પ્રાકૃતિક ખેતી થકી સમૃદ્ધિની સાથે સાથે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બનતા આણંદ જિલ્લાના ખેડુતો
ખેડૂતોની પ્રગતિ થાય, ખેડુતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે તેમજ ખેડૂતોની આવક બમણી થાય તે હેતુ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આરંભાયેલા યજ્ઞ થકી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે બીજથી લઈને બજાર સુધીનાં નિર્ણયોનું અસરકારક અમલીકરણ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે સમગ્ર રાજ્યના ખેડૂતોની સાથે સાથે આણંદ જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવીને ધરતી માતાના પ્રાણ બચાવવા પ્રત્યે સજાગ થઈ રહ્યા છે.
આણંદ તાલુકાના વડોદ ગામના આવા જ એક ખેડૂત સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેતીના ખર્ચમાં ઘટાડો થવાની સાથે મારી જમીનની ગુણવત્તા સુધરી છે. વળી, પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન મળી રહ્યું છે, એટલે જમીન અને સ્વાસ્થ્ય બન્ને માટે સારી એવી પ્રાકૃતિક ખેતી કરીને હુ ઓછા ખર્ચે વધુ આવક મેળવી રહ્યો છું.
આ ઉપરાંત સરકારશ્રીની દેશી ગાયના નિભાવ માટેની યોજના હેઠળ મને દર છ મહિને રૂ. ૫,૪૦૦/- ની સહાય મળી રહી છે. સંજયભાઈ તેમની ૧૩ વીઘા જમીનમાં છેલ્લા ૩૫ વર્ષથી ખેતી કરે છે અને છેલ્લા ત્રણ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને કેળા અને ઘઉંનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી વિશે વધુ વાત કરતા સંજયભાઈએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ ખેતીના ખર્ચમાં ઘટાડો થવાની સાથે મારી જમીનની ગુણવત્તા સુધરી છે. હું મારી ૧૩ વીઘા જમીનમાં છેલ્લા ૩૫ વર્ષથી ખેતી કરૂં છું. ૩૨ વર્ષ સુધી રાસાયણિક ખેતી કર્યા બાદ છેલ્લા ત્રણ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરૂં છું. મારા ત્રણ વર્ષના અનુભવથી કહીશ કે, મને પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન મળી રહ્યું છે અને ધીરે ધીરે ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે.
સંજયભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટેની યોજના અંતર્ગત ગાય દિઠ દર છ મહિને રૂ.૫,૪૦૦/- ની સહાય મળે છે. મને આત્મા પ્રોજેક્ટ થકી આ યોજનાની જાણકારી મળતા મેં અરજી કરી અને ત્યારથી મને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. મને અત્યાર સુધીમાં પાંચ હપ્તામાં કુલ રૂ.૨૭,૦૦૦/- ની સહાય મળેલ છે, જે પૈકી તાજેતરમાં જ ફેબ્રુઆરી મહિનામાં રૂ. ૫,૪૦૦/- નો હપ્તો મળ્યો છે. ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટેની સરકારની આ યોજના ખરેખર સરાહનીય છે.
રાસાયણિક ખેતીથી જમીનની ગુણવત્તા તો બગડી જ છે પરંતુ એમાંથી ઉત્પાદિત અનાજ ખાવાથી લોકો પણ અનેક રોગોના ભોગ બની રહ્યા છે, તેવા સમયે પ્રાકૃતિક ખેતી જ એવું માધ્યમ છે જેના થકી લોકો સ્વસ્થ આરોગ્ય મેળવી શકે છે.
અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગ ઘટનાઓ. 449 કેસમાં કાર્યવાહી, 408 ધરપકડ અને ₹48,700 દંડ વસૂલાત. RPFએ આશ્રમ એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ સહિત મુખ્ય ટ્રેનોમાં વધુ ઘટનાઓ પર નિયંત્રણ મેળવ્યું – મુસાફરોને અનાવશ્યક પુલિંગ ન કરવાની અપીલ. વિગતો જુઓ.
નર્મદા જિલ્લામાં રવિ માર્કેટીંગ સીઝન 2026-27: ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે ₹2,585/- પ્રતિ ક્વિન્ટલ ખરીદી શરૂ. 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી VCE મારફતે ઓનલાઈન નોંધણી, ખરીદી 4 માર્ચથી 15 મે સુધી. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત – જરૂરી દસ્તાવેજો: આધાર, 7/12, 8/અ, બેંક વિગતો. હેલ્પલાઇન 8511171718/19. વિગતો જુઓ.
નર્મદા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી.વાળાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.