અમદાવાદ મંડળના ચાર સજાગ રેલવે કર્મચારીઓને મળ્યું સંરક્ષા સન્માન
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના રેલ સંરક્ષા ક્ષેત્રમાં ઉલ્લેખનીય કામગીરી કરનારા ચાર રેલ કર્મચારીઓનું જુલાઇ અને ઓગસ્ટ 2023ના મહિનામાં સતર્કતા તેમ જ સજગતાથી કામગીરી કરવા માટે મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માએ પ્રમાણપત્ર પ્રદાન કરી સન્માનિત કર્યા.
વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શ્રી રાકેશકુમાર ખરાડીના જણાવ્યા અનુસાર પુરસ્કાર મેળવનારા કર્મચારીઓ કરેલી ઉત્કૃષ્ટ કામગીરીમાં રેલ પરિચાલનમાં સતર્કતાથી હેંગિંગ પાર્ટ્સનો ખ્યાલ રાખવો, સ્મોકિંગ નોટિસ કરવું, સ્પાર્કિંગ નોટિસ કરવું વગેરે ઘટનાઓનો સમાવેશ થાય છે.
ટેક્નિકલ ખામીઓનો ખ્યાલ મેળવવાનારા આ રેલ કર્મચારીઓની સજગતા તેમ જ સતર્ક નજરોથી સુરક્ષિત રેલ પરિચાલનમાં મદદ મળવાની સાથે તાત્કાલિક કાર્યાવાહી કરીને સંભવિક અકસ્માતોને ટાળી શકાયા. આ તમામ નિષ્ઠાવાન કર્મચારીઓને સંરક્ષા પદક તેમ જ પ્રમાણપત્રથી સન્માનિત કરનામાં આવ્યા, સંરક્ષા પદક તેમ જ પ્રમાણપત્રથી સન્માનિત રેલકર્મચારીમાં શ્રી નિતીન કુમાર ઇશ્વરભાઇ, લોકો પાયલટ-સાબરમતી, શ્રી શુભમ શ્રીધર, પોઇન્ટ્સ મેન-વિરમગામ, શ્રી શ્યામકુમાર, સ્ટેશન માસ્ટર-સાબરમતી તેમ જ શ્રી સૂબે સિંહ શેખાવત, પોઇન્ટ્સ મેન-મુન્દ્રા પોર્ટ છે.
ડીઆરએમ શ્રી સુધીરકુમાર શર્માએ જણાવ્યું કે આવા સજગ રેલકર્મીઓ જ અમારી સૌથી મોટી મૂડી છે તેમ તેમની સતર્કતા અને સજાગતાથી અમને સુરક્ષિત અને સમયસર ટ્રેન પરિચાલનમાં મદદ મળે છે.
અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગ ઘટનાઓ. 449 કેસમાં કાર્યવાહી, 408 ધરપકડ અને ₹48,700 દંડ વસૂલાત. RPFએ આશ્રમ એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ સહિત મુખ્ય ટ્રેનોમાં વધુ ઘટનાઓ પર નિયંત્રણ મેળવ્યું – મુસાફરોને અનાવશ્યક પુલિંગ ન કરવાની અપીલ. વિગતો જુઓ.
નર્મદા જિલ્લામાં રવિ માર્કેટીંગ સીઝન 2026-27: ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે ₹2,585/- પ્રતિ ક્વિન્ટલ ખરીદી શરૂ. 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી VCE મારફતે ઓનલાઈન નોંધણી, ખરીદી 4 માર્ચથી 15 મે સુધી. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત – જરૂરી દસ્તાવેજો: આધાર, 7/12, 8/અ, બેંક વિગતો. હેલ્પલાઇન 8511171718/19. વિગતો જુઓ.
નર્મદા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી.વાળાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.