30 નવેમ્બરે બનાસકાંઠામાં ધૂમ મચાવશે ખેડૂતો. AAPનું મેગા મહાપંચાયત
30 નવેમ્બરે સવારે 10 વાગ્યે ડીસા-પાલનપુર હાઈવે પર પ્રાઈમ હોટેલ સામે AAPની ખેડૂત મહાપંચાયત. મનોજ સોરઠીયાએ ઉત્તર ગુજરાતના ખેડૂતોને એક થવા આહ્વાન કર્યું.
અમદાવાદ/બનાસકાંઠા/ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ 30 તારીખે ડીસા-પાલનપુર હાઈવે પર પ્રાઈમ હોટેલ સામે યોજાનાર ખેડૂત મહાપંચાયતમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોને ઉપસ્થિત રહેવાની અપીલ કરતા કહ્યું હતું કે, ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ખેડૂત, ખેતી અને ગામડા વિરોધી સરકાર સત્તામાં છે. ખેડૂતોનું ધનોત પનોત કાઢવાનું કામ આ સરકારે કર્યું છે. સમગ્ર ગુજરાતમાં ખેડૂતનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે આ સમયે ખેડૂતોને સહાય આપવાના નામે તાઇફાઓ કરવામાં આવે છે. રજીસ્ટ્રેશન અને સર્વેના નામે વારંવાર ખેડૂતોને લાઈનમાં ઊભા રાખવામાં આવે છે. આજે ખાતરની પણ ઉપલબ્ધિ કરવામાં આવતી નથી. પાકના ભાવ મળતા નથી, પાક વેચવા જોઈએ તો કડદા થાય છે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આમ આદમી પાર્ટીએ બોટાદમાં ખેડૂત આંદોલનની શરૂઆત કરી હતી. સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક કરવાનું આંદોલન ચાલુ થયું છે. આ ન્યાયનું અને સન્માનનું આંદોલન છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર ખેડૂત મહાપંચાયતના ભાગરૂપે આમ આદમી પાર્ટી પહોંચી રહી છે. આવનારી 30 તારીખે રવિવારના રોજ સવારે 10 વાગ્યે બનાસકાંઠાની અંદર ડીસા પાલનપુર હાઇવે પર પ્રાઈમ હોટેલની સામે એક વિશાળ ખેડૂત મહાપંચાયતનું આયોજન થવાનું છે. આ ખેડૂત મહાપંચાયતની અંદર ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતોને ઉપસ્થિત રહેવા માટે અને આપણે સાથે મળી આ લડાઈને મજબૂત કરીએ એના માટે આપ સૌને આમંત્રણ છે. આવો સૌ સાથે મળીને ગુજરાતના ખેડૂતો માટેની લડાઈ લડીએ.
ગોવામાં આમ આદમી પાર્ટી 2027 વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની રણનીતિમાં બૂથ-સ્તર સંગઠન, પર્યાવરણ રક્ષણ, ભ્રષ્ટાચાર વિરોધ અને યુવાનો-મહિલાઓની ભાગીદારી. પંજાબ મોડેલ ગોવામાં લાગુ કરીને પરિવર્તનની ગેરંટી. વાંચો વિગતો.
બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 7 AAP ખેડૂત નેતાઓને જામીન મંજૂર કર્યા. ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે” – ભાજપ સરકારે કડદા રોકનારાઓને જેલમાં નાખ્યા, પરંતુ સત્યની જીત થઈ. ખેડૂતોમાં રોષ અને ખુશીની લાગણી. આગામી કાર્યક્રમોની જાહેરાત – વિગતો અહીં વાંચો.
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ વડોદરામાં હરણી મોટનાથ તળાવ (Harni Motnath Lake) બોટ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. 19 જાન્યુઆરી, 2026 ના રોજ વડોદરાની મુલાકાત દરમિયાન કેજરીવાલે 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જીવ લેનારી આ કરૂણ ઘટનામાં ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.