વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર 5 થી 8 માર્ચ દરમિયાન દક્ષિણ કોરિયા અને જાપાનની મુલાકાતે
નવી દિલ્હીમાં આજે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ડો. જયશંકર મુલાકાતના પ્રથમ તબક્કામાં સિઓલ જશે. તેઓ દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો તાઈ-યેલ સાથે 10મી ભારત-દક્ષિણ કોરિયા સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે.
વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર 5 થી 8 માર્ચ સુધી દક્ષિણ કોરિયા અને જાપાનની મુલાકાત લેશે. નવી દિલ્હીમાં આજે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ડો. જયશંકર મુલાકાતના પ્રથમ તબક્કામાં સિઓલ જશે. તેઓ દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો તાઈ-યેલ સાથે 10મી ભારત-દક્ષિણ કોરિયા સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. મુલાકાત દરમિયાન ડૉ. જયશંકર દક્ષિણ કોરિયાના મહાનુભાવો, અગ્રણી વિચારકો અને ભારતીય સમુદાયને પણ મળશે.
ડૉ. જયશંકર તેમની જાપાન મુલાકાત દરમિયાન જાપાનના વિદેશ મંત્રી યોકો કામિકાવા સાથે 16મી ભારત-જાપાન વિદેશ મંત્રી વ્યૂહાત્મક સંવાદમાં ભાગ લેશે. ડો. જયશંકર ટોક્યોમાં પ્રથમ રાયસીના રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં પણ ભાગ લેશે. ગોળમેજી પરિષદ એ ભારત અને જાપાન વચ્ચેના આદાન-પ્રદાનને વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
"ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લીધાં, જેમાં એરસ્પેસ અને બંદરો બંધ કરવાની તૈયારી છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર શું અસર પડશે? વાંચો આ વિગતવાર સમાચાર."
"RBIએ બેંકોને એટીએમમાં રૂ. 100 અને રૂ. 200ની નોટ્સની ઉપલબ્ધતા વધારવાનો આદેશ આપ્યો. 2025થી એટીએમ ઉપાડ ચાર્જમાં પણ ફેરફાર. નવી નીતિની સંપૂર્ણ વિગતો જાણો."
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 24 નક્સલીઓએ CRPF અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આમાંથી ૧૪ પર કુલ ૨૮.૫૦ લાખ રૂપિયાનું ઈનામ હતું. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં ૧૧ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.