Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અમદાવાદના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ૩૫ જૈન દીક્ષાનો વિક્રમસર્જક વીરવ્રતોત્સવ

અમદાવાદના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ૩૫ જૈન દીક્ષાનો વિક્રમસર્જક વીરવ્રતોત્સવ

જૈનધર્મના અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણનાં ૨,૫૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૩૫ મુમુક્ષુઓ ૨૨ એપ્રિલ, ૨૦૨૪ના શુભ દિને સંસારનો ત્યાગ કરીને પ્રભુ મહાવીરના પંથે વિજય પ્રસ્થાન કરવાના છે. 

Ahmedabad April 11, 2024
અમદાવાદના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ૩૫ જૈન દીક્ષાનો વિક્રમસર્જક વીરવ્રતોત્સવ

અમદાવાદના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ૩૫ જૈન દીક્ષાનો વિક્રમસર્જક વીરવ્રતોત્સવ

સંસારનો પરિત્યાગ કરનારા મુમુક્ષુઓનો રસપ્રદ પરિચય

અમદાવાદમાં જે ૩૫ મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરવાના છે, તેમાં પાંચ પરિવારો એવા છે કે તેમની દીક્ષા સાથે તેમનાં ઘરોને તાળાં લાગી જશે અને સમગ્ર પરિવાર પ્રભુ વીરના પંથે વિચરશે.

સુરતમાં રહેતા સંજયભાઈ માણિકચંદ સાદરીયા ટેક્સટાઇલ માર્કેટમાં મોટા વેપારી છે. તેમના પુત્રે અને પુત્રીએ વર્ષ ૨૦૨૧માં દીક્ષા ગ્રહણ કરી હતી. હવે સંજયભાઈ અને તેમનાં શ્રાવિકા બીનાબહેન પણ દીક્ષા ગ્રહણ કરશે ત્યારે સમગ્ર પરિવાર ઘર છોડીને ઉપાશ્રયમાં વસતો થઈ જશે.

મુંબઈમાં રહેતા કાપડના વેપારી જશવંતભાઈ શાંતિલાલ શાહ અને તેમનાં શ્રાવિકા દીપિકાબહેન અમદાવાદમાં દીક્ષા ગ્રહણ કરવાનાં છે. તેમના બે જોડિયા પુત્રો અગાઉ જ દીક્ષા ગ્રહણ કરીને પ્રભુ શ્રી મહાવીરના પંથે પ્રયાણ કરી ચૂક્યા છે.

જશવંતભાઈના નાના ભાઈ મુકેશભાઈના પરિવારમાં તેમનાં શ્રાવિકા મોનિકાબહેન ઉપરાંત પુત્ર હિત અને પુત્રી ક્રિશા છે. હવે સમગ્ર પરિવાર સર્વસ્વનો ત્યાગ કરવાનો છે.

સુરતમાં રહેતાં જગદીશભાઈ મહાસુખલાલ શાહ અને તેમનાં શ્રાવિકા શિલ્પાબહેન દીક્ષા અંગિકાર કરશે. તેમનો એકનો એક પુત્ર ૨૦૨૧માં દીક્ષા અંગિકાર કરી ચૂક્યો છે.

અમદાવાદમાં રહેતા ભાવેશભાઈ ગિરીશભાઈ ભંડારી રિયલ એસ્ટેટનો બહોળો કારોબાર ધરાવે છે. તેઓ તેમનાં શ્રાવિકા જિનલબહેન સાથે દીક્ષા લેવાના છે. તેમના પુત્રે અને પુત્રીએ વર્ષ ૨૦૨૧માં સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરી હતી. ભાવેશભાઈ ૩૫ દીક્ષા નિમિત્તે અમદાવાદમાં વસતા ૪૦,૦૦૦ જૈન પરિવારોમાં મિઠાઈનું વિતરણ કરી રહ્યા છે.

દીક્ષા ગ્રહણ કરનારા દરેક મુમુક્ષુઓ વિશિષ્ટ પ્રતિભાના સ્વામી છે. મુંબઈમાં રહેતી હીનલકુમારી સંજયભાઈ જૈન ડિજીટલ માર્કેટિંગમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે. દીક્ષા ગ્રહણ કર્યા પછી હીનલકુમારી મોબાઈલ કે લેપટોપ જેવાં સાધનોનો સ્પર્શ પણ નહીં કરે. તે દુન્યવી ડિજીટલ માર્કેટિંગનો ત્યાગ કરીને પરમાત્મા મહાવીર દેવના આધ્યાત્મિક માર્ગનું માર્કેટિંગ કરશે.

અમદાવાદમાં રહેતા મુકેશભાઈ ૧૨મા ધોરણમાં સમગ્ર સિરોહી જિલ્લામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયા હતા. હવે તેઓ ગુરુ વેયાવચ્ચમાં પ્રથમ રેન્ક માટે પુરૂષાર્થ કરશે. સુરતમાં રહેતા ભવ્યભાઈ દર મહિને શ્રી ગિરનાર તીર્થની યાત્રા કરવાનો નિયમ ધરાવે છે. જે મહિને શ્રી ગિરનારની યાત્રા ન થાય તે મહિને તેઓ મિઠાઈનો ત્યાગ કરે છે. ગિરનાર તીર્થના અધિનાયક શ્રી નેમિનાથ પ્રભુની જેમ તેઓ લગ્ન કર્યા વિના દીક્ષા ગ્રહણ કરવાના છે.

સુરતમાં રહેતા દેવેશ નંદિષેણભાઈ રાતડિયા સાત સૂરોની સરગમના સથવારે વીતરાગ પરમાત્માની ભક્તિના મંત્રમુગ્ધ ગાયક અને પ્રતિભાશાળી સંગીતકાર છે. તેઓ દીક્ષાના પ્રસંગોમાં દીક્ષાર્થીની અનુમોદનાનાં ગીતો ગાતાં વૈરાગ્યના રંગે રંગાઈને દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે. અમદાવાદમાં રહેતા ૧૮ વર્ષના હિત મુકેશભાઈ શાહ ક્રિકેટના જબરા શોખીન હતા. દર વખતે તેમને વર્લ્ડ કપ જોયા વિના ચેન પડતું નહોતું.આ વખતે હિતે વર્લ્ડ કપ તો જોયો નહોતો પણ દીક્ષા લીધા પછી તે કદી કોઈને ક્રિકેટનો સ્કોર પણ પૂછવાનો નથી. સુરતમાં રહેતાં ૧૩ વર્ષના હેત મયૂરભાઈ શાહે નાની ઉંમરમાં જૈન ધર્મનાં સૂત્રો જેવાં કે પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ત્રણ કર્મગ્રંથ, યોગશાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર વગેરેનો ગહન અભ્યાસ કર્યો છે. તેમણે જૈન ધર્મના આશરે ૩,૫૦૦ શ્લોકો કંઠસ્થ કર્યા છે.

પરમ પૂજ્ય આચાર્ય ભગવંત પાસે જે ૩૫ મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરવાના છે, તેમાં ૧૦ મુમુક્ષુઓ તો ૧૮ વર્ષની નીચેનાં છે. તેઓ પોતાનાં માતાપિતાની સંમતિથી દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે.

દીક્ષાના મહાનાયક આચાર્યશ્રી વિજય યોગતિલકસૂરિજી

• રાજનગર અમદાવાદમાં ૩૫ મુમુક્ષુઓને જૈન ધર્મની દીક્ષા આપનારા પૂજ્ય આચાર્યશ્રી વિજય યોગતિલકસૂરિજીએ તેમની સંસારી અવસ્થામાં સી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી સંસારથી વિરક્ત થઈને વર્ષ ૧૯૮૮માં મુંબઈ મુકામે દીક્ષા અંગિકાર કરી હતી.

• તેમનાં પ્રવચનોમાં એવો જાદુ છે કે તેનું શ્રવણ કરનારાને સંસારનો ત્યાગ કરીને દીક્ષા લેવાની તીવ્ર ઝંખના જાગ્રત થઈ જાય છે.

• આચાર્યશ્રીનાં વૈરાગ્યરસપ્રચૂર પ્રવચનો સાંભળીને અત્યાર સુધીમાં ૧૨૫ ભાઈઓ અને ૨૩૩ બહેનો દીક્ષા અંગિકાર કરી ચૂક્યાં છે.

• તેમની નિશ્રામાં ભૂતકાળમાં વર્ષ ૨૦૧૨માં પાલીતાણામાં ૧૭, વર્ષ ૨૦૧૪માં સુરતમાં ૪૫, વર્ષ ૨૦૧૬માં સુરતમાં ૩૬, વર્ષ ૨૦૧૭માં અમદાવાદમાં ૨૬, વર્ષ ૨૦૧૮માં મુંબઈમાં ૪૪, વર્ષ ૨૦૧૯માં ફરી સુરતમાં ૧૮ અને વર્ષ ૨૦૨૧માં સુરતમાં ૭૪ દીક્ષાના કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે.

• આચાર્યશ્રીની છત્રછાયામાં હાલ ૧૩૭ સાધુ ભગવંતો અને ૨૫૩ સાધ્વીજી ભગવંતો ભગવાન મહાવીરના પંથે ચાલીને સંયમજીવનની ઉત્તમ સાધના કરી રહ્યા છે.

• આચાર્યશ્રી પાસે દીક્ષા લેનારા પુણ્યાતમાઓ પૈકી ૧૮ ભાઈઓ અને ૨૯ બહેનો બાળવયમાં દીક્ષિત બન્યાં હતાં.

• આચાર્યશ્રીની નિશ્રામાં પાલીતાણામાં અજિત-શાંતિની પ્રતિષ્ઠા, ઉપધાન, ૬ ‘રી’ પાલક સંઘ જેવા સંખ્યાબંધ શાસનપ્રભાવક પ્રસંગો યોજાયા છે.

• આચાર્યશ્રીની નિશ્રામાં છેલ્લાં ૧૦ વર્ષમાં ૩૦૦થી વધુ પુણ્યાત્માઓ દીક્ષા અંગિકાર કરી ચૂક્યા છે, જે જૈન શાસનમાં અજબગજબની ઘટના માનવામાં આવે છે.

રિવરફ્રન્ટ પર ભવ્ય અધ્યાત્મ નગરી

• અમદાવાદના ઇતિહાસમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો દીક્ષાનો મહોત્સવ યોજવા માટે સાબરમતી રિવરફ્રન્ટમાં ત્રણ લાખ ચોરસ ફીટ વિસ્તારમાં રાજસ્થાનના ભવ્ય મહેલોની ઝાંખી કરાવતી અધ્યાત્મ નગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

• તેમાં બે લાખ મીટર કાપડનો અને ૨.૫ લાખ ચોરસ ફૂટ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

• તેનો મુખ્ય મંડપ ૬૦,૦૦૦ ચોરસ ફૂટનો છે, જેમાં બે હજાર ચોરસ ફૂટનું સ્ટેજ મુમુક્ષુ પરિવારો માટે બાંધવામાં આવ્યું છે. બીજાં સ્ટેજ પર પૂજ્ય સાધુ ભગવંતો અને ત્રીજાં સ્ટેજ પર પૂજ્ય સાધ્વીજી ભગવંતો બિરાજમાન થશે.

• મુખ્ય મંડપમાં આશરે ૨૦,૦૦૦ દર્શકો સાથે બેસીને દીક્ષાના કાર્યક્રમોને નિહાળી શકશે. ઉનાળાની ગરમીમાં એર કન્ડીશનર કે પંખાનો ઉપયોગ કર્યા વિના પણ ઠંડક થાય તેવા ઉપાયો કરવામાં આવશે.

• તેમાં રાત્રિના સમયે બે હજાર દીવાઓ દ્વારા રોશની કરવામાં આવશે.

• અધ્યાત્મ નગરીમાં પરમાત્માની ભક્તિ માટે રાજસ્થાનના રાજમહેલની થીમ પર ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

• આ મંદિરની રચના બોલિવૂડના આર્ટ ડિરેક્ટર ચંદ્રશેખર પરબે કરી છે.

• અધ્યાત્મ નગરીમાં દીક્ષાના સાક્ષી બનવા માટે પધારનારા મહેમાનો માટે ૩૦૦ કારના પાર્કિંગ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

• કોઈ પણ આગની ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડની ગાડી સ્થળ પર હાજર જ રહેશે.

• મુલાકાતી માટે પર્યાપ્ત સંખ્યામાં વોશરૂમની અને ટોઇલેટની પણ સુઘડ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્રાંતિ, ATMA પ્રોજેક્ટ હેઠળ તાલીમ અને મોડેલ ફાર્મ મુલાકાત – ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદનના ટિપ્સ
rajpipla
February 18, 2026

નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્રાંતિ, ATMA પ્રોજેક્ટ હેઠળ તાલીમ અને મોડેલ ફાર્મ મુલાકાત – ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદનના ટિપ્સ

નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન! ATMA પ્રોજેક્ટ હેઠળ ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર અભિગમમાં તાલીમ અને મોડેલ ફાર્મ મુલાકાત – જીવામૃત, ઘનજીવામૃત, બિયારણ ઉપચાર અને જૈવિક જીવાત નિયંત્રણ પર માર્ગદર્શન. ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને જમીન ઉર્વરતા વધારવાના ટિપ્સ – વિગતો જુઓ.

રેલ્વે કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ પહેલ, અમદાવાદ DRM ઓફિસમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ
ahmedabad
February 17, 2026

રેલ્વે કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ પહેલ, અમદાવાદ DRM ઓફિસમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ

પશ્ચિમ રેલ્વે અમદાવાદ ડિવિઝનલ રેલ્વે મેનેજર ઓફિસમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ! DRM વેદ પ્રકાશ અને ડૉ. મનોજ કુમાર દેવે તણાવ, ડિપ્રેશન, કાર્ય-જીવન સંતુલન અને સારવારની જરૂરિયાત પર વાત કરી. કર્મચારીઓને કસરત, આહાર અને વાતચીતની સલાહ – પ્રશ્નોત્તરી સત્રમાં ઉત્સાહી ભાગીદારી. વિગતો જુઓ.

શેરડી પાકમાં જમીનજન્ય રોગોનું નિયંત્રણ કેવી રીતે કરવું? ગુજરાત ખેતી વિભાગની માર્ગદર્શિકા
gandhinagar
February 17, 2026

શેરડી પાકમાં જમીનજન્ય રોગોનું નિયંત્રણ કેવી રીતે કરવું? ગુજરાત ખેતી વિભાગની માર્ગદર્શિકા

ગુજરાતમાં શેરડી પાકમાં રોગ અને જીવાતથી બચાવવા ખેતી નિયામકશ્રીની કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી! બિયારણ પસંદગી, જમીન તૈયારી, ફૂગનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણના સરળ પગલાં – સુકારા, રાતડા, ચાબુક રોગથી બચાવો. ખેડૂતો માટે મહત્વપૂર્ણ ટિપ્સ – વિગતો જુઓ.

Braking News

 હેમા માલિનીએ ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની સરકારને મજબૂત સમર્થન આપ્યું
હેમા માલિનીએ ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની સરકારને મજબૂત સમર્થન આપ્યું
May 17, 2024

બીજેપી સાંસદ હેમા માલિનીએ પીએમ મોદીના વિકાસ કાર્યોની નકલ કરવા માટે ઓડિશામાં ભાજપની આગેવાની હેઠળની સરકારની વિનંતી કરી. 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"ગોપનીયતા, પ્રગતિ અને બિગ ડેટા: ધ થ્રી-વે ટગ ઓફ વોર"
March 31, 2023
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express