આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વિના-મુલ્યે સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમનું આયોજન
મોટા પ્રમાણમાં લાભાર્થીઓનું વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનીગ ચેક-અપ કરવામાં આવ્યું હતું જે અન્વયે શંકાસ્પદ આવેલ બહેનોને મેમોગ્રાફી- સોનોગ્રાફી ચેક-અપ માટે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં બોલાવવામાં આવશે.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૧ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ માં શારદા ભવન ટાઉનહોલ, અંકલેશ્વર ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રીમતિ હિનાબેન જરીવાલા, શ્રીમતી મોનાબેન પટેલ તથા સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટીટયુટના સહયોગથી લાભાર્થીઓ માટે પ્રોજેક્ટ ઇન્ચાર્જ કિન્નરીબેન ભટ્ટ, જાનવીબેન ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમ નું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે. ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.
મોટા પ્રમાણમાં લાભાર્થીઓનું વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનીગ ચેક-અપ કરવામાં આવ્યું હતું જે અન્વયે શંકાસ્પદ આવેલ બહેનોને મેમોગ્રાફી- સોનોગ્રાફી ચેક-અપ માટે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં બોલાવવામાં આવશે. સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો.
દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું.
"અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશી રહેવાસીઓ વિરુદ્ધ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી કડક ચેતવણી. લલ્લા બિહારી સામે ફરિયાદ નોંધાઈ. વધુ જાણો અહીં."
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને ગુજરાત ગૌરવ દિવસ અવસરે પાઠવેલો પ્રજાજોગ સંદેશ માટે વધુમાં વાંચો.
મહિસાગર જિલ્લામાં ડીજેના ભારે અવાજે વરરાજાની મગજની નસ ફાટી, ઘોડા પર બેભાન થયા. ધ્વનિ પ્રદૂષણની ગંભીર અસર અને સરકારી નિયમોનું ઉલ્લંઘન. વધુ જાણો આ ટ્રેન્ડિંગ ગુજરાતી ન્યૂઝમાં.