સુરેન્દ્રનગર કલેક્ટર પર EDનો દરોડો, ₹1500 કરોડનું NA કૌભાંડ – AAPનો પ્રહાર
ચૂંટાયેલા પ્રતિનિધિઓનો બોલવાનો અધિકાર એક બાજુ મૂકીને માત્ર અધિકારીગણ બેસીને નોન એગ્રીકલ્ચર કરે છે, આથી આ કૌભાંડો, માઈનિંગ માફીયાઓ, જમીન માફિયાઓ આ બધા મોટા પાયે ઉભા થઈ રહ્યા છે: વિક્રમ દવે AAP
અમદાવાદ/સુરેન્દ્રનગર/ગુજરાત : સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ગાંધીનગર ઇડીની અલગ અલગ 8થી વધુ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડીની ટીમ દ્વારા આ મામલે સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાવી છે. તેમજ સુરેન્દ્રનગર કલેકટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર સામે અપ્રમાણસર મિલકતોનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવેએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગત દિવસોમાં અમારા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર સહિત અનેક જગ્યાએ ઈડીની રેડ પડી છે. આ ઇડીની રેડમાં 1500 કરોડનું સોલાર કંપનીઓ સાથેનું સાઠ-ગાંઠનું કૌભાંડ બહાર આવ્યુ છે. જેમાં 70 લાખ જેટલા ડેપ્યુટી મામલતદાર પાસેથી નીકળ્યા છે.
મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી છે. હજુ પણ મોટી વાત બહાર આવે તેવી શક્યતા છે. પરંતુ હકીકત એ છે કે સોલારની મસમોટી કંપનીઓ પર ભારતીય જનતા પાર્ટીની અને એમના આકાઓની મીઠી નજર હોય, આ કંપનીઓને ઇન્ડસ્ટ્રીલાઈઝેશન માટે ખેડૂતોની જમીન હોય, જેમ કે તલસાણા ગામની જમીન છે, સરપંચે લખીને આપ્યું છે કે આ જમીન તમે NA કરવા માટે આપી દો, આ જમીન ગૌચર દબાવે છે, આ જમીન રોડ રસ્તાઓ દબાવે છે, આ જમીન ખરાબા દબાવે છે, આમ છતાં પણ તેને NA કરી ખેડૂતોને હાલાકી પડે તેમને અન્યાય થાય છતાં આ સરકાર જોતી નથી. આ સરકારને ઉપરથી સૂચના આવે અને પરિપત્ર આવે એટલે લગભગ અધિકારીઓ, જેમાં સારા અધિકારીઓ પણ છે, પરંતુ “પાપા બિસ્કીટ લાવ્યા અને આ આપણે શું લેવાનું છે તે લઈ લેવાનું છે”, તેમ કરીને આઉટ રાઇટ ફેવર કરે છે. આ ફેવરમાં નિયમનું ઉલ્લંઘન થઈ જાય તો પણ કરે છે.
AAP પ્રવક્તા વિક્રમ દવેએ વધુમાં જણાવ્યું હતું કે મૂળભૂત વાત એ છે કે 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમમાં એટલો બધો સડો છે અને ઉપરથી આકાઓ સુચના આપે છે. દુઃખની વાત એ છે કે હવે આઈએએસ અધિકારીઓ લિમિટ ક્રોસ કરી ગયા છે અને તેમની મૂળભૂત પદ્ધતિ ચૂકી રહ્યા છે. ત્યારે ઇડીએ દરોડા પાડ્યા છે. આમ આદમી પાર્ટીએ દુઃખ સાથે કહેવું પડે છે. અમે વિપક્ષમાં બેઠા છીએ એટલે મૂળભૂત રીતે લોકશાહીમાં વિરુદ્ધ કરવાનું અમારું કામ છે. જ્યારે આજની તારીખે નીચેથી ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની કોઇ પકડ રહી નથી. તંત્રમાં તેમની વાત સાંભળવા તૈયાર નથી, એમાં પણ અધિકારી રાજ, કારણ કે નોન એગ્રીકલ્ચર કરવામાં અત્યાર સુધી એવી પરિસ્થિતિ હતી કે NA કરવા માટે ચૂંટાયેલ પ્રતિનિધિ જિલ્લા પંચાયતની કારોબારી પણ બેસતી હતી.
હાલની આ સરકારે એવા તબદીલ લાવ્યા છે કે જિલ્લા પંચાયત કે એક પણ અધિકારીને કોઈ અધિકાર જ નથી, સીધા પાવર જિલ્લા કલેકટરને આપી દીધો છે એટલે સ્વાભાવિક છે કે જિલ્લા કલેકટર આઉટ ઓફ ધ વે જઈને ફેવર કરી, ક્યાંક ને ક્યાંક નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાનો લાભ લેતા હોય છે. મૂળભૂત વાત છે કે ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષની સરકાર જોહુકમી ચલાવી રહી છે અને ધીમે ધીમે સિસ્ટમેટીક રીતે ત્યાં ફંડિંગ પહોંચી જાય ત્યાં સુધી તેવા તાતણાઓ છે, તેવા સરકારી અધિકારીઓનો ઉપયોગ કરી રહ્યા છે. દુઃખની વાત એ છે કે આમાં હવે આઇએએસ અધિકારીઓનો પણ ઉપયોગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં આ 1500 કરોડનાં કૌભાંડ સિવાય અગાઉ આવેલા અધિકારીઓએ જે યોગ્ય ન હોય તેવી જગ્યાને NAની પરમિશન આપી દીધી છે, જમીનો ફાળવી છે, આ સરકાર ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓને છેવટે લાભ મળે તે માટે એક મોડસ ઓપરેન્ડી બની ગઈ છે. ખૂબ દુઃખની વાત છે કે આટલું મોટું કૌભાંડ સુરેન્દ્રનગરમાં થયું છે. અમે તો બોલીશું કારણ કે ગુજરાતની જમીનો તમે આ રીતે ફાળવી દો અને કૌભાંડો કરવાનો તમારો અધિકાર નથી. મૂળભૂત દોષી હોય તો આ સરકારે નવા નવા પરિપત્રો અને નવા નવા નિયમો કાઢ્યા છે તે છે. જેમાં લોકોથી ચૂંટાયેલા પ્રતિનિધિઓનો બોલવાનો અધિકાર એક બાજુ મૂકીને માત્ર અધિકારીગણ બેસીને નોન એગ્રીકલ્ચર કરે છે. આથી આ કૌભાંડો માઈનિંગ માફીયાઓ, જમીન માફિયાઓ આ બધા મોટા પાયે ઉભા થઈ રહ્યા છે.
ગોવામાં આમ આદમી પાર્ટી 2027 વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની રણનીતિમાં બૂથ-સ્તર સંગઠન, પર્યાવરણ રક્ષણ, ભ્રષ્ટાચાર વિરોધ અને યુવાનો-મહિલાઓની ભાગીદારી. પંજાબ મોડેલ ગોવામાં લાગુ કરીને પરિવર્તનની ગેરંટી. વાંચો વિગતો.
બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 7 AAP ખેડૂત નેતાઓને જામીન મંજૂર કર્યા. ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે” – ભાજપ સરકારે કડદા રોકનારાઓને જેલમાં નાખ્યા, પરંતુ સત્યની જીત થઈ. ખેડૂતોમાં રોષ અને ખુશીની લાગણી. આગામી કાર્યક્રમોની જાહેરાત – વિગતો અહીં વાંચો.
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ વડોદરામાં હરણી મોટનાથ તળાવ (Harni Motnath Lake) બોટ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. 19 જાન્યુઆરી, 2026 ના રોજ વડોદરાની મુલાકાત દરમિયાન કેજરીવાલે 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જીવ લેનારી આ કરૂણ ઘટનામાં ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.