પીડિતોની વેદના સાંભળી કેજરીવાલ થયા ભાવુક, ભાજપ સરકાર પર આકરા પ્રહાર!

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ વડોદરામાં હરણી મોટનાથ તળાવ (Harni Motnath Lake) બોટ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. 19 જાન્યુઆરી, 2026 ના રોજ વડોદરાની મુલાકાત દરમિયાન કેજરીવાલે 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જીવ લેનારી આ કરૂણ ઘટનામાં ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.

Braking News

અદાણી ગ્રીન એનર્જીનો શ્રીલંકામાં વિન્ડ પાવર પ્લાન્ટ્સ માટે મોટો કરાર
અદાણી ગ્રીન એનર્જીનો શ્રીલંકામાં વિન્ડ પાવર પ્લાન્ટ્સ માટે મોટો કરાર
February 23, 2023

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે શ્રીલંકામાં બે વિન્ડ પાવર પ્લાન્ટ્સ બનાવવા માટે 2 442 મિલિયનનો કરાર જીત્યો છે, જેમાં 500 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે અને રોજગારની તકો .ભી થાય છે. સરકારના દબાણના આક્ષેપોનો સામનો કરવા છતાં, કંપનીની નોંધપાત્ર કરારને સુરક્ષિત કરવાની ક્ષમતા તેની સ્વતંત્રતા દર્શાવે છે. જો કે, રોકાણકારો સાથેના કંપનીના સંબંધ પરની અસર જોવાનું બાકી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
February 21, 2023
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં  હિસ્સેદારી
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં હિસ્સેદારી
May 05, 2023
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
April 30, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express