શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા PDEU ખાતે CSR-ફંડેડ સસ્ટેનેબિલિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
શેલ એનર્જી ઇન્ડિયા પ્રા.લિ. (SEIPL) દ્વારા CSR-ફંડેડ સસ્ટેનેબિલિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન સમારંભ આજે પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે યોજાયું.
પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન શેલ એનર્જી ઇન્ડિયા પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાહુલ દીપ સિંહ દ્વારા પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીના મહાનિદેશક પ્રોફ. એસ. સુંદર મનોહરણની આદરણીય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. નવા શરૂ થયેલ પ્રોજેક્ટ્સમાં સમાવેશ થાય છે:
1. ગ્રીન હાઈડ્રોજન ઉત્પત્તિ – ટકાઉ ગ્રીન હાઈડ્રોજન ઉત્પન્ન કરવા માટે ઔદ્યોગિક કચરાનો ઉપયોગ.
2. વાયુમંડલમાંથી CO₂ કૅપ્ચર – વેલ્યુ-એડેડ ઉત્પાદનોમાં ઉપયોગ માટે વાયુમંડલમાંથી કાર્બન ડાયોક્સાઈડ કૅપ્ચર કરવું.
3. નેચરલ ગેસ સાથે હાઈડ્રોજન મિશ્રણ – ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા માટે નેચરલ ગેસ પાઈપલાઈનમાં હાઈડ્રોજનનો સંકલન.
મુખ્ય ઉપસ્થિતોમાં પ્રોજેક્ટ અન્વેષક ડૉ. નમ્રતા બિસ્ત અને પ્રોફ. (ડૉ.) અનિર્બિદ સિરકર, ડૉ. રમેશ ગુદરૂ, પ્રોફ. સુરેન્દ્ર સિંહ કચ્છવાહા અને શેલ પ્રોજેક્ટ્સ સંકલનકર્તા પ્રોફ. ઉત્તમ કુમાર ભુઈનો સમાવેશ થાય છે.
પીડીઈયુ અને એસઈઆઈપીએલ વચ્ચેનું સહયોગ સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં આધુનિક અને ટકાઉ તકનીકોના વિકાસ પ્રતિ સઙ્કલ્પનો પ્રતિનિધિત્વ કરે છે. બે વર્ષના સમયગાળા માટે મંજૂર આ પ્રોજેક્ટ્સ નવીનતા લાવવા અને પાયો ભભરતું સંશોધન અને વ્યવહારુ અમલ દ્વારા પર્યાવરણીય પડકારોને દૂર કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભવશે.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.