તરસાલી આઈ.ટી.આઈ ખાતે દિવ્યાંગ મહિલા ઉમેદવારો માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો
તરસાલી આઈ.ટી.આઈ ખાતે દિવ્યાંગ મહિલા ઉમેદવારો માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો, સ્વરોજગાર માર્ગદર્શન શિબિર અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજવામા આવ્યો હતો. આ ભરતીમેળામાં ૪૦ જેટલી દિવ્યાંગ યુવતીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
વડોદરા : તરસાલી આઈ.ટી.આઈ ખાતે દિવ્યાંગ મહિલા ઉમેદવારો માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો, સ્વરોજગાર માર્ગદર્શન શિબિર અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજવામા આવ્યો હતો. આ ભરતીમેળામાં ૪૦ જેટલી દિવ્યાંગ યુવતીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
મદદનીશ નિયામક (રોજગાર) કચેરી,વડોદરા અને આઈ.ટી.આઈ ફોર ડીસેબલ, તરસાલી અને હાલોલની રીકેમ આરપીજી પ્રા.લી કંપનીના સંયુકત ઉપક્રમે ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા માત્ર બહેરામુંગા અને પગથી દિવ્યાંગ તેમજ ઓછી દ્રષ્ટી ખામી ધરાવતા સ્વતંત્ર રીતે અવરજવર કરી શકે તેવા અને બંને હાથથી કામ કરી શકે તેવા ૧૮ થી ૪૦ વર્ષના ધો.૧૦ અને ૧૨ પાસ , આઈટીઆઈ, ડીપ્લોમા, ગ્રેજયુએટ (ટેકનીકલ અને નોન ટેકનીકલ),માસ્ટર (ટેકનીકલ અને નોન ટેકનીકલ) તેથી વધુ લાયકાત ધરાવતા ફ્રેશર અને અનુભવ ધરાવતા માત્ર દિવ્યાંગ સ્ત્રી ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો.
આ ભરતી મેળામાં ૪૦ જેટલી દિવ્યાંગ મહિલાઓ અને યુવતીઓ તેમના વાલી સાથે આવી હતી. રીકેમ કંપનીમા ઓપરેશન,મેન્ટેનન્સ,કવાલીટી જેવા ટેકનીકલ રોલ માટે તેમજ સ્ટોર,ફાઈનાન્સ, ઈ.એચ.એસ, લોજીસ્ટિક પ્લાનીંગ જેવા નોન ટેકનીકલ રોલ માટેની ૩૦ જેટલી વિવિધ જગ્યા માટે મહિલા ઉમેદવારોની ભરતી કરવામાં આવી હતી.
દિવ્યાંગ મહીલા ઉમેદવારોને સ્વરોજગાર અંગે માર્ગદર્શન આપવા સાથે રોજગારલક્ષી અનુબંધમ પોર્ટલ પર તેમના નામની નોંધણી કરવામાં આવી હતી. પાત્રતા ધરાવતા ઉમેદવારોનો મોબાઈલમાં ટેસ્ટ લેવામાં આવ્યો હતો.ત્યાર બાદ વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. કંપનીએ દિવ્યાંગ મહિલાઓ અને યુવતીઓને રોજગારી મળી રહે અને આત્મનિર્ભર બને તેવા પ્રયાસોના ભાગરૂપે આ રોજગાર મેળો યોજાયો હતો.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.